AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર : ડુંગળીમાં એક કિલોએ બે રૂપિયાની સહાય જાહેર થતા ખેડૂતોમાં અસંતોષ

સમગ્ર ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કરતા હોય છે. ત્યારે મહુવા શહેરના માર્કેટ યાર્ડમાં ભાવનગર તેમજ આસપાસના જિલ્લામાંથી ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે આવતા હોય છે.

ભાવનગર : ડુંગળીમાં એક કિલોએ બે રૂપિયાની સહાય જાહેર થતા ખેડૂતોમાં અસંતોષ
Onion Organic Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 10:46 PM
Share

નાસિક બાદ સૌરાષ્ટ્રમાં ડુંગળીનું (Onion)સૌથી વધુ ઉત્પાદન મહુવા તેમજ આસપાસના વિસ્તારોમાં થાય છે. અહીંના ખેડૂતો (Farmers)મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરતા હોય છે. પરંતુ આ વર્ષે ડુંગળીના ભાવ નીચે જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. ત્યારે મહુવા માર્કેટ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનને પત્ર દ્વારા જાણ કરતા એક કિલોએ બે રૂપિયાની સહાય જાહેર કરી છે. સહાય જાહેર થતાં ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે.

સમગ્ર ભાવનગર(Bhavnagar) જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કરતા હોય છે. ત્યારે મહુવા શહેરના માર્કેટ યાર્ડમાં ભાવનગર તેમજ આસપાસના જિલ્લામાંથી ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે આવતા હોય છે. પરંતુ આ વર્ષે ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાનને આ બાબતે પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી.

આ અનુસંધાને ગઈકાલે સરકાર દ્વારા એક કિલોએ બે રૂપિયા એટલે કે એક થેલી પર 100 રૂપિયા જાહેર કર્યા છે. જે ૧લી એપ્રિલથી ખેડૂતોએ જે માર્કેટયાર્ડમાં રહેતી હોય તેમને આ લાભ થશે. અંદાજે 45 લાખ જેટલી થયેલીઓનું વેચાણ થયેલ છે અને આગામી સમયમાં પણ આ સહાય મળે તે માટે મહુવા માર્કેટયાર્ડના ચેરમેને રજૂઆત કરેલ છે.

આ વર્ષે ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતોમાં એક નિરાશા જોવા મળી રહી છે. ત્યારે મહુવા માર્કેટ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર દ્વારા જાણ કરતાં ખેડૂતોને એક થેલી દીઠ બે રૂપિયાની સહાય મળશે. તેને લઈને મહુવામાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને થોડા અંશે રાહત મળશે તેવો સુર છે.

ડુંગળીના ભાવ નીચા જતાં ખેડૂતોમાં એક નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવુ છે કે અન્ય જણસીમાં ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળે છે. પરંતુ મહુવા અને આસપાસના મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે. ત્યારે ખેડૂતોને ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. આ વર્ષે તાઉતે વાવાઝોડાને લઈને ખેડૂતોને ડુંગળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોને આશા હતી કે આવનારા સમયમાં ડુંગળીના સારા ભાવ મળશે.પરંતુ ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

આ પણ વાંચો :Surat : માંડવીના પાતલ ગામે વનવિભાગે દીપડીના બચ્ચાનું માતા સાથે પુનઃમિલન કરાવ્યું

આ પણ વાંચો :Power Crisis: અંગ દઝાડતી ગરમી વચ્ચે દેશમાં કોલસાની અછત, પંજાબ-બિહાર સહિત અનેક રાજ્યોમાં તોળાતું વીજ સંકટ

નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
g clip-path="url(#clip0_868_265)">