Success Story: ભાડાની જમીન પર કરી ફૂલની ખેતી, હવે આ પ્રદેશના પહેલા ફ્લાવર બ્રાન્ડ એમ્બેસેડર છે આ ખેડૂત

પ્રથમ ફ્લાવર એમ્બેસેડર બનેલા ખેડૂતે જણાવ્યું કે તેમણે લગભગ 20 વર્ષ પહેલા ભાડા પર જમીન લઈને ફ્લોરીકલ્ચરનો બિઝનેસ શરૂ કર્યો હતો. જાણો પ્રગતિશીલ ખેડૂતની સફળ કહાની.

Success Story: ભાડાની જમીન પર કરી ફૂલની ખેતી, હવે આ પ્રદેશના પહેલા ફ્લાવર બ્રાન્ડ એમ્બેસેડર છે આ ખેડૂત
Progressive farmer Sunil Kumar (PC: Social Media Platform )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 3:03 PM

બિલાસપુર જિલ્લાના ઋષિકેશના રહેવાસી પ્રગતિશીલ ખેડૂત સુનીલ કુમાર હિમાચલ પ્રદેશ સરકારના પ્રથમ ફૂલ એમ્બેસેડર (First Flower Ambassador) ખેડૂત (Farmer) તરીકે પસંદગી પામ્યા છે. પોતાની જમીન ન હોવા છતાં અન્ય લોકો પાસેથી ભાડે જમીન લઈને આ વ્યવસાય શરૂ કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

કૃષિ અને બાગાયત ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો માટે ખુશીની વાત છે કે હવે સરકારે આ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ખેડૂતો અને માળીઓનું સન્માન કરીને બેરોજગાર યુવાનોને આ ક્ષેત્ર તરફ આકર્ષવા પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે.

બિલાસપુર જિલ્લા માટે ગૌરવની વાત છે કે બિલાસપુરના ખેડૂતને રાજ્યના પ્રથમ ફૂલ એમ્બેસેડર ખેડૂત (Progressive farmer)નું બિરુદ મળ્યું છે. હિમાચલ પ્રદેશ સરકારના પ્રથમ ફ્લાવર એમ્બેસેડર ખેડૂત સુનિલ કુમારે (Sunil Kumar) જણાવ્યું કે તેમણે લગભગ 20 વર્ષ પહેલા ગ્રામ પંચાયત બલોહના સાંગાસવી ગામમાં ભાડા પર જમીન લઈને 1000 ચોરસ મીટરનું ગ્રીનહાઉસ લગાવીને ફ્લોરીકલ્ચરનો વ્યવસાય શરૂ કર્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ત્યાર બાદ તેમણે ઘુમરવિનમાં ભાડા પર જમીન લીધી અને ત્યાં ત્રણ હજાર ચોરસ મીટરનું ગ્રીન હાઉસ બનાવીને લગભગ દસ વર્ષ સુધી ફૂલોની ખેતી કરી. હાલમાં હિમાચલ પ્રદેશની પુષ્પ ક્રાંતિ યોજના હેઠળ ઔહર પંચાયતના કાસેહ ગામમાં ભાડા પર જમીન લઈને 7 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગ્રીનહાઉસ તૈયાર કરવામાં આવ્યા છે.

તેઓ અનુસાર તેમના પત્ની મીના કુમારી આ કામમાં મદદ કરે છે, તેમણે અન્ય આઠ લોકોને પણ રોજગારી આપીને નોકરી અપાવી છે. તેમાંથી ત્રણ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફ્લોરીકલ્ચર (Floriculture) તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય પાક કાર્નેશન છે, પરંતુ આ સિવાય લિમોનિયમ અને જીપ્સોફિલાનું પણ વાવેતર કરવામાં આવ્યું છે.

કાર્નેશનના પ્રથમ કટિંગનું ઉદઘાટન ગયા મહિને કૃષિ યુનિવર્સિટી, પાલમપુરના વાઇસ ચાન્સેલર ડૉ. હરિન્દર કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. સુનીલ કુમારે કહ્યું કે તેમની મહેનત જોઈને હિમાચલ પ્રદેશ સરકારે તેમને 28મી ડિસેમ્બર 2021ના રોજ પાલમપુર કૃષિ યુનિવર્સિટીમાં હિમાચલ પ્રદેશ પૂર્ણ રાજત્વ સુવર્ણ જયંતિના અવસર પર ઉન્નત અને પ્રેરણા સ્રોત કૃષિદૂત સન્માન પુરસ્કારથી સન્માનિત કર્યા.

તાજેતરમાં જ, હિમાચલ પ્રદેશનું પ્રથમ ફૂલ બજાર જે પરવાણુમાં ખુલ્યું હતું, તેમાં સુનિલ કુમારને હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા કૃષિ મંત્રી વીરેન્દ્ર કંવર દ્વારા ફૂલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠતા પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં સુનીલ કુમાર ગ્રોવર ફ્લાવર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં હિમાચલનું પણ નેતૃત્વ કરી રહ્યા છે.

આ પણ વાંચો: સરસવના પાક માટે કૃષિ વૈજ્ઞાનિકોએ જાહેર કરી એડવાઈઝરી, ખેડૂતો આ બાબતોનું રાખે ધ્યાન

આ પણ વાંચો: Viral Video: પિતા પુત્રીના આ સુંદર વીડિયો પર લોકોએ ખુબ વરસાવ્યો પ્રેમ, જુઓ આ ક્યુટ વીડિયો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">