AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકારે જંતુનાશક દવાઓને લઇને નિયમોમાં ફેરફાર કર્યો ! હવેથી જંતુનાશકોની હોમ ડિલિવરી માટે કંપનીઓને આપી મંજૂરી

એક અહેવાલ અનુસાર આ માટે લાયસન્સની ચકાસણી કરવાની જવાબદારી ઈ-કોમર્સ કંપનીને આપવામાં આવી છે. આ મામલે કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના (farmers)હિતમાં લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે જંતુનાશક દવાઓને લઇને નિયમોમાં ફેરફાર કર્યો ! હવેથી જંતુનાશકોની હોમ ડિલિવરી માટે કંપનીઓને આપી મંજૂરી
ખેડૂત માટે ખુશખબર (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 1:18 PM
Share

કેન્દ્ર સરકારે ખેડૂતોને એક સારા સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારે ખેતરમાં વપરાતા જંતુનાશક દવાઓને લઇને નિયમોમાં ફેરફાર કર્યો છે. જેને લઇને જંતુનાશકો હવે ઘરે બેઠા મળી રહેશે. આ માટે જંતુનાશક દવાઓ વેચતી કંપનીઓએ લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે. આ સાથે દવાઓ બનાવતી કંપનીઓને લાયસન્સના નિયમોનું પાલન કરવાનું પણ ફરજિયાત બનશે. આમ, હવે ખેડૂતોને જંતુનાશક દવાઓ ખરીદવા બજારમાં જવુ પડશે નહીં. અને, ખેડૂતો ઘર બેઠા ઓર્ડર કરીને દવાઓ મેળવી શકશે. ખેતીના સમાચાર અહીં વાંચો.

આ અંગે વધારે મળતી વધારે માહિતીઓ અનુસાર, કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા આ દવાઓના વેચાણ કરવાની મંજુરી આપી છે. આ જંતુનાશકોના વેચાણને કેન્દ્ર સરકારે કાયદાની રીતે મંજૂરી આપી છે. હવે કંપનીઓ કાયદેસર રીતે જંતુનાશકોનું વેચાણ કરી શકશે. નોંધનીય બાબત એ છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટને જ કાયદેસર રીતે જંતુનાશકો વેચવા માટે મંજૂરી આપવામાં આવી છે.

એક અહેવાલ અનુસાર આ માટે લાયસન્સની ચકાસણી કરવાની જવાબદારી ઈ-કોમર્સ કંપનીને આપવામાં આવી છે. આ મામલે કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે ખેડૂતોને હવે દવા લેવા જયાંને ત્યાં, દુકાને-દુકાને કે શહેરભરમાં રખડવું નહીં પડે. તેમજ આ કેન્દ્ર સરકારાના આ નવા નિયમને લઇને આગામી દિવસોમાં જંતુનાશક દવાઓના ભાવમાં પણ ફેરફાર થશે એટલે કે જંતુનાશક દવાઓ હજું સસ્તી થવાની સંભાવના બનશે. આ સાથે જંતુનાશક દવાઓની બજારમાં સ્પર્ધામાં પણ વધારો નોંધાશે.

ભારતમાં દર વર્ષે હજારો હેક્ટરનો પાક જીવાતોને કારણે નાશ પામે છે. જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. જોકે આવી સ્થિતિમાં ખેડૂતોને મદદ કરવા માટે સરકાર વળતરની પણ જાહેરાત કરે છે.

કૃષિ નિષ્ણાતોના મતાનુસાર, સોપારીના પાકને નુકસાન કરતા સૌથી સામાન્ય જંતુઓ મેલીબગ્સ, સ્કેલ અને સ્પાઈડર માઈટ છે. જો આ જંતુઓ બાબતે તાત્કાલિક કાળજી લેવામાં ન આવે તો, સોપારીનો છોડ સુકાઈ જાય છે. નોંધનીય છેકે ગઇકાલે જ પાક પર જંતુઓના પ્રકોપને રોકવા માટે  કર્ણાટકના મુખ્યમંત્રીએ રૂ. 10 કરોડની સબસિડીની રકમ જાહેર કરી હતી. જેથી ખેડૂતો જંતુનાશક રસાયણોનો છંટકાવ કરી શકે અને, ખેડૂતો પોતાના પાકને બચાવી શકે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">