AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MSP ગેરંટીને લઈ આયોજીત કિસાન સંગઠનની બેઠકમાં શું થયું ?

આ સંદર્ભમાં મંગળવારે દિલ્હીમાં ખેડૂત સંગઠનોની એક દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત સંગઠનોએ નિર્ણય લીધો છે કે MSP ગેરંટી કાયદા પર કોઈપણ પ્રકારના આંદોલન કરતા પહેલા ખેડૂત સંગઠનો ખેડૂતો અને દેશની સરકારને MSP અંગે વાકેફ કરશે.

MSP ગેરંટીને લઈ આયોજીત કિસાન સંગઠનની બેઠકમાં શું થયું ?
Farmers (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:34 AM
Share

કેન્દ્ર સરકારે 2020માં ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws)લાગુ કર્યા હતા. આ પછી દેશમાં ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું. આ સાથે, ફરી એકવાર દેશમાં પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ખાતરી આપવા માટે કાયદો બનાવવાની માંગ તેજ થઈ ગઈ છે. જો કે ગત વર્ષ નવેમ્બરમાં કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાને રદ કરી દીધા હતા. જે બાદ 14 મહિનાથી ચાલેલા ખેડૂત આંદોલન(Farmer Protest)નો પણ અંત આવ્યો હતો, પરંતુ ખેડૂતોના સંગઠનો તરફથી MSP ગેરંટી કાયદો બનાવવાની માંગ હજુ પણ ચાલુ છે.આ સંદર્ભમાં મંગળવારે દિલ્હીમાં ખેડૂત સંગઠનોની એક દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત સંગઠનોએ નિર્ણય લીધો છે કે MSP ગેરંટી કાયદા પર કોઈપણ પ્રકારના આંદોલન કરતા પહેલા ખેડૂત સંગઠનો ખેડૂતો અને દેશની સરકારને MSP અંગે વાકેફ કરશે.

MSP ગેરંટી કિસાન મોરચાની રચના

MSP ગેરંટી અંગે રાષ્ટ્રીય ખેડૂત મજદૂર સંગઠનના વડા સરદાર વીએમ સિંહની આગેવાની હેઠળ ND તિવારી ઓડિટોરિયમ, ITO, દિલ્હીમાં મંગળવારે એક દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતાં સરદાર વીએમ સિંહે કહ્યું કે ખેડૂતોની માંગણીઓ માટે MSP ગેરંટી કિસાન મોરચાની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સાથે જ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મુદ્દે કોઈપણ પ્રકારના આંદોલન કરતા પહેલા પ્રચાર અને જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવશે.

આંદોલન અંગે ઓક્ટોબરમાં નિર્ણય લેવામાં આવશે

સરદાર વીએમ સિંહે કહ્યું કે મંગળવારે યોજાયેલી બેઠકમાં 20 રાજ્યોની અંદર ફ્રન્ટ ટીમની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ પોતપોતાના રાજ્યોમાં MSP અંગે પ્રચાર અને જાગૃતિ અભિયાનની કમાન સંભાળશે.

તેમણે કહ્યું કે આ પછી મે મહિનામાં આ તમામ સંયોજકો સાથે બેઠક યોજવામાં આવશે. જે બાદ 6 થી 8 ઓક્ટોબર દરમિયાન દિલ્હીના કાંઝાવાલામાં મોરચાની ત્રણ દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં દેશભરમાંથી ખેડૂતો હાજર રહેશે. જો આ બેઠકમાં MSPને લઈને કોઈપણ પ્રકારના આંદોલનની જરૂર પડશે તો બેઠકમાં આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે.

MSP ગેરંટી લાગુ કરવાથી GDPને ફાયદો થશેઃ સરદાર વી.એમ

સરદાર વીએમ સિંહે કહ્યું કે MSP ગેરંટી લાગુ થવાથી દેશના જીડીપીને ફાયદો થશે. અમે સરકારને આ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આગળ પણ સમજાવીશું. તેમણે કહ્યું કે સરકાર MSME માટે ભંડોળ બહાર પાડે છે, જેઓ કોઈપણ ચીજવસ્તુનું ઉત્પાદન કરી શકે છે, પરંતુ જો ખેડૂતને તેના પાક માટે વધુ ભાવ મળે છે, તો તેની ખરીદ શક્તિમાં વધારો થશે, જેનો સીધો ફાયદો દેશના જીડીપીને થશે.

તેમણે કહ્યું કે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચેની પ્રથમ બેઠક દરમિયાન જ્યારે 3 એગ્રીકલ્ચર એક્ટ વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન શરૂ થયું ત્યારે અમે એમએસપી ગેરંટી કાયદો ઘડવાની પણ માગ કરી હતી. આ કાયદો ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: Saheed Diwas: આજે ઉજવાઈ રહ્યો છે શહીદ દિવસ, જાણો ભગત સિંહ સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા તથ્યો

આ પણ વાંચો: Viral: ક્લાસમાં બેઠા બાળકે કર્યું કંઈક એવું કે, વીડિયો જોઈ લોકોને આવી સ્કૂલના દિવસોની યાદ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">