ખેડૂતો માટે મોટા સમાચાર! સરકાર જંતુનાશક દવાઓ પર વધારી શકે છે સબસિડી
Pesticide Subsidy: ખેડૂતોને સબસિડી આપવાની યોજના હેઠળ બાગાયત વિભાગ તેના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સૂચન બાદ તૈયાર કરવામાં આવેલી યોજનામાં સબસિડીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અંગે વિચારણા કરશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો(Farmers)ને શક્ય તમામ મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહી છે. તે ખેડૂતો અને કૃષિ (Agriculture)ના વિકાસ માટે યોજનાઓ ચલાવી રહી છે. જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ખેડૂતોને નાણાકીય અને તકનીકી સહાય આપવામાં આવી રહી છે, જેથી તેઓ ઉત્પાદનમાં વધારો કરી શકે અને તેમની આવકમાં વધારો થઈ શકે. આ અંતર્ગત સરકાર ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર લઈને આવી છે. સમાચાર એ છે કે સરકાર જંતુનાશકો પર સબસિડી (Pesticide Subsidy)વધારવાની યોજના પર વિચાર કરી શકે છે. આ પહેલ હિમાચલ પ્રદેશના બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, જેના હેઠળ ખેડૂતો જંતુનાશકોની ખરીદી પર ડીબીટી (DBT) દ્વારા સબસિડી યોજનાનો લાભ મેળવી શકે છે.
ખેડૂતોને સબસિડી આપવાની યોજના હેઠળ બાગાયત વિભાગ તેના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સૂચન બાદ તૈયાર કરવામાં આવેલી યોજનામાં સબસિડીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અંગે વિચારણા કરશે. નોંધનીય છે કે આ યોજના ગયા વર્ષે પણ લાગુ કરવામાં આવી હતી, પરંતુ આ યોજનાને લઈને ફળ ઉત્પાદકો તરફથી કોઈ સારો પ્રતિસાદ મળ્યો ન હતો. કારણ કે આ અંતર્ગત રાજ્યભરની દુકાનોમાં સબસિડી પર જંતુનાશક દવાઓના સીધા વેચાણના નિયમોમાં કૃષિ અધિકારીઓ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે વિભાગ ફરીથી સરકારને આ ફેરફારોની ભલામણ કરી રહ્યું છે.
સફરજન અને નાશપતીના ખેડૂતોને પ્રતિ હેક્ટર 4000 મળશે
મીડિયા અહેવાલો અનુસાર રાજ્યના બાગાયત નિર્દેશક આરકે પ્રુતિએ કહ્યું કે અમે યોજનાની સમીક્ષા કરી રહ્યા છીએ કારણ કે તેમાં કોઈ રસ દાખવી રહ્યું નથી. બાગવાનીના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં નવી યોજના તૈયાર કરીને સરકારને સોંપવામાં આવશે. યોજના મુજબ સફરજન અને નાશપતી જેવા સમશીતોષ્ણ ફળો ઉગાડતા ખેડૂતો પ્રતિ હેક્ટર રૂ. 4,000ની સબસિડીને પાત્ર બનશે અને કેરી અને જામફળ જેવા ઉપ-ઉષ્ણકટિબંધીય ફળોની ખેતી કરતા ખેડૂતો પ્રતિ હેક્ટર રૂ. 2,000ની સબસિડી માટે પાત્ર બનશે. જો કે, સબસિડી મેળવવા માટે તેઓએ પોર્ટલ પર તેમની જમીનના દસ્તાવેજો પણ અપલોડ કરવાના રહેશે.
વિભાગ જૂની યોજના લાગુ કરવાના મૂડમાં નથી
એવા પણ સમાચાર છે કે ખેડૂતો ડીબીટી યોજના રદ કરીને જૂની સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં વિભાગ ફરીથી જૂની યોજના લાગુ કરવાના મૂડમાં નથી. વિભાગનું કહેવું છે કે અમે કાર્યક્રમમાં સુધારો કરવા અને તેને વધુ ઉત્પાદક-મૈત્રીપૂર્ણ બનાવવા માંગીએ છીએ. તેથી તમામ ઉત્પાદકોને ઉદ્યાન કાર્ડ બનાવવા અને તેને ડિજીટલ કરવા માટે કહેવામાં આવ્યું છે. બાગાયતના એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે પણ ઉદ્યાન કાર્ડ ડિજિટલીકરણ બાદ તમામ વિભાગથી સબસિડી અથવા વિભાગમાંથી અન્ય લાભોનો દાવો કરવા માટે હવે બહુવિધ દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર રહેશે નહીં.