Girsomnath : ઊના પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામની ઇયળનો ઉપદ્રવ, ખેડૂતોની ઉંઘ હરામ થઇ

ખેડુતોની વાત માનીએ તો જંતુનાશક દવાઓને પણ આ મુંડા ઈયળ જવાબ નથી આપતી. કારણ જમીનમાં ઊંડે મગફળીને તે ખાતી હોય છે. જેથી દવાઓ કારગર નથી નીવડતી. ત્યારે મગફળીનો પાક સારા વરસાદના કારણે તૈયારીના આરે છે. ત્યારે આ ઈયળનું સંકટ ઘેરૂ બન્યું છે.

Girsomnath : ઊના પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામની ઇયળનો ઉપદ્રવ, ખેડૂતોની ઉંઘ હરામ થઇ
Girsomnath: Peanut crop in Una district infested by Munda caterpillar, deprives farmers of sleep
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 12:37 PM

ગીરસોમનાથના ઊના-ગીરગઢડા તાલુકામાં ખેડુતો સતત સંકટનો સામનો કરી રહ્યા છે. એક બાદ એક સંકટ સામે આવી રહ્યાં છે. તાઉતે વાવાઝોડા બાદ વીજસંકટ હવે મગફળીના તૈયાર પાકમાં મુંડા નામની ઈયળે તરખાટ મચાવ્યો છે. આ જીવાત મૂળમાંથી મગફળી સાથે ઊપરના છોડ પણ સફાચટ કરી રહેલ છે. જેથી પાક તેમજ ઊપરનો ઘાંસચારો પણ નહી બચાવી શકાય. ખેડુતોની સરકાર પાસે મદદની માંગ છે.

ઊનાના પાતાપર કાંધીપડા સહીતના અનેક ગામોમાં આ મુંડા નામની ઈયળે ખેડુતોની ઊંઘ ઊડાવી દીધી છે. આ ઈયળએ પ્રકારે વ્યાપી છે કે જે મોટાભાગે જમીનમાં માટીની નીચે મગફળીને ખાઈ રહી છે. તો ઊપરના પાંદડાઓને પણ ખાઈ રહી છે. જેથી પાક તો નિષ્ફળ કરી રહી છે. પરંતુ જે પશુ માટેનો ચારો છે. તે પણ ખાઈ રહી હોય જેથી ખેતરોમાં તૈયાર કોળીયો કહી શકાય તેવી મગફળીનો તે સર્વનાશ કરી રહી છે.

ખેડુતોની વાત માનીએ તો જંતુનાશક દવાઓને પણ આ મુંડા ઈયળ જવાબ નથી આપતી. કારણ જમીનમાં ઊંડે મગફળીને તે ખાતી હોય છે. જેથી દવાઓ કારગર નથી નીવડતી. ત્યારે મગફળીનો પાક સારા વરસાદના કારણે તૈયારીના આરે છે. ત્યારે આ ઈયળનું સંકટ ઘેરૂ બન્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ખેડુતો અનેક નુક્શાની તો વેઠી રહ્યાં છે. ત્યારે ઊછી ઊધાર કરી મગફળી બીયારણ દવાઓ ખાતરોનો ખર્ચ કર્યો બાદ વરસાદ ખેંચાયો હતો. જેથી પાણી પણ વેચાતું લીધું. ત્યારે સારા વરસાદ બાદ ખેડુતોને સારા મગફળીના પાકની આશા હતી. તે પણ મુંડા ઈયળના કારણે ઠગારી નીવડી છે. જેની ખેડુતોને ચિંતા સતાવી રહી છે. અને સરકાર પાસે યોગ્ય મદદની વિનંતી કરી રહ્યાં છે.

આ વર્ષે ગીરસોમનાથ પંથકમાં સારો વરસાદ નોંધાયો છે. ત્યારે ખેડૂતો સારા પાકની આશા સેવી રહ્યાં છે. ત્યાં મગફળીના પાકમાં ઇયળના ઉપદ્રવને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ ખેતરમાં મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે. ત્યારે ઇયળના ઉપદ્રવને કારણે પાકને નુકસાનીનો ભય છે.

આ પણ વાંચો : કચ્છના કંડલા પોર્ટ પરથી એનઆઇએ કન્સાઇનમેન્ટ ઝડપ્યું, મિસાઇલ બનાવવાના 10 કરોડના ઇક્વિપમેન્ટ જપ્ત કર્યા

આ પણ વાંચો : IPL 2021: ધોનીના ભાઇની રણનિતી એ RCB સામે જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી, પોતાનીથી લડતા રહેતા ભાઇ વિશે કર્યો ખુલાસો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">