AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નો માસ્ક નો વેજીટેબલ, આ શાક માર્કેટના વેપારીઓએ કર્યો મોટો નિર્ણય

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો ખતરો સતત વધી રહ્યો છે. જેને જોતા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુંબઈના શાકભાજીના વેપારીઓએ એક અનોખી પહેલ કરી છે. માર્કેટમાં આવનાર માસ્ક ન પહેરેલા વ્યક્તિને શાકભાજી ન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

નો માસ્ક નો વેજીટેબલ, આ શાક માર્કેટના વેપારીઓએ કર્યો મોટો નિર્ણય
No mask no vegetable
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 7:49 AM
Share

મહારાષ્ટ્ર (Maharashtra)માં ઓમિક્રોનના કેસ (Omicron case)માં સતત વધારો થઈ રહ્યો છે જેને જોતા રાજ્ય સરકારે ઘણા નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે. મુંબઈ (Mumbai)ના ભાયખલા શાક માર્કેટના વેપારીઓએ એક અનોખી પહેલ શરૂ કરી છે. શાકભાજી વિક્રેતાઓએ મુંબઈના ભાયખલા સ્થિત શાકભાજી માર્કેટ (Vegetable market)માં દુકાનોની બહાર નો માસ્ક નો વેજીટેબલ (No mask no vegetable)ના પ્લેકાર્ડ લટકાવી દીધા છે.

આ શાકમાર્કેટમાં દરરોજ હજારોની સંખ્યામાં ભીડ જામે છે.આ ભાયખલા શાકમાર્કેટના જથ્થાબંધ વેપારીઓ કે જેઓ નાના છૂટક વેપારીઓને શાકભાજી વેચે છે તેઓએ આવો નિર્ણય લીધો છે.આ શાકમાર્કેટ (Vegetable trader)માં સવારના 5 થી બપોરે 12 વાગ્યા સુધી ભીડ જોવા મળે છે. આવી સ્થિતિમાં રોગચાળો વધુ ફેલાવાનો ભય છે.તેને ધ્યાનમાં રાખીને શાકભાજી વેપારી એસોસિએશને માસ્ક વિના આવતા લોકોને શાકભાજી નહીં આપવાનો નિર્ણય લીધો છે.આ શાક માર્કેટ લગભગ 160 વર્ષ જૂનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. .

વેપારીઓનું શું કહેવું છે

ભાયખલા શાકમાર્કેટ એ પહેલું શાક માર્કેટ છે જેણે આવી પહેલ શરૂ કરી છે. તો એ જ માર્કેટના વેપારીઓનું કહેવું છે કે અમે સૌપ્રથમ માર્કેટનો સર્વે કર્યો અને જોયું કે માસ્ક વગરના લોકો માર્કેટમાં આવી રહ્યા છે. તેમાં વધારો થઈ રહ્યો છે.

ગ્રાહકોનું શું કહેવું છે

ભાયખલા શાકમાર્કેટમાં આવેલા ગ્રાહકોએ જણાવ્યું કે, આ એકદમ સંપૂર્ણ શાકમાર્કેટ છે. લોકો દૂર-દૂરથી શાકભાજી લેવા આવે છે, જેના કારણે સૌથી વધુ ભીડ જોવા મળે છે. ઓમીક્રોનના જોખમને જોતા વેપારીઓએ માસ્ક વિનાના લોકોને શાકભાજી ન આપવાનો નિર્ણય લીધો છે, આ સાથે અમે ગ્રાહકો સંપૂર્ણપણે સંમત છીએ, તેથી કેટલાક ગ્રાહકોનું પણ એવું જ કહેવું છે. આવી પહેલ દરેક શાક માર્કેટમાં થવી જોઈએ.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ

ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી રાજ્યમાં ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે. ઓમિક્રોનના ખતરાને જોતા રાજ્ય સરકારોએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને તમામ નિયંત્રણો લાગુ કર્યા છે. મહારાષ્ટ્રમાં BMCએ ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. બજારમાં શાકભાજી ખરીદનારા લોકો પણ શાકભાજી વિક્રેતાઓની આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો: Technology: ભારતમાં 5G ટ્રાયલને લઈ આવ્યા મોટા સમાચાર, આ શહેરોથી થશે ટેસ્ટિંગની પહેલી શરૂઆત

આ પણ વાંચો: Viral: જુગાડ રિક્શા ચલાવતા દિવ્યાંગથી પ્રભાવિત થયા આનંદ મહિન્દ્રા, આપી જોબની ઓફર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">