Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: મળવા પાત્ર ન હોય તેવા ખેડૂતોને મળ્યા 4350 કરોડ રૂપિયા, કેન્દ્ર સરકારે વસૂલવા માટે જાહેર કરી એડવાઈઝરી

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં જણાવ્યું કે અપાત્ર ખેડૂતોને 4352.49 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ રકમના 2 ટકા છે.

PM Kisan: મળવા પાત્ર ન હોય તેવા ખેડૂતોને મળ્યા 4350 કરોડ રૂપિયા, કેન્દ્ર સરકારે વસૂલવા માટે જાહેર કરી એડવાઈઝરી
Symbolic Image (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 12:17 PM

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે (Agriculture Ministry)જણાવ્યું છે કે ઘણા અપાત્ર ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi Scheme)નો લાભ લઈ રહ્યા છે. આવા ખેડૂતો પાસેથી વસૂલાત માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા સંસદ(Parliament)માં આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે અપાત્ર ખેડૂતોને 4350 કરોડ રૂપિયાથી વધુ રકમ મળી છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 296 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં જણાવ્યું કે અપાત્ર ખેડૂતોને 4352.49 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ રકમના 2 ટકા છે. સરકારે અપાત્ર ખેડૂતો પાસેથી વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી છે અને અત્યાર સુધીમાં રૂ. 296.67 કરોડની વસૂલાત કરવામાં આવી છે.

આ લોકો છે PM Kisan માટે અપાત્ર

પીએમ કિસાન યોજના હેઠળ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના મંત્રાલયો, કાર્યાલયો અને વિભાગોમાં સેવા આપતા અથવા નિવૃત્ત કર્મચારીઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. આ સિવાય આવકવેરા ભરનારને આ યોજનાનો લાભ નહીં મળે. જ્યારે વર્તમાન કે પૂર્વ મંત્રી, મેયર કે જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, એમએલસી અને બંને ગૃહોના સાંસદ પીએમ કિસાન માટે લાયક નથી. ત્યારે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, આર્કિટેક્ટ અને સીએ જેવા વ્યાવસાયિકોને પણ આ યોજના માટે અયોગ્ય ગણવામાં આવ્યા છે.

જો કે, આધારથી પ્રમાણીકરણ હોવા છતાં, ઘણા અપાત્ર ખેડૂતો યોજનાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આ યોજનાનો લાભ પરિવારના એક જ સભ્યને લેવાની જોગવાઈ છે, જ્યારે આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પતિ અને પત્ની બંને પીએમ કિસાન હેઠળ નોંધાયેલા છે અને હપ્તા મેળવી રહ્યા છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે પતિ-પત્ની બંનેના નામે ભલે જમીન હોય, પરંતુ કોઈ એકને જ યોજનાનો લાભ મળશે.

IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?

ત્રણ હપ્તામાં ખેડૂતોને મળે છે 6000 રૂપિયા

ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 2019માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. દર વર્ષે ખેડૂતોને 2000 હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ સંપૂર્ણપણે કેન્દ્રીય યોજના છે અને તમામ ખર્ચ કેન્દ્રીય બજેટમાંથી ફાળવવામાં આવે છે. જો કે, કોણ ખેડૂત છે અને કોણ નથી તે નક્કી કરવાની જવાબદારી રાજ્યોની છે.

આ પણ વાંચો: WhatsApp Updates: હવે દરેક મેસેજનો ટાઈપ કરી નહીં આપવો પડે જવાબ, આવ્યું ઈમોજી રિએક્શન, જાણો કોણ કરી શકશે ઉપયોગ

આ પણ વાંચો: Jio ની પેટાકંપની બદલશે ખેતીની તસ્વીર, લોન્ચ કર્યું ઓપરેશન પ્લેટફોર્મ ‘સ્કાયડેક’

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">