તમે લાવેલા લીલા શાકભાજીમાં પણ હોય છે કોઈ મિલાવટ? જાણો આ સરળ રીતે

2006માં અમેરિકા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ તેને ચીનથી આયાત કરેલા સીફૂડમાં શોધી કાઢ્યું હતું. જ્યારે અમેરિકાને આ malachite green વિશે ખબર પડી હતી.  ત્યારે તે સમયે તેણે સીફૂડમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

તમે લાવેલા લીલા શાકભાજીમાં પણ હોય છે કોઈ મિલાવટ? જાણો આ સરળ રીતે
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 11:59 PM

જ્યારે પણ તમે તંદુરસ્ત ખોરાક અને શાકાહારી (Vegetarian) ખોરાક વિશે વાત કરશો, ત્યારે તમારા મનમાં સૌથી પહેલી વસ્તુ આવશે લીલા શાકભાજી. પરંતુ તમે જે શાકભાજી કે ફળો ખાઈ રહ્યા છો તે યોગ્ય છે કે નહીં, તેમાં ભેળસેળ છે કે કેમ, આ સૌથી મોટો પ્રશ્ન છે. આ એક પ્રશ્ન છે જે ઘણી વખત ચિંતાનો વિષય છે.

તમારા મનપસંદ લીલા શાકભાજીને (Vegetable) બનાવટી લીલા રંગથી રંગ્યા પછી અને તેમને કોપર સલ્ફેટ, રોડામાઈન બી, કેલ્શિયમ કાર્બાઈડ અને અન્ય ઘણા ખતરનાક તત્વો ભેળવવામાં આવે છે. તમે ભેળસેળને રોકી શકતા નથી, પરંતુ કેટલીક યુક્તિઓ છે જેના દ્વારા તમે તેમને ટાળી શકો છો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

FSSAIએ જણાવી રીત

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે તમે તમારા લીલા શાકભાજીને કેવી રીતે ઓળખી શકો છો અને તમે ઘરે સરળતાથી જાણી શકો છો કે તમે બજારમાંથી ભેળસેળ વાળી પાલક કે ભીંડા ખરીદી છે કે નહીં. ભીંડામાં ઘણી વખત મલાકાઈટ લીલા (Malachite Green) રંગથી રંગાયેલી હોય છે. માલાકાઈટ ગ્રીનએ રાસાયણિક તત્વ છે જેનો ઉપયોગ રંગ માટે થાય છે. તેનો ઉપયોગ એન્ટિમાઈક્રોબાયલ તરીકે પણ થાય છે. તે હર્મન ફિશરે વર્ષ 1877માં સૌપ્રથમ તૈયાર કર્યું હતું.

આ રીતે શાકભાજીમાં ભેળસેળ તપાસો

FSSI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો મુજબ જો તમે તમારી શાકભાજી તપાસવા માંગતા હોય તો આ પદ્ધતિ ખૂબ જ સરળ છે. તમારે કોટન બોલ લેવો પડશે, જે પ્રવાહી પેરાફિનમાં ડૂબેલ છે. આ પછી તમારે તેને શાકભાજીના નાના ટુકડા પર ઘસવું પડશે. જો રૂનો રંગ લીલો થઈ જાય છે તો તેનો અર્થ એ કે તમારી શાકભાજી ભેળસેળયુક્ત છે. જો તે રંગ બદલતો નથી તો તમારી શાકભાજી સંપૂર્ણ છે અને તેના પર કોઈ ભેળસેળ કરવામાં આવી નથી. ડોક્ટરોના મતે જો તમે મલાકાઈટ લીલા રંગના શાકભાજી ખાઓ છો તો તમને ઘણી ખતરનાક બિમારીઓ થઈ શકે છે.

કઈ શાકભાજીમાં થાય છે ઉપયોગ

2006માં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ તેને ચીનથી આયાત કરેલા સીફૂડમાં શોધી કાઢ્યુ હતું. જ્યારે અમેરિકાને આ malachite green વિશે ખબર પડી હતી. તે સમયે તેણે સીફૂડમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનો ઉપયોગ વટાણા, કાકડી, લીલા મરચા, ભીંડા અને પાલકને લીલા બનાવવા માટે થાય છે. જો તે ખાવામાં આવે તો તેની શરીર પર ખરાબ અસર પડે છે. ફૂડ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ભારતીય ફૂડ ઉદ્યોગમાં મલાકાઈટ ગ્રીન હજુ પણ ઝડપથી થઈ રહી છે. કાર્સિનોજેન તરીકે પણ ઓળખાય છે.

આ પણ વાંચો: બનાસકાંઠા, ખેડા અને ભાવનગરના ખેડૂતોને મળશે ઓપરેશન ગ્રીન સ્કીમનો લાભ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">