અમિત શાહે કહ્યું, પ્રાકૃતિક ખેતી ભારત માટે મહત્વપૂર્ણ, તેનાથી નવી હરિત ક્રાંતિ શરૂ કરે ખેડૂતો

અમિત શાહે કહ્યું કે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે કુદરતી ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા પુનઃસ્થાપિત થાય છે અને તે વધુ ફળદ્રુપ બને છે, ઉત્પાદન વધે છે, પાણીનો ઓછો ઉપયોગ થાય છે અને ખેડૂતો સમૃદ્ધ બને છે.

અમિત શાહે કહ્યું, પ્રાકૃતિક ખેતી ભારત માટે મહત્વપૂર્ણ, તેનાથી નવી હરિત ક્રાંતિ શરૂ કરે ખેડૂતો
Amit Shah appeals to farmers to adopt natural farming (Photo Source- @AmitShah)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 7:45 AM

રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને કારણે જમીન, પાણીની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરોનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) શનિવારે ખેડૂતોને ભારતમાં કુદરતી ખેતી (Natural Farming) ની પદ્ધતિઓ અપનાવીને ‘નવી હરિત ક્રાંતિ’ શરૂ કરવાનું આહ્વન કયું. શાહે પ્રાકૃતિક ખેતી માટેની ગુજરાત સરકારની પહેલ, તેમની મોબાઈલ એપ્લિકેશન અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સ (FPOs) દ્વારા કુદરતી ખેતીની પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા ઉત્પાદનોના માર્કેટિંગ માટે ઈ-વાનનું ડિજિટલી અનાવરણ કર્યા બાદ તેઓ ખેડૂતોને સંબોધ્યું હતા.

અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાસાયણિક ખાતરને એક મોટી કટોકટી તરીકે ઓળખાવ્યું છે અને કૃષિ ઉત્પાદન વધારવા, પાણીનો વપરાશ ઘટાડવા અને ખેડૂતોની સમૃદ્ધિ લાવવાના ઉદ્દેશ્ય સાથે તેનો ઉપયોગ રોકવા માટે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

‘નવી હરિયાળી ક્રાંતિ માટે કુદરતી ખેતી જ એકમાત્ર રસ્તો છે’

ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ખેડૂતો સાથેની ડિજિટલ વાતચીતમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે કુદરતી ખેતી દ્વારા નવી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરીએ, જે જમીનને નુકસાન પહોંચાડવાને બદલે આગામી ઘણા વર્ષો સુધી સાચવશે.” આ હાંસલ કરવાનો એકમાત્ર રસ્તો કુદરતી ખેતી છે.” અમિત શાહ લોકસભામાં ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરે છે.

ગ્રૃહ પ્રધાને આગળ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ છે અને તે દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, ‘આજે ભારત માટે પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ છે, પરંતુ હું ચોક્કસપણે જોઈ શકું છું કે સમગ્ર વિશ્વએ આપણા દેશ દ્વારા રજૂ કરવામાં આવેલી કુદરતી ખેતીની પદ્ધતિઓ સ્વીકારવી પડશે. દેશી ગાય (જે પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે)નું મહત્વ સમગ્ર વિશ્વએ સ્વીકારવું પડશે.

‘કુદરતી ખેતી વધુ ફળદ્રુપ’

તેમણે કહ્યું કે ગુજરાતમાં એફપીઓ ગ્રાહકો અને ખેડૂતો વચ્ચે સેતુનું કામ કરશે. પ્રમાણપત્ર પછી, આ સંસ્થાઓ કૃષિ પેદાશોને ગ્રાહકો સુધી પહોંચાડશે. દેશમાં આ પ્રકારની પ્રથમ વ્યવસ્થા હશે. અમિત શાહે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીનું તેમના બ્રાન્ડ એમ્બેસેડર બનવું ખૂબ જ આનંદની વાત છે. મને ખાતરી છે કે ભારતમાં પ્રાકૃતિક ખેતીની તકનીકો અપનાવવાથી સમગ્ર વિશ્વને માર્ગ દેખાડશે.

વધુ જણાવતા કહ્યું કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ કુદરતી ખેતી ક્ષેત્રે કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે કુદરતી ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા પુનઃસ્થાપિત થાય છે અને તે વધુ ફળદ્રુપ બને છે, ઉત્પાદન વધે છે, પાણીનો ઓછો ઉપયોગ થાય છે અને ખેડૂતો સમૃદ્ધ બને છે.

આ પણ વાંચો: Viral: હિમવર્ષા વચ્ચે વોલીબોલ રમતા INDIAN ARMY ના જવાનોની લોકોએ કરી પ્રશંસા

આ પણ વાંચો: Banko of Baroda ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 ફેબ્રુઆરીથી આ નિયમોનું પાલન નહિ કરો તો અટકી શકે છે તમારા ચેકનું પેમેન્ટ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">