AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો માટે કામની વાત, ગાયના છાણમાંથી બનાવો આ સરળ પદ્ધતિથી જૈવિક ખાતર

ખેડૂતોને પાકનું ઉત્પાદન સારૂ મળે તેના માટે જમીન, સિંચાઈ, આબોહવા વગેરે જેવા પરિબળો ભાગ ભજવે છે. સાથે જે તે પાક માટે ખાતર પણ અગત્યની બાબત છે.

ખેડૂતો માટે કામની વાત, ગાયના છાણમાંથી બનાવો આ સરળ પદ્ધતિથી જૈવિક ખાતર
ગાયના છાણમાંથી બનાવો આ સરળ પદ્ધતિથી જૈવિક ખાતર
| Updated on: Jun 14, 2021 | 12:34 PM
Share

ખેડૂતોને (Farmers) પાકનું ઉત્પાદન સારૂ મળે તેના માટે જમીન, સિંચાઈ, આબોહવા વગેરે જેવા પરિબળો ભાગ ભજવે છે. સાથે જે તે પાક માટે ખાતર પણ અગત્યની બાબત છે. સામાન્ય રીતે, ખેડૂતો રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ કરે છે, પરંતુ રાસાયણિક ખાતરોની પણ કેટલીક હાનિકારક અસરો થાય છે. આવી સ્થિતિમાં, કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક ખાતરના (Organic Compost) ઉપયોગ માટે આગ્રહ રાખે છે.

રાસાયણિક ખાતરો માટે ખેડૂતોને નાણાં ખર્ચવા પડે છે, જ્યારે જૈવિક ખાતરો સસ્તા હોય છે અને તેને જાતે તૈયાર પણ કરી શકાય છે. સજીવ ખાતરો ખેતરોની જમીન માટે પણ હાનિકારક નથી. તે ખાતર ગાય, ભેંસ વગેરેના છાણમાંથી બનાવી શકાય છે.

જૈવિક ખાતર બનાવવા માટેની સામગ્રી

ગાય કે ભેંસનું છાણ

ગૌમૂત્ર

ગોળ

માટી

સડેલી દાળ વગેરે

સજીવ ખાતર કેવી રીતે તૈયાર કરવું?

1. એક પ્લાસ્ટિકનો ડ્રમ લો, તેમાં ગાય કે ભેંસનું છાણ નાખો.

2. હવે તેમાં ગૌમૂત્ર મિક્સ કરો અને ત્યારબાદ તેમાં ગોળ નાખો.

3. તેમાં કઠોળ વગેરે ઉમેરો અને મિક્સ કરો. આ મિશ્રણને 1 કિલો માટીમાં ભેળવી દો.

સજીવ ખાતર બનાવવા માટે યોગ્ય માત્રામાં તત્વોનું મિશ્રણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૃષિ તજજ્ઞો જણાવે છે કે ખાતર બનાવવા માટે, 10 કિલો ગાયનું છાણ, 10 લિટર ગૌમૂત્ર, એક કિલો શાખા, એક કિલો ગોળને મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું જોઈએ.

બધી સામગ્રીને હાથથી પણ મિશ્રિત કરી શકો છો અથવા તમે લાકડીની મદદ લઈ શકો છો. મિશ્રણ યોગ્ય રીતે બનાવ્યા બાદ તેમાં એક થી બે લિટર પાણી નાખો. હવે આ મિશ્રણને 20 દિવસ ઢાંકીને રાખો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

1. ધ્યાન રાખો કે આ પ્લાસ્ટિકના ડ્રમ પર સૂર્ય પ્રકાશ ન આવે તે રીતે છાયામાં રાખો.

2. સારુ ખાતર તૈયાર કરવા માટે, દરરોજ એકવાર તેને હલાવતા રહો.

3. 20 દિવસ પછી આ જૈવિક ખાતર તૈયાર થઈ જશે.

4. ખાતરમાં જોવા મળતા સુક્ષ્મસજીવો ખૂબ જ ફાયદાકારક છે.

ખાતરમાં સુક્ષ્મજીવો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે ખેતરની જમીનના આરોગ્ય માટે ફાયદાકારક છે. આ જૈવિક ખાતરથી પાક ઝડપથી વિકસે છે અને મૂળિયાઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં આર્યન મળે છે. તે છોડના મૂળને નાઇટ્રોજન પણ આપે છે. આ સિવાય તે છોડના મૂળમાં કેલ્શિયમની યોગ્ય માત્રા પણ જાળવી રાખે છે.

વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
g clip-path="url(#clip0_868_265)">