Wheat Price: નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં ઘઉંની કિંમત 2905 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી, જાણો ભાવમાં ક્યારે ઘટાડો થશે

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં તેના ભાવમાં હજુ ઘટાડો થતો દેખાતો નથી. દેશની ઘણી મંડીઓમાં ઘઉં ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) કરતા 400-500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધુ વેચાઈ રહ્યા છે.

Wheat Price: નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં ઘઉંની કિંમત 2905 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી, જાણો ભાવમાં ક્યારે ઘટાડો થશે
Wheat Export
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 7:26 PM

ઘઉંની નિકાસ (Wheat Export) પર પ્રતિબંધ હોવા છતાં તેના ભાવમાં હજુ ઘટાડો થતો દેખાતો નથી. દેશની ઘણી મંડીઓમાં ઘઉં ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) કરતા 400-500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધુ વેચાઈ રહ્યા છે. મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઔસા મંડીમાં 15 મેના રોજ તેની મહત્તમ કિંમત 2676 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. જ્યારે સરેરાશ ભાવ રૂ. 3215 પ્રતિ ક્વિન્ટલ હતો. જ્યારે 14 મેના રોજ તેની મહત્તમ કિંમત રૂ. 2905 હતી અને ગુજરાતના બનાસકાંઠની ડીસા મંડીમાં સરેરાશ ભાવ રૂ. 2300 પ્રતિ ક્વિન્ટલ હતો. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઘઉંના ભાવ હજુ પણ MSP કરતા ઉપર છે.

આ સ્થિતિ ત્યારે છે જ્યારે કેન્દ્રીય કૃષિ સચિવ મનોજ આહુજાએ ઉત્પાદનને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે. આહુજાના જણાવ્યા મુજબ, ગરમીના મોજાએ આ વર્ષે ઘઉંના પાકને અસર કરી છે, ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારતમાં, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં ઉપલબ્ધતામાં થોડો તફાવત છે. આમ છતાં ઘઉંના ભાવ આટલા ઊંચા કેમ?

એક્સપર્ટે કિંમત ન ઘટાડવાનું કારણ જણાવ્યું

ઓરિગો ઈ-મંડીના સિનિયર મેનેજર (કોમોડિટી રિસર્ચ) ઈન્દ્રજીત પૉલના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં સ્થાનિક બજારમાં ઘઉંની કિંમત MSP કરતા ઉપર ટ્રેડ થઈ રહી છે. તેમનું કહેવું છે કે સરકારના અગાઉના અંદાજ કરતાં ઘઉંનું ઉત્પાદન ઓછું રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા સુધી નિકાસની ઉત્તમ તકોને કારણે વેપારીઓએ ઘઉંનો મોટા પ્રમાણમાં સ્ટોક કર્યો હતો. જેના કારણે બજારમાં ઘઉંની અછત સર્જાઈ હતી. આ જ કારણ છે કે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઈન્દ્રજીત પોલ કહે છે કે પુરવઠાના અભાવે વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવમાં હજુ પણ મજબૂત વલણ છે. આગામી કેટલાક દિવસોમાં, જ્યાં સ્થાનિક બજારમાં ભાવમાં કરેક્શન આવી શકે છે, તો વિદેશી બજારમાં મજબૂતી મજબૂત રહેશે. આગામી દિવસોમાં મંડીઓમાં ખેડૂતો અને વેપારીઓ તરફથી પુરવઠો વધશે, જેના કારણે ભાવ રૂ. 100 થી રૂ. 150 સુધી સુધરી શકે છે.

નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ કેન્દ્ર સરકારે ઘઉં ઉત્પાદક રાજ્યોમાં તેની ખરીદીની તારીખ લંબાવી છે. હવે ખેડૂતો 15 જૂન સુધી મંડીઓમાં લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરી શકશે. ઓછી સરકારી ખરીદી અને નિકાસ પ્રતિબંધ બાદ બદલાયેલી સ્થિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રવી માર્કેટિંગ સિઝન (RMS) 2022-23માં 14 મે સુધી સરકાર માત્ર 180 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી શકી છે. કારણ કે આ વખતે ખેડૂતોને ઓપન માર્કેટમાં MSPની બરાબર અથવા તેનાથી વધુ કિંમત મળી રહી છે.

RMS 2021-22 દરમિયાન 14 સુધીમાં 367 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. ઘઉંની ખરીદીની તારીખ લંબાવ્યા બાદ સરકારી ખરીદી વધે છે કે કેમ તે જોવું રહ્યું. નવા આદેશો અનુસાર, તેની ખરીદી કેટલાક રાજ્યોમાં 31 મે સુધી અને કેટલાકમાં 15 જૂન સુધી કરવામાં આવશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">