AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kusum Yojana: આ ખાસ યોજના છે ખેડૂતો માટે, વીજળી ઉત્પન્ન કરી મેળવી શકાય છે સારી કમાણી

ખેડૂતો તેમના ખેતરોમાં સોલાર પ્લાન્ટ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે અને જો વધુ હોય તો તેને ગ્રીડમાં મોકલીને સારી આવક પણ મેળવી શકે છે. જો તમે પણ ખેડૂત છો તો તમે આનો લાભ લઈ શકો છો.

PM Kusum Yojana: આ ખાસ યોજના છે ખેડૂતો માટે, વીજળી ઉત્પન્ન કરી મેળવી શકાય છે સારી કમાણી
Farmer (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 1:21 PM
Share

આજના આધુનિક યુગમાં ખેતી (Farming) કરવા માટે ખેડૂત(Farmers)ને વીજળી(Electricity)ની સાથે ખાતર, પાણી, ફળદ્રુપ જમીનની પણ જરૂર છે. હવે ખેતી પણ મશીન દ્વારા થાય છે અને મશીનો ચલાવવા માટે વીજળીની જરૂર પડે છે. વધતી માગ અને મોંઘી વીજળી માટે સરકારે સૌર ઊર્જા(Solar energy)ના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો છે.

આજકાલ વીજળીનો એટલો બધો વપરાશ થઈ રહ્યો છે કે એક જ વિકલ્પ છે કે આપણે સૌર ઉર્જા તરફ આગળ વધવું જોઈએ અને તેનો પણ વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. જેથી આપણા કુદરતી સંસાધનો પણ સુરક્ષિત રહે અને આપણી જરૂરિયાતો પણ પૂરી થાય. જેને ધ્યાનમાં રાખીને સરકારે ખેડૂતો માટે કુસુમ યોજના શરૂ કરી છે.

ખેડૂતોની આવક વધારવામાં પણ આ યોજના ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. ખેડૂતો તેમના ખેતરોમાં સોલાર પ્લાન્ટ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે અને જો વધુ હોય તો તેને ગ્રીડમાં મોકલીને સારી આવક પણ મેળવી શકે છે. જો તમે પણ ખેડૂત છો તો તમે આનો લાભ લઈ શકો છો.

કુસુમ યોજના શું છે

આ કુસુમ યોજનાને (PM Kusum Yojana),કિસાન ઉર્જા સુરક્ષા પણ કહેવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો અને ઈલેક્ટ્રીક કૃષિ મશીનોને વીજળી પર ચલાવવાને બદલે સૌર ઉર્જાથી ચલાવવા પર ભાર આપવાનો છે. આ યોજનામાં કુલ 25,750 મેગાવોટની સૌર ક્ષમતા ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ યોજનામાં, બેંક ખેડૂતોને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે 30 ટકા લોન આપશે અને સરકાર સૌર પંપની કુલ કિંમતના 60 ટકા સબસિડી તરીકે આપશે. જો કોઈ ખેડૂત પાસે પણ બંજર જમીન હોય તો તે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.

યોજના માટે મહત્વના દસ્તાવેજો

આધાર કાર્ડ બેંક પાસબુક આવક પ્રમાણપત્ર મોબાઇલ નંબર સરનામાનો પુરાવો પાસપોર્ટ સાઇઝનો ફોટો

ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

સૌપ્રથમ અરજદારે યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. વેબસાઈટના હોમ પેજ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનનો વિકલ્પ દેખાશે. ફોર્મ ખોલ્યા પછી નામ, સરનામું, આધાર નંબર અને મોબાઈલ નંબર વગેરે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે. બધી માહિતી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો. તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને થોડા દિવસોમાં તમારી જગ્યાએ સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે.

આ પણ વાંચો: ઈસ્લામ છોડી વસીમ રિઝવી બન્યા જિતેન્દ્ર નારાયણ ત્યાગી, યતિ નરસિંહાનંદે ગ્રહણ કરાવ્યો સનાતન ધર્મ

આ પણ વાંચો: અદ્ભૂત સંગમ: જંગલમાં અચાનક સિંહણ આવી સામે, 7 વર્ષ જૂના ઉપકારનો બદલો સિંહણે આ રીતે ચૂકવ્યો !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">