ખરીફ સિઝનમાં DAP અને યુરિયાની નહીં થાય અછત, મોદી સરકારે અત્યારથી જ શરૂ કરી તૈયારીઓ

દેશમાં ખરીફ પાકની વાવણી ચોમાસાના વરસાદની શરૂઆત સાથે શરૂ થાય છે. જો કે, આ પાકો માટે ખાતર અને અન્ય પૌષ્ટિક તત્વોની જરૂર એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે જ હોય ​​છે.

ખરીફ સિઝનમાં DAP અને યુરિયાની નહીં થાય અછત, મોદી સરકારે અત્યારથી જ શરૂ કરી તૈયારીઓ
Farmer (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 7:18 AM

આગામી ખરીફ સિઝનમાં (Kharif Season) ખેડૂતોને યોગ્ય અને સમયસર ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે યુરિયા અને ડીએપીનો પ્રારંભિક સ્ટોક અપેક્ષિત કરતાં વધુ રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, સરકારે ખરીફ પાક માટે ખાતરોની ઉપલબ્ધતા અંગે અગાઉથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાંથી ખાતરો અને અન્ય કાચા માલસામાનના એકત્રીકરણથી યુરિયા અને ડી-એમોનિયમ ફોસ્ફેટ (DAP)ના પ્રારંભિક સ્ટોકને અપેક્ષા કરતા વધારે રાખવામાં મદદ મળશે.

દેશમાં ખરીફ પાકની વાવણી ચોમાસાના વરસાદની શરૂઆત સાથે શરૂ થાય છે. જો કે, આ પાકો માટે ખાતર અને અન્ય પૌષ્ટિક તત્વોની જરૂર એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે જ હોય ​​છે.

ભારત ચીનમાંથી 45% DAP આયાત કરે છે

અધિકારીએ જણાવ્યું કે DAPનો પ્રારંભિક સ્ટોક 2022ની ખરીફ સિઝનમાં 25 લાખ ટન હોવાનો અંદાજ છે, જે ખરીફ સિઝન 2021માં 14.5 લાખ ટન હતો. યુરિયાના કિસ્સામાં, પ્રારંભિક સ્ટોક 60 લાખ ટન રહેવાની અપેક્ષા છે, જે ગયા વર્ષે 50 લાખ ટન હતો. અધિકારીએ જણાવ્યું હતું કે યુરિયા અને અન્ય જમીન સંવર્ધન તત્વોના પુરવઠામાં સુધારો કરવા માટે ભારત ઘણા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે અને આ માટે લાંબા ગાળાના પુરવઠા કરારની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

અધિકારીના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી અને ચીન દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ખાતરનો પુરવઠો પ્રભાવિત થયો છે, જેના કારણે તેની કિંમતોમાં વધારો થયો છે. આ સ્થિતિમાં ભારત પહેલેથી જ પોતાની તૈયારીઓમાં લાગેલું છે. ભારત તેના ડીએપીના 45 ટકા અને કેટલાક યુરિયા ચીનમાંથી આયાત કરે છે. યુરિયા સિવાય ડીએપી અને અન્ય ફોસ્ફેટ ખાતરોના ભાવ ખાનગી કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. વૈશ્વિક કાચા માલના ભાવમાં વધારાને કારણે ડીએપીના સ્થાનિક ભાવમાં પણ વધારો થયો છે.

ગત ખરીફ અને રવિ સિઝનમાં ખેડૂતોને ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા રાજ્યોમાં ખેડૂતો ખાતર માટે વિરોધ કરતા જોવા મળ્યા હતા. ખાતરની અછતને કારણે કેટલાક ભાગોમાં વાવણી કાર્ય વિલંબિત થયું. આવી સ્થિતિ ફરી ન બને તે માટે સરકારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : UP Assembly Election 2022 Phase 1 Voting Live updates : ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, લોકશાહીના આ તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લો

આ પણ વાંચો : Happy Teddy Day 2022 : શા માટે મનાવવામાં આવે છે ટેડી ડે, જાણો આની પાછળ શું છે રોચક કહાણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">