સહકાર ક્ષેત્ર ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને કૃષિને આત્મનિર્ભર બનાવી શકે છેઃ અમિત શાહ
અમિત શાહે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે સહકારી મોડલ લાગુ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો, જે દૂધ ઉત્પાદક અમૂલની સફળતાનું પરિબળ છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે (Amit Shah) રવિવારે કહ્યું કે સહકારી ક્ષેત્રમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની ક્ષમતા છે અને તે કૃષિ ક્ષેત્રને (Agriculture Sector) આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અમિત શાહે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે સહકારી મોડલ લાગુ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો, જે દૂધ ઉત્પાદક અમૂલની સફળતાનું પરિબળ છે.
તેમણે કહ્યું, આજે આપણે જોઈ શકીએ છીએ કે, લાલ બહાદુર શાસ્ત્રીનું શ્વેત ક્રાંતિનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. પરંતુ તેનાથી આગળ જોવાનો સમય આવી ગયો છે. આપણે કૃષિ અને પશુપાલન જેવા ક્ષેત્રોના ઉત્થાન માટે સહકારી મોડલનો અમલ કરવાની જરૂર છે.
ઓર્ગેનિક ખેતીથી ખેડૂતોની આવક વધશે અમિત શાહ અમૂલના 75 વર્ષ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. જેની શરૂઆત આણંદમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા જેને અમૂલ ડેરીના નામે ઓળખવામાં આવે છે, તેના સંસ્થાપક અને સહકારી ક્ષેત્રના નેતા ત્રિભુવનદાસ પટેલના માર્ગદર્શન હેઠળ સહકારી ચળવળના સ્વરૂપમાં તે 1946 માં શરૂ કરવામાં આવી હતી.
ગુજરાતમાં લગભગ 36 લાખ ખેડૂત પરિવારો હાલમાં અમૂલ સાથે સંકળાયેલા છે. અમિત શાહે કહ્યું, 36 લાખ સુધી મર્યાદિત ન રહો. આજે ઘણા ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે, પરંતુ તેમની પાસે ભારતમાં અને વિશ્વમાં તેમની કૃષિ પેદાશો વેચવા માટે કોઈ પ્લેટફોર્મ નથી. શું અમૂલ જેવી સહકારી સંસ્થાઓ આ કરવામાં મદદ કરી શકે? આ દિશામાં વિચારવાનો સમય આવી ગયો છે. તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે.
શાકભાજીની નવી જાતો વિકસાવવાની જરૂર તેમણે કહ્યું, બીજના ક્ષેત્રમાં સંશોધન સમયસર થયું ન હતું. શું સહકારી ક્ષેત્ર આ દિશામાં કામ કરી શકશે? આ વિસ્તારમાં શાકભાજીની નવી જાતો પણ વિકસાવવી જોઈએ. તેનો ફાયદો ખાનગી કંપનીઓને નહીં પરંતુ ખેડૂતો સુધી પહોંચશે. તેનાથી ખેડૂતોની આવક બમણી કરવામાં પણ મદદ મળશે. સહકારી ચળવળ ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં શાહે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માને છે કે સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારત બનાવવામાં મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો : ભૂમિહીન ખેડૂતોને દિવાળી પર મોટી ભેટ, ખેતી કરવા માટે સરકારે ખેડૂતોને આપી જમીન
આ પણ વાંચો : DAP ની અછતના કારણે સરકાર હવે SSP પર ફોકસ કરશે, ખેડૂતોને તેનો ઉપયોગ કરવા પ્રેરિત કરશે