AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક કિલો ગોળની કિંમત જાણીને ચોંકી જશો, જાણો શું છે આ JAGGERYની વિશેષતા

સામાન્ય રીતે ગોળની (JAGGERY) કિંમત 50 થી 80 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ એક ખેડૂત(FARMER) અધધ કિંમતે ગોળ વેચી રહ્યો છે. આવો જાણીએ એ ગોળ વિષે.

એક કિલો ગોળની કિંમત જાણીને ચોંકી જશો, જાણો શું છે આ JAGGERYની વિશેષતા
જાણો આ ગોળની શુ છે કિંમત ?
Charmi Katira
| Edited By: | Updated on: Jan 18, 2021 | 1:22 PM
Share

સામાન્ય રીતે ગોળની (JAGGERY) કિંમત 50 થી 80 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ એક ખેડૂત(FARMER) અધધ કિંમતે ગોળ વેચી રહ્યો છે. આવો જાણીએ એ ગોળ વિષે.

સહારનપુરની પાસે એક ગામ છે મુબારકપુર(MUBARKPUR). અહીનો ખેડૂત સંજય સૈની (SANJAY SAINI) માત્ર દસ એકરમાં શેરડીની(SUGAR CANE) ખેતી કરી રહ્યા છે, પરંતુ એક સુગર મિલમાં (SUGAR MILL) શેરડી વેચવાને બદલે પોતાના કોલું પર 77 પ્રકારના ગોળ પણ બનાવી રહ્યા છે. આ ગોળની કિંમત પ્રતિ કિલો 80 રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની છે. ગોળની આટલી કિંમત સાંભળીને બધા લોકો હેરાન થઈ જાય છે. બધાની પરેશાની દૂર કરવા માટે સંજયએ જણાવ્યું હતું કે, 5 હજાર રૂપિયે કિલો વેચાતો ગોળ ચ્યવનપ્રશ કરતાં વધુ ગુણકારી છે. ચ્યવનપ્રાશ બનાવવા માટે જે ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી વધારે આ ગોળમાં વધુ ઔષધિઓ ઉમેરવામાં આવે છે. સંજયને પોતાનો ગોળ વેચવા માટે ક્યાંય જવું પડતું નથી. તેનો બધો ગોળ ઘરેથી વેચાય છે, આ ગોળના ખરીદદારો આખા દેશમાં છે.

ગોળને લઈને ચર્ચામાં આવેલા સંજય દેશભરમાં લાગતાં ખેતીના પ્રદર્શનમાં જાય છે અને અલગ-અલગ પ્રકારના 77 ગોળ લોકોની સામે રાખે છે.

સંજય કહે છે, તેનો ગોળ સામાન્ય નથી. તે ઓર્ગેનીક શેરડીમાંથી તૈયાર કરવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારની દુર્લભ વનસ્પતિઓ મળી છે. આ ગોળ અનેક પ્રકારના રોગોમાં અસરકારક છે. જડીબુટીની કિંમત અનુસાર ગોળની કિંમત નિર્ધારિત થાય છે. 5 હજાર રૂપિયા કિલોના ગોળમાં વિવિધિ 80 પ્રકારની જડીબુટી મેળવવામાં આવે છે. 5 હજાર રૂપિયે પ્રતીકીલો ગોળની માંગ આખા વર્ષ દરમિયાન પાંચસો કિલોની છે.

સંજયએ તેના આ ગોળને લઈને કહ્યું હતું કે, વર્ષ 2000માં તે ઓર્ગેનિક શેરડીના ખેતી તરફ વળ્યો હતો. જ્યારે પાક સારો હતો, ત્યારે તેને મિલમાં વેચવાને બદલે, તેણે પોતાના કોલું પર જૈવિક ગોળ બનાવવાનું શરૂ કર્યું. ગોળ બનાવતી વખતે, શેરડીનો રસ સાફ કરવા માટે કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાને બદલે સરસવનું તેલ, દૂધ અને એરંડા તેલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેના ગોળની પ્રશંસા કરવામાં આવી હતી. આજે સંજય કોલ્હુમાં પણ આશરે 10 લોકોને રોજગારી આપે છે.

સંજય જડી-બુટ્ટી સંબંધિત ઘણા પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. તેનું આ જ્ઞાન ઓર્ગેનિક ગોળ બનાવવામાં ઉપયોગી થયું હતું. કયા ગોળમાં કયા ઘટકો અને ઔષધિઓ ઉમેરવા આ વાંચન અને તેમના અનુભવથી ખબર પડી હતી.

રાસાયણિક ઉપયોગ કર્યા વિના લાંબા સમય સુધી ગોળને ફૂગથી બચાવવાનું સરળ ન હતું. સંજયે પ્રયોગ કર્યો અને કોચ ઘાસ, એલોવેરા અને તુલસીના રસ સાથે ગોળનો કોટિંગ કરીને લાંબા સમય સુધી તેને ફૂગથી બચાવી શક્યો. સંજય કહે છે કે બિહાર અને બંગાળમાં હીંગ-સ્વાદવાળા ગોળની વધારે માંગ છે, તેથી ગોળને એ રીતે બનાવ્યો હતો.

પીત રોકવા માટે અજમો, વરિયાળી અને ધાણા મિશ્રિત ગોળને પસંદ કરવામાં આવી રહ્યો છે, કફને રોકવા માટે સૂંઠ, કાળા મરી અને તજનાં મિશ્રણમાંથી ગોળ તૈયાર કરવામાં આવે છે, જ્યારે ડાયાબિટીઝના દર્દીઓ અશ્વગંધા, મેથી, લીંબુના મિશ્રિત ગોળની ખૂબ માંગ ધરાવે છે. સંજય કહે છે, તે ડાયાબિટીઝને રોકવામાં ખૂબ અસરકારક છે. આદુ અને સફેદ મસળી મેળવેલો ગોળ વૃદ્ધો માટે ખૂબ ફાયદાકારક છે.

ગોળ પછી સંજય હવે શેરડીના રસની કુલ્ફી અને શેરડીની જલેબી બનાવવાની તૈયારી કરી રહ્યો છે. સંજય સૈની ખેડૂતોને જૈવિક ખેતી માટે પ્રેરણા આપે છે. આ સાથે જ તાલીમ પણ આપે છે. આજે,દેશભરના 650 ખેડુતોનું જૂથ તેમની પ્રેરણાથી જૈવિક ખેતી પર કામ કરી રહ્યું છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">