AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Price: ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદવામાં આવતા ખેડૂતોમાં રોષ, સરકાર સામે આંદોલનની આપી ચીમકી

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટામેટાની જેમ ડુંગળીના ભાવ પણ વધી રહ્યા છે. 20-25 રૂપિયે કિલો મળતી ડુંગળી છૂટક બજારમાં 40-45 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર ડ્યૂટીમાં 40% નો વધારો કર્યો છે.

Onion Price: ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદવામાં આવતા ખેડૂતોમાં રોષ, સરકાર સામે આંદોલનની આપી ચીમકી
Onion Framing
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 7:04 PM
Share

કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા ભાવ (Onion Price) પર બ્રેક લગાવવાની તૈયારી કરી લીધી છે. આ માટે તે ઝડપથી નિર્ણયો લઈ રહી છે. સૌથી પહેલા ખુલ્લા બજારમાં બફર સ્ટોકમાંથી 3 લાખ ટન ડુંગળી જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ડુંગળીની નિકાસ (Onion Export) પર 40% ડ્યુટી લાદવામાં આવી હતી. જો કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયોને કારણે ડુંગળી ઉત્પાદક ખેડૂતોમાં રોષ ફેલાયો છે. તેઓએ સરકાર સામે મોરચો ખોલ્યો છે.

ખેડૂતોએ સરકાર સામે આંદોલન કરવાની ચીમકી આપી

મહારાષ્ટ્રના ખેડૂતોએ સરકારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની વિનંતી કરી છે. જો તેમ કરવામાં નહીં આવે તો ખેડૂતોએ સરકાર સામે દેશવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી છે. ડુંગળી ઉત્પાદક સંગઠનોએ કહ્યું કે, સરકારે આયાત ડ્યુટી લાગુ કરવા માટે લઘુત્તમ કિંમતની જાહેરાત કરવી જોઈએ. આ માટે હોર્ટિકલ્ચર પ્રોડ્યુસ એક્સપોર્ટર્સ એસોસિએશન (HPEA) એ કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો છે.

HPEAએ કહ્યું છે કે 40% આયાત જકાત લાદવાથી ડુંગળીની નિકાસ પર મોટી અસર પડશે. તેના કારણે ડુંગળીની નિકાસમાં ઘટાડો થશે, જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થશે. આવી સ્થિતિમાં સરકારે ડુંગળીની લઘુત્તમ કિંમત નક્કી કરવી જોઈએ.

ડુંગળીની નિકાસ પર ડ્યૂટીમાં 40% નો વધારો

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટામેટાની જેમ ડુંગળીના ભાવ પણ વધી રહ્યા છે. 20-25 રૂપિયે કિલો મળતી ડુંગળી છૂટક બજારમાં 40-45 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. તેનાથી સરકાર પર મોંઘવારી અંગે દબાણ વધ્યું છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર ડ્યૂટીમાં 40% નો વધારો કર્યો છે.

ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા

સરકારે ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લાદવાની જાહેરાત કર્યા બાદ ભાવ થોડા નીચે આવ્યા છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. તેથી ખેડૂતોમાં સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં રોષે ભરાયેલા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. બીજી તરફ કેન્દ્રના આ નિર્ણયના વિરોધમાં સોમવારે નાશિકના ડુંગળીના વેપારીઓએ મંડીઓમાં પોતાની દુકાનો બંધ રાખી હતી. ખેડૂતો રોષે ભરાયા અને તેમણે સામાન્ય ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ વોટ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : Vegetable Price: આવતા મહિનાથી શાકભાજીના ભાવમાં થશે ઘટાડો, જાણો શું છે કારણ

ડુંગળીના કારણે ભાજપને કેન્દ્રમાં પણ સત્તા ગુમાવવી પડી હતી. ત્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. તે દરમિયાન ડુંગળી 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. તેથી કોંગ્રેસે સામાન્ય ચૂંટણી દરમિયાન તેને મુદ્દો બનાવ્યો હતો, જેના કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">