Advisory for Farmers: શાકભાજીના પાકો માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આપી સલાહ, વાવેતર પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

આઈએઆરઆઈ પૂસાના વૈજ્ઞાનિકો તરફથી જાહેર કરેલ માર્ગદર્શિકામાં જણાવામાં આવ્યું છે કે બીજને ફૂગ નાશક કેપ્ટાન અથવા થાયરમ 2.0 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજના દર સાથે ભેળવી ઉપચાર કરવો.

Advisory for Farmers: શાકભાજીના પાકો માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આપી સલાહ, વાવેતર પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 4:56 PM

ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)પૂસાના વૈજ્ઞાનિકો(Scientists)એ ખેડૂતોને શાકભાજીના વાવેતર (Vegetables Sowing) અને તેની દેખરેખ સંબંધી ઘણી સલાહ આપી છે. ખેડૂતો આ સલાહ માનશે તો તેઓને વધુ ફાયદો થશે. શાકભાજી વિજ્ઞાન વિભાગના એક નિષ્ણાંત અનુસાર આ મૌસમમાં ખેડૂતો વટાણાનું વાવેતર કરી શકે છે. વાવેતર પહેલા માટીમાં યોગ્ય ભેજનું ધ્યાન જરૂર રાખો. તેમજ લસણ(Garlic)ના વાવેતર સંબંધી પણ ખેડૂતોને જાણકારી આપી છે.

આઈએઆરઆઈ પૂસાના વૈજ્ઞાનિકો તરફથી જાહેર કરેલ માર્ગદર્શિકામાં જણાવામાં આવ્યું છે કે બીજને ફૂગ નાશક કેપ્ટાન અથવા થાયરમ 2.0 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજના દર સાથે ભેળવી ઉપચાર કરવો. ત્યારબાદ પાક વિશેષ રાઈઝોબિયમની રસી આપવી. ગોળને પાણીમાં ઉકાળી ઠંડો કરી લો અને રાઈઝોબિયમના બીજ સાથે ભેળવી ઉપચાર કરી સુકાવા માટે કોઈ પણ છાંયાવાળા સ્થળે રાખી દો. તેમજ આગામી દિવસે વાવેતર કરવું.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

લસણની ખેતી માટે ધ્યાન રાખો

તાપમાનને ધ્યાનમાં રાખતા ખેડૂતો આ સમયે લસણનું વાવેતર પણ કરી શકે છે. વાવેતર પહેલા માટીમાં યોગ્ય ભેજનું ધ્યાન જરૂરથી રાખો. શ્રેષ્ઠ જાતો પસંદ કરીને વાવેતર કરવું. લસણની ખેતી માટે ખેતરમાં દેશી ખાતર અને ફોસ્ફરસ ખાતર જરૂરથી નાખવું.

આ પાકો વિશે પણ જાણો

ખેડૂતો આ સમયે રાયડો, ચણા, ધાણા, જેવા પાકોનું વાવેતર કરી શકે છે. ત્યારે વાવેતર પહેલા જમીનમાં ભેજનું યોગ્ય પ્રમાણ છે તે ચકાસી લેવું જરૂરી છે. શિયાળું પાકોમાં વહેલી પાકતી જાતો અને મોડી પાકતી જાતો પ્રમાણે વાવેતર કરવું, જેથી ઉત્પાદન સમય અને માવજતનો યોગ્ય અંદાજો મેળવી શકાય.

રોગગ્રસ્ત છોડને જમીનમાં દાટી દો

કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર આ મોસમમાં બ્રોકલી, કોબી તથા ફ્લાવરનું ધરુવાડીયું તૈયાર કરી શકે છે. ધરૂવાડીયું જમીનથી ઉંચી ક્યારીઓમાં જ બનાવો. જે ખેડૂતોએ ધરૂવાડીયું તૈયાર કર્યું છે તેઓ મોસમને ધ્યાનમાં રાખી છોડનો રોપ ઉંચી પાળીઓમાં કરે.

મરચાં તથા ટામેટાની ખેતીમાં રોગગ્રસ્ત છોડને કાઢીને જમીનમાં દાટી દો. જો ઉપદ્રવ વધુ છે તો ઈમિડાક્લોપ્રિડ 0.3 મિલી પ્રતિ લીટરના દરે છંટકાવ કરવો. વૈજ્ઞાનિકોએ ફૂલોની ખેતી સંબંધી પણ સલાહ આપી છે. તેમના મુજબ ખેડૂતો ગુલાબના છોડની છટણી કરે છટણી કર્યા બાદ બાવિસ્ટીનનો લેપ લગાવે. જેથી ફૂગનું આક્રમણ ન થાય.

આ પણ વાંચો: ‘બધો ભાર કન્યાની કેડે’: ઇંધણ બાદ હવે ડુંગળીએ રડાવ્યા, ભાવમાં થયો ધરખમ વધારો, જાણો કારણ

આ પણ વાંચો: Good News: ખેડૂતોને કપાસના મળશે સારા ભાવ, પરંતુ ખેડૂતોને આ બાબતોનું ધ્યાન રાખવા વૈજ્ઞાનિકોની સલાહ

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">