AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : આ 5 છોડ ઘરમાં લગાવવાથી મળશે અસ્થમામાં રાહત, જાણો શું કે છે નિષ્ણાતો!

અમુક છોડ અસ્થમાના દર્દીઓને રાહત આપી શકે છે. સ્પાઈડર પ્લાન્ટ, એરેકા પામ અને પીસ લિલી હવાને શુદ્ધ કરે છે. આ છોડ અસ્થમાના લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે.

Health Tips : આ 5 છોડ ઘરમાં લગાવવાથી મળશે અસ્થમામાં રાહત, જાણો શું કે છે નિષ્ણાતો!
Plants for Relief AsthmaImage Credit source: Whisk
| Updated on: May 06, 2026 | 2:24 PM
Share

અસ્થમા એ વિશ્વભરમાં સૌથી ઝડપથી ફેલાતા રોગોમાંનો એક છે. દર વર્ષે લાખો લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અસ્થમાં થવા પાછલ પ્રદૂષિત હવા અને એલર્જી આ મુખ્ય કારણો હોઈ શકે છે. આ રોગથી સંપૂર્ણપણે છુટકારો મેળવવો મુશ્કેલ છે. પરંતુ નિષ્ણાતો માને છે કે ઘરની અંદર અમુક છોડ વાવવાથી અસ્થમાના દર્દીઓને નોંધપાત્ર રાહત મળી શકે છે. આ છોડ માત્ર હવાને શુદ્ધ જ નહીં પણ ભેજ જાળવી રાખે છે અને શ્વાસ લેવામાં પણ સરળતા આપી શકે છે.

સ્પાઈડર પ્લાન્ટ

સ્પાઈડર પ્લાન્ટ હવામાં હાજર ઝેરી તત્વોને ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવે છે. સંશોધન દર્શાવે છે કે તે વાતાવરણમાંથી ફોર્માલ્ડિહાઇડ જેવા 95% જેટલા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ અસ્થમા અને એલર્જીના દર્દીઓને રાહત આપી શકે છે.

એરેકા પામ

એરેકા પામને કુદરતી હ્યુમિડિફાયર કહેવામાં આવે છે. જો સૂકી હવાને કારણે દર્દીની સ્થિતિ વધુ ખરાબ થાય છે, તો ઘરમાં એરેકા પામ રોપવાથી ફાયદો થઈ શકે છે. આ છોડ હવામાં ભેજ જાળવી રાખે છે અને ઓક્સિજનનું સ્તર વધારી શકે છે.

સ્નેક પ્લાન્ટ

સ્નેક પ્લાન્ટને ઓક્સિજન ફેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તે રાત્રે ઓક્સિજન છોડે છે. વધુમાં તે બેન્ઝીન, ફોર્માલ્ડીહાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી તત્વોને શોષીને ઘરને શુદ્ધ કરી શકે છે.

વાંસ

આ છોડ ઘરને તાજગીથી ભરી દે છે. આ ધીમી ગતિએ ઉગતો છોડ છે. તે હવાને શુદ્ધિકરણ કરે છે. તેને ઘરની સજાવટ અને અસ્થમાના દર્દીઓ માટે એક ઉત્તમ ઉમેરો તરીકે માનવામાં આવે છે.

પીસ લીલી

પીસ લીલી જે ઓછા પ્રકાશમાં પણ સરળતાથી ઉગી શકે છે. તે હવામાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. નિષ્ણાતોના મતે, જો કે તેના પાંદડા ઝેરી હોઈ શકે છે. તેથી તેને બાળકો અને પાલતુ પ્રાણીઓથી દૂર રાખવા જોઈએ.

નિષ્ણાતો શું કહે છે?

નિષ્ણાતો માને છે કે યોગ્ય ઇન્ડોર છોડ પસંદ કરવાથી અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક બની શકે છે. લીલા છોડ હવામાંથી ઝેરી તત્વો અને ધૂળ શોષી લે છે. જેનાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Health Tips: બ્રાઉન શુગર ખરેખર સફેદ ખાંડથી સારી છે? જાણો હકીકત અને ગેરસમજ

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
g clip-path="url(#clip0_868_265)">