કેન્દ્ર સરકારે જંતુનાશક દવાઓને લઇને નિયમોમાં ફેરફાર કર્યો ! હવેથી જંતુનાશકોની હોમ ડિલિવરી માટે કંપનીઓને આપી મંજૂરી

એક અહેવાલ અનુસાર આ માટે લાયસન્સની ચકાસણી કરવાની જવાબદારી ઈ-કોમર્સ કંપનીને આપવામાં આવી છે. આ મામલે કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના (farmers)હિતમાં લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે જંતુનાશક દવાઓને લઇને નિયમોમાં ફેરફાર કર્યો ! હવેથી જંતુનાશકોની હોમ ડિલિવરી માટે કંપનીઓને આપી મંજૂરી
ખેડૂત માટે ખુશખબર (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 1:18 PM

કેન્દ્ર સરકારે ખેડૂતોને એક સારા સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારે ખેતરમાં વપરાતા જંતુનાશક દવાઓને લઇને નિયમોમાં ફેરફાર કર્યો છે. જેને લઇને જંતુનાશકો હવે ઘરે બેઠા મળી રહેશે. આ માટે જંતુનાશક દવાઓ વેચતી કંપનીઓએ લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે. આ સાથે દવાઓ બનાવતી કંપનીઓને લાયસન્સના નિયમોનું પાલન કરવાનું પણ ફરજિયાત બનશે. આમ, હવે ખેડૂતોને જંતુનાશક દવાઓ ખરીદવા બજારમાં જવુ પડશે નહીં. અને, ખેડૂતો ઘર બેઠા ઓર્ડર કરીને દવાઓ મેળવી શકશે. ખેતીના સમાચાર અહીં વાંચો.

આ અંગે વધારે મળતી વધારે માહિતીઓ અનુસાર, કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા આ દવાઓના વેચાણ કરવાની મંજુરી આપી છે. આ જંતુનાશકોના વેચાણને કેન્દ્ર સરકારે કાયદાની રીતે મંજૂરી આપી છે. હવે કંપનીઓ કાયદેસર રીતે જંતુનાશકોનું વેચાણ કરી શકશે. નોંધનીય બાબત એ છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટને જ કાયદેસર રીતે જંતુનાશકો વેચવા માટે મંજૂરી આપવામાં આવી છે.

એક અહેવાલ અનુસાર આ માટે લાયસન્સની ચકાસણી કરવાની જવાબદારી ઈ-કોમર્સ કંપનીને આપવામાં આવી છે. આ મામલે કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે ખેડૂતોને હવે દવા લેવા જયાંને ત્યાં, દુકાને-દુકાને કે શહેરભરમાં રખડવું નહીં પડે. તેમજ આ કેન્દ્ર સરકારાના આ નવા નિયમને લઇને આગામી દિવસોમાં જંતુનાશક દવાઓના ભાવમાં પણ ફેરફાર થશે એટલે કે જંતુનાશક દવાઓ હજું સસ્તી થવાની સંભાવના બનશે. આ સાથે જંતુનાશક દવાઓની બજારમાં સ્પર્ધામાં પણ વધારો નોંધાશે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ભારતમાં દર વર્ષે હજારો હેક્ટરનો પાક જીવાતોને કારણે નાશ પામે છે. જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. જોકે આવી સ્થિતિમાં ખેડૂતોને મદદ કરવા માટે સરકાર વળતરની પણ જાહેરાત કરે છે.

કૃષિ નિષ્ણાતોના મતાનુસાર, સોપારીના પાકને નુકસાન કરતા સૌથી સામાન્ય જંતુઓ મેલીબગ્સ, સ્કેલ અને સ્પાઈડર માઈટ છે. જો આ જંતુઓ બાબતે તાત્કાલિક કાળજી લેવામાં ન આવે તો, સોપારીનો છોડ સુકાઈ જાય છે. નોંધનીય છેકે ગઇકાલે જ પાક પર જંતુઓના પ્રકોપને રોકવા માટે  કર્ણાટકના મુખ્યમંત્રીએ રૂ. 10 કરોડની સબસિડીની રકમ જાહેર કરી હતી. જેથી ખેડૂતો જંતુનાશક રસાયણોનો છંટકાવ કરી શકે અને, ખેડૂતો પોતાના પાકને બચાવી શકે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">