AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Advisory for Farmers: શાકભાજીના પાકો માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આપી સલાહ, વાવેતર પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

આઈએઆરઆઈ પૂસાના વૈજ્ઞાનિકો તરફથી જાહેર કરેલ માર્ગદર્શિકામાં જણાવામાં આવ્યું છે કે બીજને ફૂગ નાશક કેપ્ટાન અથવા થાયરમ 2.0 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજના દર સાથે ભેળવી ઉપચાર કરવો.

Advisory for Farmers: શાકભાજીના પાકો માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આપી સલાહ, વાવેતર પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 4:56 PM
Share

ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)પૂસાના વૈજ્ઞાનિકો(Scientists)એ ખેડૂતોને શાકભાજીના વાવેતર (Vegetables Sowing) અને તેની દેખરેખ સંબંધી ઘણી સલાહ આપી છે. ખેડૂતો આ સલાહ માનશે તો તેઓને વધુ ફાયદો થશે. શાકભાજી વિજ્ઞાન વિભાગના એક નિષ્ણાંત અનુસાર આ મૌસમમાં ખેડૂતો વટાણાનું વાવેતર કરી શકે છે. વાવેતર પહેલા માટીમાં યોગ્ય ભેજનું ધ્યાન જરૂર રાખો. તેમજ લસણ(Garlic)ના વાવેતર સંબંધી પણ ખેડૂતોને જાણકારી આપી છે.

આઈએઆરઆઈ પૂસાના વૈજ્ઞાનિકો તરફથી જાહેર કરેલ માર્ગદર્શિકામાં જણાવામાં આવ્યું છે કે બીજને ફૂગ નાશક કેપ્ટાન અથવા થાયરમ 2.0 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજના દર સાથે ભેળવી ઉપચાર કરવો. ત્યારબાદ પાક વિશેષ રાઈઝોબિયમની રસી આપવી. ગોળને પાણીમાં ઉકાળી ઠંડો કરી લો અને રાઈઝોબિયમના બીજ સાથે ભેળવી ઉપચાર કરી સુકાવા માટે કોઈ પણ છાંયાવાળા સ્થળે રાખી દો. તેમજ આગામી દિવસે વાવેતર કરવું.

લસણની ખેતી માટે ધ્યાન રાખો

તાપમાનને ધ્યાનમાં રાખતા ખેડૂતો આ સમયે લસણનું વાવેતર પણ કરી શકે છે. વાવેતર પહેલા માટીમાં યોગ્ય ભેજનું ધ્યાન જરૂરથી રાખો. શ્રેષ્ઠ જાતો પસંદ કરીને વાવેતર કરવું. લસણની ખેતી માટે ખેતરમાં દેશી ખાતર અને ફોસ્ફરસ ખાતર જરૂરથી નાખવું.

આ પાકો વિશે પણ જાણો

ખેડૂતો આ સમયે રાયડો, ચણા, ધાણા, જેવા પાકોનું વાવેતર કરી શકે છે. ત્યારે વાવેતર પહેલા જમીનમાં ભેજનું યોગ્ય પ્રમાણ છે તે ચકાસી લેવું જરૂરી છે. શિયાળું પાકોમાં વહેલી પાકતી જાતો અને મોડી પાકતી જાતો પ્રમાણે વાવેતર કરવું, જેથી ઉત્પાદન સમય અને માવજતનો યોગ્ય અંદાજો મેળવી શકાય.

રોગગ્રસ્ત છોડને જમીનમાં દાટી દો

કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર આ મોસમમાં બ્રોકલી, કોબી તથા ફ્લાવરનું ધરુવાડીયું તૈયાર કરી શકે છે. ધરૂવાડીયું જમીનથી ઉંચી ક્યારીઓમાં જ બનાવો. જે ખેડૂતોએ ધરૂવાડીયું તૈયાર કર્યું છે તેઓ મોસમને ધ્યાનમાં રાખી છોડનો રોપ ઉંચી પાળીઓમાં કરે.

મરચાં તથા ટામેટાની ખેતીમાં રોગગ્રસ્ત છોડને કાઢીને જમીનમાં દાટી દો. જો ઉપદ્રવ વધુ છે તો ઈમિડાક્લોપ્રિડ 0.3 મિલી પ્રતિ લીટરના દરે છંટકાવ કરવો. વૈજ્ઞાનિકોએ ફૂલોની ખેતી સંબંધી પણ સલાહ આપી છે. તેમના મુજબ ખેડૂતો ગુલાબના છોડની છટણી કરે છટણી કર્યા બાદ બાવિસ્ટીનનો લેપ લગાવે. જેથી ફૂગનું આક્રમણ ન થાય.

આ પણ વાંચો: ‘બધો ભાર કન્યાની કેડે’: ઇંધણ બાદ હવે ડુંગળીએ રડાવ્યા, ભાવમાં થયો ધરખમ વધારો, જાણો કારણ

આ પણ વાંચો: Good News: ખેડૂતોને કપાસના મળશે સારા ભાવ, પરંતુ ખેડૂતોને આ બાબતોનું ધ્યાન રાખવા વૈજ્ઞાનિકોની સલાહ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">