AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૈવિક ખેતી માટે સૌથી જરૂરી છે વર્મી કમ્પોસ્ટ, આ રીતે કરી શકાય છે તૈયાર

વર્મી કમ્પોસ્ટ પદ્ધતિનો ઉપયોગ અન્ય પદ્ધતિઓ કરતાં સરળ છે. આ ખાતર બનાવવામાં વધુ સમય લાગતો નથી અને ખેડૂતો સરળતાથી તેનો સંગ્રહ કરી શકે છે. આ ઉપરાંત ખેડૂતોને વધુ ઉપજ પણ મળે છે.

જૈવિક ખેતી માટે સૌથી જરૂરી છે વર્મી કમ્પોસ્ટ, આ રીતે કરી શકાય છે તૈયાર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 8:59 AM
Share

ખેડૂતો વધુ ઉત્પાદનની ઈચ્છામાં ખેતરોમાં રાસાયણિક ખાતર (Chemical Fertilizer)નું પ્રમાણ વધારી રહ્યા છે, પરંતુ આ રાસાયણિક ખાતરોની પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ રહી છે. આ જ કારણ છે કે સરકાર ખેડૂતોને ઓર્ગેનિક ખેતી (Organic Farming) માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ સામાન્ય ખેતી કરતા અલગ છે અને તેમાં માત્ર ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણોસર જૈવિક ખેતીમાં વર્મી કમ્પોસ્ટ (Vermicompost)નું ખૂબ જ મહત્વનું સ્થાન છે. જ્યારે ખેડૂતો પશુપાલનની સાથે ખેતી કરે છે ત્યારે તેનો ઉપયોગ સરળ બને છે.

વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ગાયનું છાણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય તે સૌથી અગત્યનું છે. આવી સ્થિતિમાં જો પશુઓ ન હોય તો ગોબરની સમસ્યા સર્જાઈ શકે છે. વર્મી કમ્પોસ્ટ માટે ગાયના છાણને સૌથી યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે, કારણ કે તેમાં સંતુલિત માત્રામાં તમામ પોષક તત્વો હોય છે. વર્મી કમ્પોસ્ટ પદ્ધતિનો ઉપયોગ અન્ય પદ્ધતિઓ કરતાં સરળ છે. આ ખાતર બનાવવામાં વધુ સમય લાગતો નથી અને ખેડૂતો સરળતાથી તેનો સંગ્રહ કરી શકે છે. આ ઉપરાંત ખેડૂતોને વધુ ઉપજ પણ મળે છે.

વર્મી કમ્પોસ્ટ બનાવવાની લોકપ્રિય અને સરળ રીતો

વર્મી કમ્પોસ્ટ બનાવવાની ઘણી પદ્ધતિઓ છે, જેમાંથી મુખ્ય વૃક્ષ પદ્ધતિ છે. આમાં ગાયના છાણને ઝાડની આસપાસ લીપવામાં આવે છે. પ્રથમ વખત આ પ્રક્રિયા શરૂ કરતી વખતે અળસિયાને છાણમાં નાખવામાં આવે છે અને શણની બોરીઓથી ઢાંકવામાં આવે છે. ભેજ માટે સમયાંતરે બોરી પર પાણી છાંટવામાં આવે છે. અળસિયું છાણ ખાતી વખતે ધીમે ધીમે આગળ વધે છે અને તેની સાથે વર્મી કમ્પોસ્ટ તૈયાર થાય છે. આ ખાતર બોરીઓમાં રાખવામાં આવે છે.

ખેડૂતો પાળા પદ્ધતિથી વર્મી કમ્પોસ્ટ પણ તૈયાર કરે છે. આ પદ્ધતિમાં જમીન ઉપર છાયાવાળી જગ્યાએ 2 થી 3 ફૂટ પહોળાઈની પાળો બનાવવામાં આવે છે. આ પાળા બનાવવા માટે, પશુઓ માટે નાખેલું ઘાસનો ઉપયોગ કરીને બનાવામાં આવે છે. પાળાની ઊંચાઈ એક ફૂટ રાખવામાં આવે છે અને તેને ઢાંકી દેવામાં આવી છે.

વર્મી કમ્પોસ્ટ બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

ક્યારામાં ભરેલા છાણને 30થી 40 ટકા ભેજ જાળવી રાખવાની જરૂર છે. જ્યારે ભેજ ઓછો અને વધુ હોય ત્યારે અળસિયા તેમનું કામ યોગ્ય રીતે કરી શકતા નથી. ત્યારે વર્મી પાળામાં કચરાનું તાપમાન 20 થી 27 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. ખેડૂતોને ક્યારામાં તાજા ગાયના છાણનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. અળસિયું ખાતર બનાવતી વખતે કોઈપણ પ્રકારની જંતુનાશક દવાઓનો ઉપયોગ કરશો નહીં.

વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરવાના ફાયદા

વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. પાક ઉત્પાદન પણ સારું મળે છે. જમીનની પાણી શોષવાની ક્ષમતા પણ વધે છે. વર્મી કમ્પોસ્ટના ઉપયોગથી નીંદણ ઓછું વધે છે, જે રોગનું જોખમ ઘટાડે છે. પાકની ગુણવત્તા પણ સુધરે છે.

આ પણ વાંચો: જાણો શું છે જાસૂસી સોફ્ટવેર Pegasus જે WhatsAppને પણ કરી શકે છે હેક, આ રીતે બનાવે છે નિશાન

આ પણ વાંચો: Viral: અકસ્માતમાં આ શખ્સે મોતને આપી હાથતાળી, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">