Edible Oil Price : ગ્રાહકો માટે સારા સમાચાર, દસ દિવસમાં ખાદ્યતેલ 11 રૂપિયા સુધી થઈ શકે છે સસ્તું

Edible Oil Price Forecast: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ને કારણે સૂર્યમુખી તેલનો પુરવઠો પહેલેથી જ ખોરવાઈ ગયો છે. આવી સ્થિતિમાં ઈન્ડોનેશિયા દ્વારા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાતથી ગ્રાહકોને ઘણી રાહત મળવાની આશા છે.

Edible Oil Price : ગ્રાહકો માટે સારા સમાચાર, દસ દિવસમાં ખાદ્યતેલ 11 રૂપિયા સુધી થઈ શકે છે સસ્તું
તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો (Symbolic Image)Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 8:48 AM

ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કર્યા બાદ ભારતમાં એડિબલ ઓઈલના ભાવ (Cooking Oil Price)કેટલા નીચે આવ્યા છે, આ પ્રશ્ન દરેકના મનમાં છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ પ્રતિ કિલો રૂ.4નો ઘટાડો થયો છે. પહેલી જૂન સુધીમાં રૂ.7નો વધુ ઘટાડો થઈ શકે છે. ઈન્ડોનેશિયા (Indonesia) વિશ્વનો સૌથી મોટો પામ ઓઈલ (Palm oil) ઉત્પાદક અને નિકાસકાર છે. તેથી અહીંથી નિકાસ પર પ્રતિબંધના કારણે ભારત સહિત અનેક દેશોમાં ખાદ્યતેલોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

કારણ કે રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ને કારણે સૂર્યમુખી તેલનો પુરવઠો પહેલેથી જ ખોરવાઈ ગયો છે. આવી સ્થિતિમાં ઈન્ડોનેશિયા દ્વારા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાતથી ગ્રાહકોને ઘણી રાહત મળવાની આશા છે. ખાદ્ય તેલ ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે 17 મે સુધી પામોલીનનો જથ્થાબંધ ભાવ 156 રૂપિયા પ્રતિ કિલો હતો.

જ્યારે પ્રતિબંધ હટાવવાની જાહેરાત બાદ હવે તેની કિંમત 23 મેના રોજ 152 રૂપિયા છે. જો ઈન્ડોનેશિયાની સરકાર ત્યાં ટેન્કરોમાં અટવાયેલો માલ તુરંત મુક્ત કરે તો તે 10 દિવસ પછી ભારતીય બજારમાં આવશે. એટલે કે જૂનના પ્રથમ સપ્તાહમાં જો પામોલિન આપણી પાસે આવશે તો તેના ભાવ ઘટીને 145 રૂપિયા થવાની આશા છે. એટલે કે ગ્રાહકોને પ્રતિ લિટર 11 રૂપિયાનો ફાયદો મળશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

પામ તેલની કેટલી આયાત થાય છે?

ખાદ્યતેલોની બાબતમાં ભારત હજુ આત્મનિર્ભર બન્યું નથી. ખાદ્યતેલોની માગ અને પુરવઠા વચ્ચે લગભગ 56 ટકાનું અંતર છે. ભારતમાં ખાદ્યતેલની માગ લગભગ 250 લાખ ટન છે, જ્યારે સરેરાશ ઉત્પાદન માત્ર 112 લાખ ટન છે. આવી સ્થિતિમાં આપણે આપણી જરૂરિયાતોને પહોંચી વળવા ઈન્ડોનેશિયા, મલેશિયા, રશિયા, યુક્રેન અને આર્જેન્ટિના જેવા દેશોમાંથી પામ ઓઈલ, સનફ્લાવર ઓઈલ અને સોયાબીનની આયાત કરીએ છીએ. જેમાં લગભગ 65 થી 70 ટકા પામ ઓઈલ છે, જે ઈન્ડોનેશિયાથી આવે છે. જ્યારે 30% રસોઈ તેલ મલેશિયા, રશિયા, યુક્રેન અને આર્જેન્ટિનામાંથી આવે છે. ભારતે 2020-21માં 83 લાખ ટન પામ ઓઈલની આયાત કરી હતી.

તેલીબિયાંનું ઉત્પાદન વધારવા પર ભાર મૂકવો પડશે

વર્ષ 2021-22માં તેલીબિયાંનું ઉત્પાદન 38.50 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે. આ વર્ષે સરસવના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. કારણ કે ખેડૂતોને સારા ભાવ મળવા લાગ્યા છે. દેશની મોટાભાગની મંડીઓમાં સરસવ અને સોયાબીન જેવા તેલીબિયાં પાકોના ભાવ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતા વધુ છે. સરસવની MSP 5050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે પરંતુ બજાર કિંમત 8000 રૂપિયા સુધી છે. કૃષિ નિષ્ણાત બિનોદ આનંદ કહે છે કે જો સારા ભાવ મળવા લાગશે તો ખેડૂતો પોતે તેલીબિયાં પાકનો વિસ્તાર વધારશે.

હાલમાં કેન્દ્ર સરકાર આ દિશામાં પ્રયાસો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેથી જ રાષ્ટ્રીય તેલીબિયાં મિશન હેઠળ 19,000 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના છે. એ જ રીતે પામ ઓઈલ મિશન પર 11,040 કરોડ રૂપિયા ખર્ચવાના છે. પામનું વાવેતર 3.5 લાખ હેક્ટરથી વધારીને 10 લાખ હેક્ટર કરવાનું અભિયાન છે. આ પ્રયાસોથી આપણે ખાદ્યતેલોની આયાતમાં નોંધપાત્ર ઘટાડો કરી શકીશું.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">