AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેતીની સાથે થઈ શકે તેવા 7 વ્યવસાય, ઓછા ખર્ચમાં થશે બમ્પર નફો

કૃષિ માત્ર પાકની ખેતી માટે જ નથી પરંતુ તેમાં પશુપાલન, મરઘાં ઉછેર, મત્સ્યપાલન વગેરેનો પણ સમાવેશ થાય છે. તેથી તમે તેનાથી સંબંધિત વ્યવસાય કરીને સારા પૈસા કમાય શકો છો.

ખેતીની સાથે થઈ શકે તેવા 7 વ્યવસાય, ઓછા ખર્ચમાં થશે બમ્પર નફો
Bamboo Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 4:44 PM
Share

ભારતીય અર્થતંત્રમાં કૃષિ (Agriculture) મહત્વની ભૂમિકા ભજવે છે. ખેતી ગ્રામીણ વિસ્તારમાં આજીવિકાનું મુખ્ય સ્ત્રોત છે. તેથી આ ક્ષેત્રમાં અપાર રોજગારીની તકો છે. કૃષિ માત્ર પાકની (Crops) ખેતી માટે જ નથી પરંતુ તેમાં પશુપાલન, મરઘાં ઉછેર, મત્સ્યપાલન વગેરેનો પણ સમાવેશ થાય છે. તેથી તમે તેનાથી સંબંધિત વ્યવસાય કરીને સારા પૈસા કમાય શકો છો.

નવી કૃષિ આધારિત વ્યવસાય યોજના

આજે અમે તમને સાત કૃષિ આધારિત વ્યવસાય યોજનાઓ વિશે જણાવીશું. જે શરૂ કરવા માટે ઘણી ઓછી મૂડીની જરૂર પડે છે, પરંતુ તેમાંથી નફો સારો મળે છે.

જૈવિક ખાતર ઉત્પાદન

આજકાલ લોકો તેમના છોડના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ સભાન બની ગયા છે. લોકોને ખબર પડી ગઈ છે કે રાસાયણિક ખાતરો તેમના છોડ માટે અને પર્યાવરણ માટે કેવી રીતે હાનિકારક છે. આ જ કારણ છે કે લોકો ઓર્ગેનિક ખાતર અપનાવી રહ્યા છે. તેથી તમે જૈવિક ખાતરનું ઉત્પાદન શરૂ કરી શકો છો કારણ કે તેની ઘણી માગ છે. તદુપરાંત, આ વ્યવસાય ખૂબ ઓછા રોકાણ સાથે શરૂ કરી શકાય છે.

મશરૂમની ખેતી

આ દિવસોમાં મશરૂમની ખેતીની ભારે માગ છે અને સૌથી સારી વાત એ છે કે તેને ઓછા રોકાણ અને ઓછી જગ્યા સાથે શરૂ કરી શકાય છે. આ માટે તમે કોઈ પણ મશરૂમ ખેતી કેન્દ્ર અથવા સરકારી સંસ્થામાંથી મૂળભૂત તાલીમ લઈ શકો છો અને ઓછા સમયમાં સારો નફો મેળવી શકો છો. વિશ્વભરમાં, યુએસ, ચીન, ઇટાલી અને નેધરલેન્ડ્સ મશરૂમ્સના ટોચના ઉત્પાદકો છે. ભારતમાં ઉત્તર પ્રદેશ મશરૂમ્સનું મુખ્ય ઉત્પાદક છે, ત્યારબાદ ત્રિપુરા અને કેરળ આવે છે.

ઔષધીય ખેતી

કોરોના બાદ લોકોને આયુર્વેદનું મહત્વ સમજાયું છે. લોકો સમજવા લાગ્યા છે કે ઔષધીય વનસ્પતિઓ ઘણા રોગોના ઉપચારમાં કેવી રીતે મદદ કરી શકે છે. તેથી તમે તમારા ઘરના બગીચામાં કેટલાક સામાન્ય ઔષધીય છોડ ઉગાડવાનું શરૂ કરી શકો છો.

પશુપાલન હાલના સમયમાં જ્યારે તમામ ખાદ્ય ચીજોમાં કોઈને કોઈ ભેળસેળ કરવામાં આવે છે, ત્યારે તમે ગાય, ભેંસનું શુદ્ધ દૂધ વેચીને સારો નફો મેળવી શકો છો. તમે માત્ર 3-4 પશુઓ સાથે ડેરી વ્યવસાય શરૂ કરી શકો છો અને ધીરે ધીરે આ વ્યવસાયને વિસ્તૃત કરી શકો છો. આ સિવાય, તમે ગાયના છાણમાંથી ખાતર તૈયાર કરી શકો છો અથવા ગાયનું છાણ બનાવતી કંપનીઓને તે વેચી શકો છો.

વાંસની ખેતી

વાંસની ખેતી માટે તમારે ઓછામાં ઓછી 1-2 એકર જમીનની જરૂર પડશે. પરંતુ સારી વાત એ છે કે તમે વાંસ સરળતાથી ઉગાડી શકો છો. વાંસ સૂકા વિસ્તારોમાં પણ ઉગાડી શકાય છે. વાંસની ખેતી તમને ખૂબ જ ઓછા સમયમાં ઘણો નફો આપી શકે છે. તમે જથ્થાબંધ વેપારીઓ, વાંસ ફર્નિચર ફેક્ટરીઓ વગેરેને વાંસ વેચી શકો છો.

સાવરણી ઉત્પાદન

સાવરણીનો ઉપયોગ લગભગ તમામ ઘરોમાં સ્વચ્છતા માટે થાય છે, તેથી તે એક સદાબહાર વ્યવસાય છે. મકાઈના ભુસા, નાળિયેરના રેસા, પ્લાસ્ટિક અને કેટલાક ધાતુના વાયરમાંથી સાવરણીઓ બનાવી શકાય છે. ઉત્પાદન પ્રક્રિયા પણ ખૂબ સરળ છે અને તમે ખૂબ જ ઓછા રોકાણ સાથે આ વ્યવસાય શરૂ કરી શકો છો.

હાઇડ્રોપોનિક્સ સાધનોનો સ્ટોર

ભારતમાં હાઇડ્રોપોનિક્સ ધીમે ધીમે લોકપ્રિય બની રહ્યું છે. વધુને વધુ ખેડૂતો તેની તરફ આકર્ષાય છે. હાઇડ્રોપોનિક્સ બાગાયતનો એક પ્રકાર છે અને હાઇડ્રોકલ્ચરનું મિશ્રણ છે, જેમાં પાણીમાં ઓગળેલા ખનિજ પોષક દ્રવ્યોના દ્રાવણનો ઉપયોગ કરીને છોડ અથવા પાક જમીન વગર ઉગાડવામાં આવે છે. હાઇડ્રોપોનિક્સ બાલ્કની જેવી નાની જગ્યામાં કરી શકાય છે. છોડના પોષણ માટે જમીનનો ઉપયોગ કરવાને બદલે, પાકને પોષક તત્વોથી ભરપૂર પાણી આપવામાં આવે છે.

આ પણ વાંચો : એક એકર ખેતરમાં મળશે 100 એકરનું ઉત્પાદન, આ ટેકનિકથી કરી શકો છો કરોડોની કમાણી

આ પણ વાંચો : ખેડૂતોએ બાગાયતી પાકોમાં કયા ખેતી કાર્ય કરવા અને ફળ પાકમાં લેવાની કાળજીઓની માહિતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">