AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સમયસર લોન ચૂકવવા પર ખેડૂતોને થશે ફાયદો, આ રાજ્યની સરકાર આપશે વ્યાજમાં 50% ની સહાય

ઘણી વખત ખેડૂતો કૃષિ કામ માટે લોન લેવા માંગે છે પરંતુ ઉંચા વ્યાજ દરને કારણે તેઓ તે લઈ શકતા નથી. તેમની સમસ્યાને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

સમયસર લોન ચૂકવવા પર ખેડૂતોને થશે ફાયદો, આ રાજ્યની સરકાર આપશે વ્યાજમાં 50% ની સહાય
Agriculture Loan
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 5:12 PM
Share

રાજસ્થાન સરકાર એવા ખેડૂતો (Farmers) માટે ભેટ લઈને આવી છે જેમણે વિકાસ બેંકોમાંથી લોન (Bank Loan) લીધી છે. લાંબા ગાળાની કૃષિ લોન લેનારા ખેડૂતો માટે પાંચ ટકા વ્યાજ (Interest Rate) સબસિડીની યોજના અમલમાં મુકવામાં આવી છે.

હવે જે ખેડૂતો લોનની રકમ સમયસર ચૂકવે છે તેમને પાંચ ટકાના દરે લોન મળશે. સહકારી મંત્રી ઉદયલાલ અંજનાએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ યોજના 31 માર્ચ 2022 સુધી લાગુ રહેશે.

યોજના 1, એપ્રિલ 2021 થી અમલી

સહકાર મંત્રી ઉદયલાલ આંજણાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે વ્યાજનો આ દર સૌથી ઓછો છે. ઘણી વખત ખેડૂતો કૃષિ કામ માટે લોન લેવા માંગે છે પરંતુ ઉંચા વ્યાજ દરને કારણે તેઓ તે લઈ શકતા નથી. તેમની સમસ્યાને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના આદેશ બાદ આ યોજના 1 એપ્રિલ 2021 થી લાગુ કરવામાં આવી છે.

1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2022 ની વચ્ચે લોન લેનાર તમામ ખેડૂતોને તેનો લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લાંબા ગાળાની કૃષિ લોન 10 ટકાના વ્યાજ દરે ઉપલબ્ધ હોવા છતાં, સમયસર લોન ચૂકવનારા ખેડૂતોને 5 ટકાની સહાય આપવામાં આવી છે અને આગળ પણ આપવામાં આવશે.

રાજ્ય સરકાર અલગથી કૃષિ બજેટ રજૂ કરશે

કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે રાજસ્થાન સરકાર સતત પગલાં લઈ રહી છે. બુધવારે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, આગામી વર્ષથી રાજ્ય સરકાર અલગ કૃષિ બજેટ રજૂ કરશે. તેમણે એમ પણ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોને સસ્તા દરે વીજળી પૂરી પાડે છે અને ખેડૂતોને કૃષિ કાર્ય માટે માત્ર 90 પૈસા પ્રતિ યુનિટના દરે વીજળી આપવામાં આવી રહી છે.

રાજસ્થાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વ્યાજ સહાયની યોજના જો ગુજરાતમાંં પણ લાગુ કરવામાં આવે છે તો ગુજરાતના અનેક ખેડૂતોને તેનો લાભ મળશે. દર વર્ષે ઉદ્દભવતી દુષ્કાળ અને અતિવૃષ્ટી જેવી પરિસ્થિતિઓથી થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટે આ પ્રકારની લોનથી ખેડૂતોને રાહત મળી શકે છે.

આ પણ વાંચો : Success Story : માઈક્રોસોફ્ટની 80 લાખ રૂપિયાની નોકરી છોડી ખેતી શરૂ કરી, ફૂલોની ખેતીથી કરે છે અઢળક કમાણી

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, આ રેપર ફળોને ઝડપથી બગડતા અટકાવશે અને ફળોની સેલ્ફ લાઈફ વધશે

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">