AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો ઘઉંના પાકમાં પીળા ગેરૂના પ્રકોપને અટકાવવા સમયસર કરો આ કામ

ઘઉંને ભારતમાં મુખ્ય પાક તરીકે ઓળખવામાં આવે છે, જેની ખેતી મોટા પાયે થાય છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં ઘઉંનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, પરંતુ કેટલીકવાર હવામાનમાં ફેરફાર અને જમીનમાં પોષક તત્વોની અછતને કારણે પાકમાં અનેક પ્રકારની જીવાતો અને રોગોનો પ્રકોપ જોવા મળે છે.

ખેડૂતો ઘઉંના પાકમાં પીળા ગેરૂના પ્રકોપને અટકાવવા સમયસર કરો આ કામ
Wheat Crop (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 8:13 AM
Share

ઘઉંને ભારતમાં મુખ્ય પાક તરીકે ઓળખવામાં આવે છે, જેની ખેતી મોટા પાયે થાય છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં ઘઉંનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, પરંતુ કેટલીકવાર હવામાનમાં ફેરફાર અને જમીનમાં પોષક તત્વોની અછતને કારણે પાકમાં અનેક પ્રકારની જીવાતો અને રોગોનો પ્રકોપ જોવા મળે છે.

જેના કારણે પાક બરબાદ થઈ જાય છે અને ખેડૂતો (Farmers)ને ભારે નુકસાન થાય છે, તો આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખેડૂતો માટે ખાસ માહિતી લઈને આવ્યા છીએ, જેથી તમારા પાકમાં જીવાત અને રોગનો પ્રકોપ ન થાય.

આપને જણાવી દઈએ કે ઘઉંના પાકમાં ભારે વરસાદ, પોષક તત્ત્વોની અછત અને ખરાબ પાણી નિકાલને કારણે મોટાભાગે પીળી કુંગી (Yellow Kungi)રોગ જેને આપણે સાદી ભાષામાં પીળો ગેરૂ કહીએ છીએ તેનો પ્રકોપ જોવા મળે છે. આ રોગથી ઘઉંના પાક (Wheat crop)ને સૌથી વધુ અસર થાય છે અને પાકને નુકસાન થાય છે. તો ચાલો જાણીએ પીળા ગેરૂના લક્ષણો વિશે.

પીળા ગેરૂના લક્ષણો

આ રોગની અસરથી પાક પણ પીળો દેખાય છે.

તે ફોલ્લીઓ અને પીળા લાંબા પટ્ટાઓના સ્વરૂપમાં દેખાય છે.

જો અસરગ્રસ્ત પાન પકડીએ તો, હાથ પર પીળાશ પડતો પાવડર દેખાય છે.

જેમ જેમ રોગ વધે છે તેમ તેમ દાણા પાતળા થઈ જાય છે અને ઉપજમાં ઘણો ઘટાડો થાય છે.

આ રોગ પાંદડામાંથી છોડના ફળમાં પણ ફેલાય છે.

પીળા ગેરૂના રોગથી પાકનું રક્ષણ

જો ઘઉંના પાકમાં આ રોગનો ઉપદ્રવ જોવા મળે તો શરૂઆતના સમયમાં જ સારવાર કરવી જોઈએ. આ માટે, તમારે 200 ગ્રામ ટેબ્યુકોનાઝોલ 25 ડબલ્યુ-જી અથવા 120 ગ્રામ ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન, ટેબુકોનાઝોલ 75 ડબલ્યુજી અથવા 200 મિલી પાયરાક્લોસ્ટ્રોબિન, ઇપોક્સીકોનાઝોલ 18.3 એસઇ પ્રતિ એકર 200 લિટર પાણીમાં છંટકાવ કરવો જોઈએ.

200 ml Azocystrobin + Tabuconazole 320 SC અથવા 200 ml Propiconazole 25 EC નો સ્પ્રે પણ કરી શકાય છે. ગંભીર કિસ્સામાં, 15 દિવસના અંતરે બીજો છંટકાવ કરો, જેથી પાન રોગમુક્ત રહે.

ઘઉંના પાકમાં મેંગેનીઝની ઉણપ

આ ઉપરાંત ઘઉંના પાકમાં મેંગેનીઝ(Manganese)ની ઉણપને કારણે પણ જે ખેતરમાં ડાંગરનું સતત વાવેતર કરવામાં આવે છે તે ખેતરમાં પીળા પડવાનું કારણ બને છે. આવી સ્થિતિમાં તેમની સારવાર પણ સમય અનુસાર થવી જોઈએ. મેંગેનીઝની ઉણપથી થતા પીળાશને દૂર કરવા માટે 200 લિટર પાણીમાં પ્રતિ એકર એક કિલો મેંગેનીઝ સલ્ફેટનો છંટકાવ કરીને પાણી આપવું. આ સાથે માટી પરીક્ષણ કરાવો.

બીજી તરફ, જે ખેડૂતોના ખેતરોમાં દર વર્ષે આવી સમસ્યા જોવા મળે છે, તેઓએ તેમના ખેતરમાં પ્રથમ સિંચાઈ કરવાને બદલે પહેલા મેંગેનીઝ સલ્ફેટનો છંટકાવ કરવો જોઈએ. આ પછી 2-3 ના અંતરાલ પછી ખેતરમાં પાણી આપો. આ પછી, તડકાના દિવસોમાં સાપ્તાહિક અંતરાલમાં ત્રણથી ચાર વખત સ્પ્રે કરો. તેમજ દેશી ખાતરનો ઉપયોગ કરો.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Viral: મગરની અણી કાઢવાના ચક્કરમાં વાંદરો ફસાયો મગરોની વચ્ચે, જુઓ પછી શું થયું !

આ પણ વાંચો: New zealand: ન્યુઝીલેન્ડનો અનુભવી બેટ્સમેન રોઝ ટેલર લેશે સંન્યાસ, આ સિરીઝ બાદ તે ક્રિકેટને કહેશે અલવિદા

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">