AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચરામાંથી ખેડૂતો બનાવી શકશે ખાતર, ખેતી ખર્ચમાં થશે ઘટાડો અને પાક ઉત્પાદનમાં થશે વધારો

ખાતરના ઢગલા ઉપર શેડ વગેરે મૂકવાથી તેને વરસાદથી બચાવી શકાય છે. આ ખાતરનું જૈવિક મૂલ્ય ગાયના છાણના ખાતર જેટલું છે. બગીચાના કચરામાંથી ખાતર બનાવીને પ્રદૂષણની સમસ્યા ઘટાડી શકાય છે. કાર્બનિક પદાર્થોને રિસાયક્લિંગ કરવાથી પણ જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે.

કચરામાંથી ખેડૂતો બનાવી શકશે ખાતર, ખેતી ખર્ચમાં થશે ઘટાડો અને પાક ઉત્પાદનમાં થશે વધારો
Crop Production
| Updated on: Jan 27, 2024 | 1:22 PM
Share

બગીચાના કચરામાંથી બનાવેલું ખાતર એક ઉપયોગી પદ્ધતિ છે. ખેડૂતો બગીચાના કચરાને રિસાયકલ કરી લેન્ડફિલમાં જતા કચરાનું પ્રમાણ ઘટાડી શકે છે. બગીચાના કચરામાંથી બનાવેલ ખાતરમાં ગુણવત્તા સારી હોય છે. આ પ્રોસેસ દરમિયાન રોગો-જીવાતો દૂર થાય છે. તેના દ્વારા ઉત્પાદન કરેલા ખાતરમાં ઉચ્ચ પોષક તત્વો હોય છે. જે ખેતરની ઉપજ અને પાકની ગુણવત્તામાં વધારો કરે છે.

કેવી રીતે બનાવવું ખાતર

ICAR ના અહેવાલ અનુસાર, કૃષિ અવશેષોમાંથી ખાતર બનાવવાની જૂની પદ્ધતિ મૂજબ સમગ્ર ખેતરમાંથી અવશેષો એકઠા કરી મોટા ખાડામાં નાખવામાં આવે છે. વરસાદની સિઝનમાં તે પાણીથી ભરાઈ જશે અને તેનાથી ખાતર સડી જાય છે. આ ખાતર તૈયાર થતાં 5 થી 6 મહિનાનો સમય લાગે છે.

સંશોધિત પદ્ધતિ હેઠળ અવશેષોને ખાડામાં નાખવાને બદલે સપાટ જમીન પર રાખવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર અને સેલ્યુલોઝ હોય છે અને તેમાં નાઇટ્રોજન ઓછું હોય છે. લીલો ચારો ખાતા પશુઓનું છાણ એ સુક્ષ્મજીવોનો મુખ્ય સ્ત્રોત છે.

ભેજનું પ્રમાણ 50 થી 60 ટકા જાળવો

બગીચાના કચરામાંથી એક ક્વિન્ટલ પાણીમાં ઓગળેલા 1 કિલો યુરિયાને મિક્સ કરો, જેથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે નાઈટ્રોજનની માત્રા વધારી શકાય. તેના બદલે નાઈટ્રોજનયુક્ત કૃષિ અવશેષો જેમ કે સ્ટ્રો વગેરે પણ ઉમેરી શકાય છે. લીલો ચારો ખાતા પશુઓના છાણને 1:3 ના ગુણોત્તરમાં ભેળવો એટલે કે 25 કિલો પ્રતિ ક્વિન્ટલના દરે નાખો. ખાતર તૈયાર ન થાય ત્યાં સુધી ભેજનું પ્રમાણ 50 થી 60 ટકા જાળવી રાખો.

ત્રીજા કે ચોથા દિવસે ખાતરને ફેરવતા રહો

તેના માટે પાણીનો છંટકાવ કરવામાં આવે તો તે વધારે સારું છે. એરોબિક સ્થિતિ જાળવવા અને ઉત્પન્ન થતી ઉર્જા અને ગરમીને દૂર કરવા માટે દર ત્રીજા કે ચોથા દિવસે ખાતરને ફેરવતા રહો. કચરામાંથી 1 માસમાં ખાતર તૈયાર થાય છે. ખાતર જ્યાં બનાવવામાં આવે છે તે સપાટી ખુલ્લી હોવી જોઈએ, જેથી ખાતરના ઉપયોગી તત્વો જમીનમાં ન જાય.

આ પણ વાંચો : લોન લેનારા ખેડૂતો માટે ખુશખબર, આગામી બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટી જાહેરાત

ખાતરના ઢગલા ઉપર શેડ વગેરે મૂકવાથી તેને વરસાદથી બચાવી શકાય છે. આ ખાતરનું જૈવિક મૂલ્ય ગાયના છાણના ખાતર જેટલું છે. બગીચાના કચરામાંથી ખાતર બનાવીને પ્રદૂષણની સમસ્યા ઘટાડી શકાય છે. કાર્બનિક પદાર્થોને રિસાયક્લિંગ કરવાથી પણ જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">