AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agriculture Budget: નિષ્ણાતોના મતે ગ્રામીણ ભારત અને કૃષિ-ખેડૂતો માટે વિકાસની ગતિ વધારશે આ બજેટ

સામાન્ય બજેટ બાદ કોન્ફેડરેશન ઓફ એનજીઓ ઓફ ઈન્ડિયાએ બજેટ પર ચર્ચાનું આયોજન કર્યું, નિષ્ણાતોએ કહ્યું- ડ્રોનને પ્રોત્સાહન આપવા અને ખેતીને ટેક્નોલોજી સાથે જોડવાના નિર્ણયથી કૃષિનું ચિત્ર બદલાશે.

Agriculture Budget: નિષ્ણાતોના મતે ગ્રામીણ ભારત અને કૃષિ-ખેડૂતો માટે વિકાસની ગતિ વધારશે આ બજેટ
Experts Opinion on Agriculture budget (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 8:04 AM
Share

કન્ફેડરેશન ઑફ એનજીઓ ઑફ ઇન્ડિયા (CNRI) વતી ગ્રામીણ અને કૃષિ નિષ્ણાતોએ ‘ગ્રોથ ઈઝ નાઉ ઓન ટ્રેક-બજેટ 2022’ વિષય પર બુધવારે ચર્ચા કરવામાં આવી હતી. જણાવવામાં આવ્યું છે કે આ બજેટ ગ્રામીણ ભારત અને કૃષિ પર કેવી અસર કરશે. ગામડાઓ અને ખેતીને આગળ વધારવા માટે કયા વિભાગો અને યોજનાઓ મદદરૂપ થઈ શકે છે. ચર્ચામાં સામેલ લોકોએ કહ્યું કે કેન્દ્રીય બજેટ (Union Budget)ની ગ્રામીણ ભારત અને કૃષિ અને પશુપાલન ક્ષેત્ર પર સકારાત્મક અસર પડશે. કોન્ફેડરેશન ઓફ હોર્ટિકલ્ચરલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CHAI)ના અધ્યક્ષ ડૉ. એચપી સિંહે કહ્યું કે આ કૃષિ અને બાગાયત (Horticulture) માટે સારું બજેટ છે. ખાસ કરીને માછલી ઉછેર અને પશુપાલન માટે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA)ના પ્રોફેસર સુરેશ મિશ્રાએ કહ્યું કે સરકારે ગામડાઓ અને ખેડૂતો માટે બજેટમાં સારી ફાળવણી કરી છે, જેનો લાભ સહકારી, કૃષિ અને ડિજિટલ ઈન્ડિયાને જોડીને મેળવી શકાય છે. ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની વાત કરવી એ પોતાનામાં એક નવતર પ્રયોગ છે, જેના દ્વારા કોઈ વિષયના નિષ્ણાતો વચ્ચે સારો તાલમેલ રહેશે, જેનો ગ્રામીણ ભારતને ઘણો ફાયદો થશે.

નકલી ખાતર-બિયારણથી ભારે નુકસાન

પ્રો. મિશ્રાએ કહ્યું કે ભૂતકાળમાં કરવામાં આવેલા અભ્યાસ દ્વારા સ્પષ્ટપણે જોવામાં આવ્યું છે કે ગામડાઓની લગભગ અડધી વસ્તી નકલી બિયારણો, નકલી દવાઓ, નકલી ખાતરો અને વપરાશની અન્ય નકલી વસ્તુઓથી વાકેફ છે, પરંતુ તેની વિરૂદ્ધ કંઈ પણ કરવા માટે અસમર્થ છે. તેથી દેશને ઘણું નુકસાન થાય છે. તેના પર રોક લગાવાની ખુબ જરૂર છે.

બજેટ બેલેન્સ, ખેડૂતોને ફાયદો થશે

પૂણે સ્થિત ગોખલે ઈન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિક્સ એન્ડ ઈકોનોમિક્સના પ્રોફેસર સંગીતા શ્રોફે કહ્યું કે નાણામંત્રીએ ખૂબ જ સંતુલિત બજેટ રજૂ કર્યું છે. જેમાં વિકાસ યોજનાઓ માટે ઘણી ફાળવણી કરવામાં આવી છે. ડીજીટલ ઈન્ડિયા અને વેલ્યુ ચેઈનને જોડવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ દ્વારા જે સપ્લાય ચેઈન સિસ્ટમ બનાવવામાં આવશે તે લાંબા ગાળે ભારતના અંતરિયાળ ગ્રામીણોના જીવનધોરણને સુધારવામાં મોટો ફાળો આપશે. પહાડી પ્રદેશમાં રહેતા આપણા નાગરિકો માટે પીએમ રોપવે કોન્સેપ્ટનો અમલ પોતાનામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે, જેના દ્વારા આ રાજ્યોમાં ખેડૂતોની અવરજવરને સરળ બનાવવામાં આવશે.

સહકારી સંસ્થાઓ માટે શાનદાર બજેટ

સહકાર મંત્રાલયના ઓએસડી ડો.કે.કે.ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ બજેટમાં સરકારની અનેક યોજનાઓને સહકારી સંસ્થાઓ દ્વારા મર્જ કરવાનું સ્વપ્ન સાકાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સહકારી શિક્ષણનું પાયાનું માળખું સુધારવાનું અને તેને લોકો સુધી લઈ જવાનું કામ આ બજેટ દ્વારા કરવામાં આવશે. પૈક્સના ડિજીટાઈઝેશનની જાહેરાત અગાઉ પણ કરવામાં આવી હતી, પરંતુ આ બજેટમાં પૂરતી રકમની જોગવાઈ ખુદમાં જ પ્રશંસનીય છે.

ડ્રોનનો પ્રચાર કરવાથી ખેડૂતોને ફાયદો થશે

FICCIની ક્રોપ પ્રોટેક્શન કમિટીના ચેરમેન આરજી અગ્રવાલે જણાવ્યું કે પહેલીવાર 25 વર્ષ આગળનો વિચાર કરીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. વિકાસ માટે લાંબાગાળાનો રોડમેપ નક્કી કરવાથી દેશને ઘણો ફાયદો થવાનો છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોનને પ્રમોટ કર્યા પછી અને તેને ટેક્નોલોજી સાથે જોડ્યા પછી ખેડૂતોને ફાયદો થવાનો છે. અગ્રવાલે ખાતરી આપી હતી કે સરકારની સાથે ખાનગી ક્ષેત્ર ભારતને વિકસિત દેશ બનાવવાનું સ્વપ્ન સાકાર કરશે.

CNRIના જનરલ સેક્રેટરી બિનોદ આનંદે કહ્યું કે MSPની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં મોકલવાનો નિર્ણય શાનદાર છે. કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રસંગે ઈરમાના પ્રોફેસર રાકેશ અરવતિયા અને જેએનયુમાં સેન્ટર ફોર પોલિટિકલ સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસર સુધીર સુથાર સહિત ઘણા લોકો હાજર હતા.

આ પણ વાંચો: Viral: બિલાડીને પણ લાગ્યો ફિટનેસનો ચસ્કો, મોર્નિંગ વર્કઆઉટ જોઈ લોકો દંગ

આ પણ વાંચો: BRATA Virus: એન્ડ્રોઈડ યુઝર્સ સાવધાન, તમારા મોબાઈલ બેન્કિંગ એપને હેક કરી શકે છે આ વાયરસ, જાણો બચવાની રીત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">