AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર : ડુંગળીમાં એક કિલોએ બે રૂપિયાની સહાય જાહેર થતા ખેડૂતોમાં અસંતોષ

સમગ્ર ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કરતા હોય છે. ત્યારે મહુવા શહેરના માર્કેટ યાર્ડમાં ભાવનગર તેમજ આસપાસના જિલ્લામાંથી ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે આવતા હોય છે.

ભાવનગર : ડુંગળીમાં એક કિલોએ બે રૂપિયાની સહાય જાહેર થતા ખેડૂતોમાં અસંતોષ
Onion Organic Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 10:46 PM
Share

નાસિક બાદ સૌરાષ્ટ્રમાં ડુંગળીનું (Onion)સૌથી વધુ ઉત્પાદન મહુવા તેમજ આસપાસના વિસ્તારોમાં થાય છે. અહીંના ખેડૂતો (Farmers)મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરતા હોય છે. પરંતુ આ વર્ષે ડુંગળીના ભાવ નીચે જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. ત્યારે મહુવા માર્કેટ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનને પત્ર દ્વારા જાણ કરતા એક કિલોએ બે રૂપિયાની સહાય જાહેર કરી છે. સહાય જાહેર થતાં ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે.

સમગ્ર ભાવનગર(Bhavnagar) જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કરતા હોય છે. ત્યારે મહુવા શહેરના માર્કેટ યાર્ડમાં ભાવનગર તેમજ આસપાસના જિલ્લામાંથી ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે આવતા હોય છે. પરંતુ આ વર્ષે ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાનને આ બાબતે પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી.

આ અનુસંધાને ગઈકાલે સરકાર દ્વારા એક કિલોએ બે રૂપિયા એટલે કે એક થેલી પર 100 રૂપિયા જાહેર કર્યા છે. જે ૧લી એપ્રિલથી ખેડૂતોએ જે માર્કેટયાર્ડમાં રહેતી હોય તેમને આ લાભ થશે. અંદાજે 45 લાખ જેટલી થયેલીઓનું વેચાણ થયેલ છે અને આગામી સમયમાં પણ આ સહાય મળે તે માટે મહુવા માર્કેટયાર્ડના ચેરમેને રજૂઆત કરેલ છે.

આ વર્ષે ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતોમાં એક નિરાશા જોવા મળી રહી છે. ત્યારે મહુવા માર્કેટ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર દ્વારા જાણ કરતાં ખેડૂતોને એક થેલી દીઠ બે રૂપિયાની સહાય મળશે. તેને લઈને મહુવામાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને થોડા અંશે રાહત મળશે તેવો સુર છે.

ડુંગળીના ભાવ નીચા જતાં ખેડૂતોમાં એક નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવુ છે કે અન્ય જણસીમાં ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળે છે. પરંતુ મહુવા અને આસપાસના મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે. ત્યારે ખેડૂતોને ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. આ વર્ષે તાઉતે વાવાઝોડાને લઈને ખેડૂતોને ડુંગળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોને આશા હતી કે આવનારા સમયમાં ડુંગળીના સારા ભાવ મળશે.પરંતુ ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

આ પણ વાંચો :Surat : માંડવીના પાતલ ગામે વનવિભાગે દીપડીના બચ્ચાનું માતા સાથે પુનઃમિલન કરાવ્યું

આ પણ વાંચો :Power Crisis: અંગ દઝાડતી ગરમી વચ્ચે દેશમાં કોલસાની અછત, પંજાબ-બિહાર સહિત અનેક રાજ્યોમાં તોળાતું વીજ સંકટ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">