PM Kisan: eKYC ની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવાઈ, OTP નહિ પણ આધાર સાથે પ્રક્રિયા પૂર્ણ થશે

PM Kisan Scheme: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આધાર OTP દ્વારા ઇ-કેવાયસીની પ્રક્રિયાને હાલ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. હવે ખેડૂતો આ કામ માત્ર આધાર બાયોમેટ્રિક દ્વારા જ કરાવી શકશે.

PM Kisan: eKYC ની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવાઈ, OTP નહિ પણ આધાર સાથે પ્રક્રિયા પૂર્ણ થશે
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 4:56 PM

દેશના 12 કરોડ ખેડૂતો (Farmers) માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi) હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે ઇ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે છેલ્લી તારીખ બીજી વખત વધારવામાં આવી છે. 11મા હપતાની (PM Kisan 11th Installment) રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આધાર OTP દ્વારા ઇ-કેવાયસીની પ્રક્રિયાને હાલ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

હવે ખેડૂતો આ કામ માત્ર આધાર બાયોમેટ્રિક દ્વારા જ કરાવી શકશે. PM કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો નજીકના CSC કેન્દ્ર પર જઈને આધાર બાયોમેટ્રિક દ્વારા e-KYC કરાવી શકે છે.

છેલ્લી તારીખ બીજી વખત લંબાવવામાં આવી

થોડા સમય પહેલા ખેડૂતો આધારમાં આપેલા મોબાઈલ નંબર પર મળતા OTP દ્વારા પણ ઈ-કેવાયસી કરાવી શકતા હતા, પરંતુ સરકારે તેને રોકી દીધું છે. હવે ખેડૂતોએ સીએસસી સેન્ટરની મુલાકાત લેવી પડશે અને બાયોમેટ્રિક દ્વારા ઇ-કેવાયસી કરાવવું પડશે. કૃષિ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 10 એપ્રિલ, 2022 સુધી 50 લાખથી વધુ ખેડૂતોએ CSC સેન્ટર દ્વારા ઇ-KYC અપડેટ કરાવ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પીએમ કિસાન યોજના હેઠળ લગભગ 12 કરોડ ખેડૂતો નોંધાયેલા છે. અત્યાર સુધી મોટી સંખ્યામાં ખેડૂતો e-KYC અપડેટ કરી શક્યા નથી. આ જ કારણ છે કે પ્રથમ વખત છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 22 મે કરવામાં આવી હતી, જેને ફરી એકવાર લંબાવવામાં આવી છે. હવે ખેડૂતો 31 મે 2022 સુધીમાં ઈ-કેવાયસી કરાવી શકશે.

ખેડૂતો 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, નોંધાયેલા ખેડૂતોને બે હજાર રૂપિયાના સમાન ત્રણ હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજના પર થતા ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે અને બજેટમાં આ માટે કૃષિ મંત્રાલયને અલગ ફંડ બહાર પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે 10 હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં 1.82 લાખ કરોડ રૂપિયા મોકલ્યા છે. લગભગ 12 કરોડ ખેડૂતો 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Success Story: લો બોલો જમીનની નીચે નહીં પણ હવામાં બટાકાની ખેતી ! સુરતના આ વ્યક્તિએ કરી કમાલ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">