AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishi Udan 2.0: શું છે કૃષિ ઉડાન 2.0 યોજના, કયા ખેડૂતોને મળશે તેનો ફાયદો, જાણો હવે સરકારની શું છે તૈયારી

ખેડૂતોને પોતાના ઉત્પાદનને વેચવા માટે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની જરૂર પડે છે. એવામાં તેઓએ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. અનેક વખત તો તેમનો પાક માર્કેટ સુધી પહોંચતા પહોંચતા જ ખરાબ થઈ જતો હોય છે. જેથી ખેડૂતોની મહેનત બેકાર થઈ જાય છે.

Krishi Udan 2.0: શું છે કૃષિ ઉડાન 2.0 યોજના, કયા ખેડૂતોને મળશે તેનો ફાયદો, જાણો હવે સરકારની શું છે તૈયારી
PM kisan Scheme (File PIc)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 6:56 PM
Share

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંઘિયાએ કૃષિ ઉડાન યોજના 2.0 શરૂ કરી છે. જેનાથી ખેડૂતોને સીધો ફાયદો થશે. ખેડૂતોને પોતાના ઉત્પાદનને વેચવા માટે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની જરૂર પડે છે. એવામાં તેઓએ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. અનેક વખત તો તેમનો પાક માર્કેટ સુધી પહોંચતા પહોંચતા જ ખરાબ થઈ જતો હોય છે. જેથી ખેડૂતોની મહેનત બેકાર થઈ જાય છે.

ખેડૂતોને આ નુકસાનથી બચવા માટે અને પાકને સુરક્ષિત માર્કેટમાં પહોંચાડવા માટે પ્રધાનમંત્રી કૃષિ ઉડાન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેની જાહેરાત નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગત વર્ષનું બજેટ 2020-21 રજૂ કરતાં સમયે કરી હતી. 2021માં આ યોજના શરૂ થઈ ગઈ હતી. યોજનાને શરૂ કરવા માટે નેશનલ રૂટ, ઈન્ટરનેશનલ રૂટ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સહયોગ લેવામાં આવે છે. જેથી ખેડૂતોને કૃષિ ઉત્પાદનોના પરિવહનની દિશામાં મદદ મળી રહે.

કૃષિ ઉડાન 2.0 યોજનાથી ખેડૂતોને કઈ રીતે લાભ મળશે

કૃષિ ઉડાન યોજના 2021ની મદદથી ખેડૂતો મત્સ્ય ઉત્પાદન, દુધ અને ડેરી ઉત્પાદન, માંસ જેવા ઉત્પાદનને જલ્દીથી જલ્દી માર્કેટ સુધી પહોંચાડી શકે છે. કારણ કે હવાઈ માધ્યમથી આ કામ સૌથી ઝડપી થઈ શકે છે. એટલા માટે સરકારે આ યોજના થકી ખેડૂતો સુધી લાભ પહોંચાડવાનું વિચાર્યું છે.

દેશના જે ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવા માગે છે તેઓ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. કૃષિ ઉડાન યોજના અંતર્ગત સરકાર એરલાઈનોને પણ પ્રોત્સાહન આપશે. દેશના વિવધ ભાગોમાં કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે હવાઈ મથકનો ઉપયોગ કરવામાં આવશે. યોજના હેઠળ ઉડાનોમાં ઓછામાં ઓછી સીટો સબ્સિડી વાળી ભાડે આપવામાં આવશે.

કૃષિ ઉડાન 2.0ની મુખ્ય વિશેષતાઓ

હવાઈ પરિવહન દ્વારા કૃષિ-ઉત્પાદનોની અવર-જવરને સુવિધા જનક બનાવા માટે તેને પ્રોત્સાહિત કરવા ભારતીય કાર્ગો એરક્રાફ્ટ અને P2C એરક્રાફ્ટ માટે લેન્ડિંગ, પાર્કિંગ, TNLC અને RNFC ચાર્જીસની સંપૂર્ણ છૂટ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પસંદગીના એરપોર્ટ પર. મુખ્યત્વે NER, ડુંગરાળ અને આદિવાસી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

કૃષિ ઉડાન 2.0ના પ્રથમ તબક્કા માટે કુલ 53 એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે, તેમાંથી મોટાભાગના AAI(Airports Authority of India) દ્વારા સંચાલિત છે. એરપોર્ટની વ્યૂહાત્મક પસંદગી મુખ્યત્વે ઉત્તરપૂર્વીય ક્ષેત્ર પર કેન્દ્રિત છે. વધુમાં તે ઉત્તર, સમગ્ર પશ્ચિમ કિનારો અને દક્ષિણ ભારત (બે ટાપુઓ સહિત) આવરી લે છે.

કૃષિ ઉડાન 2.0ના અમલીકરણ માટે એરપોર્ટની પસંદગી સમગ્ર દેશને લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. દેશના પસંદ કરાયેલા એરપોર્ટ માત્ર પ્રાદેશિક સ્થાનિક બજાર સુધી પહોંચતા નથી, પરંતુ તેમને દેશના આંતરરાષ્ટ્રીય ગેટવે સાથે પણ જોડે છે.

ઈ-કુશલનો વિકાસ (સસ્ટેનેબલ કમ્પોઝિટ એગ્રી-લોજિસ્ટિક્સ માટે કૃષિ ઉડાન). એક પ્લેટફોર્મ વિકસાવવાની દરખાસ્ત કે જે તમામ હિતધારકોને માહિતીના પ્રસારની સુવિધા આપશે. તે એક જ પ્લેટફોર્મ હશે જે સંબંધિત માહિતી પ્રદાન કરશે તેમજ યોજનાના સંકલન, દેખરેખ અને મૂલ્યાંકનમાં મદદ કરશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM) સાથે ઈ-કુશળનું એકીકરણ પ્રસ્તાવિત છે. હબ અને સ્પોક મોડલ અને ફ્રેઈટ ગ્રીડ (કાર્ગો ટર્મિનલ માટે ચિહ્નિત સ્થળો)ના વિકાસની સુવિધાને સરળ બનાવશે.

આ પણ વાંચો: Advisory for Farmers: શાકભાજીના પાકો માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આપી સલાહ, વાવેતર પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

આ પણ વાંચો: Lemon Farming: લીંબૂની ખેતી કરતા ખેડૂતો માટે 5 બેસ્ટ ટિપ્સ, આખું વર્ષ થશે જોરદાર કમાણી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">