AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિત શાહે કહ્યું, પ્રાકૃતિક ખેતી ભારત માટે મહત્વપૂર્ણ, તેનાથી નવી હરિત ક્રાંતિ શરૂ કરે ખેડૂતો

અમિત શાહે કહ્યું કે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે કુદરતી ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા પુનઃસ્થાપિત થાય છે અને તે વધુ ફળદ્રુપ બને છે, ઉત્પાદન વધે છે, પાણીનો ઓછો ઉપયોગ થાય છે અને ખેડૂતો સમૃદ્ધ બને છે.

અમિત શાહે કહ્યું, પ્રાકૃતિક ખેતી ભારત માટે મહત્વપૂર્ણ, તેનાથી નવી હરિત ક્રાંતિ શરૂ કરે ખેડૂતો
Amit Shah appeals to farmers to adopt natural farming (Photo Source- @AmitShah)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 7:45 AM
Share

રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને કારણે જમીન, પાણીની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરોનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) શનિવારે ખેડૂતોને ભારતમાં કુદરતી ખેતી (Natural Farming) ની પદ્ધતિઓ અપનાવીને ‘નવી હરિત ક્રાંતિ’ શરૂ કરવાનું આહ્વન કયું. શાહે પ્રાકૃતિક ખેતી માટેની ગુજરાત સરકારની પહેલ, તેમની મોબાઈલ એપ્લિકેશન અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સ (FPOs) દ્વારા કુદરતી ખેતીની પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા ઉત્પાદનોના માર્કેટિંગ માટે ઈ-વાનનું ડિજિટલી અનાવરણ કર્યા બાદ તેઓ ખેડૂતોને સંબોધ્યું હતા.

અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાસાયણિક ખાતરને એક મોટી કટોકટી તરીકે ઓળખાવ્યું છે અને કૃષિ ઉત્પાદન વધારવા, પાણીનો વપરાશ ઘટાડવા અને ખેડૂતોની સમૃદ્ધિ લાવવાના ઉદ્દેશ્ય સાથે તેનો ઉપયોગ રોકવા માટે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે.

‘નવી હરિયાળી ક્રાંતિ માટે કુદરતી ખેતી જ એકમાત્ર રસ્તો છે’

ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ખેડૂતો સાથેની ડિજિટલ વાતચીતમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે કુદરતી ખેતી દ્વારા નવી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરીએ, જે જમીનને નુકસાન પહોંચાડવાને બદલે આગામી ઘણા વર્ષો સુધી સાચવશે.” આ હાંસલ કરવાનો એકમાત્ર રસ્તો કુદરતી ખેતી છે.” અમિત શાહ લોકસભામાં ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરે છે.

ગ્રૃહ પ્રધાને આગળ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ છે અને તે દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, ‘આજે ભારત માટે પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ છે, પરંતુ હું ચોક્કસપણે જોઈ શકું છું કે સમગ્ર વિશ્વએ આપણા દેશ દ્વારા રજૂ કરવામાં આવેલી કુદરતી ખેતીની પદ્ધતિઓ સ્વીકારવી પડશે. દેશી ગાય (જે પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે)નું મહત્વ સમગ્ર વિશ્વએ સ્વીકારવું પડશે.

‘કુદરતી ખેતી વધુ ફળદ્રુપ’

તેમણે કહ્યું કે ગુજરાતમાં એફપીઓ ગ્રાહકો અને ખેડૂતો વચ્ચે સેતુનું કામ કરશે. પ્રમાણપત્ર પછી, આ સંસ્થાઓ કૃષિ પેદાશોને ગ્રાહકો સુધી પહોંચાડશે. દેશમાં આ પ્રકારની પ્રથમ વ્યવસ્થા હશે. અમિત શાહે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીનું તેમના બ્રાન્ડ એમ્બેસેડર બનવું ખૂબ જ આનંદની વાત છે. મને ખાતરી છે કે ભારતમાં પ્રાકૃતિક ખેતીની તકનીકો અપનાવવાથી સમગ્ર વિશ્વને માર્ગ દેખાડશે.

વધુ જણાવતા કહ્યું કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ કુદરતી ખેતી ક્ષેત્રે કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે કુદરતી ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા પુનઃસ્થાપિત થાય છે અને તે વધુ ફળદ્રુપ બને છે, ઉત્પાદન વધે છે, પાણીનો ઓછો ઉપયોગ થાય છે અને ખેડૂતો સમૃદ્ધ બને છે.

આ પણ વાંચો: Viral: હિમવર્ષા વચ્ચે વોલીબોલ રમતા INDIAN ARMY ના જવાનોની લોકોએ કરી પ્રશંસા

આ પણ વાંચો: Banko of Baroda ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 ફેબ્રુઆરીથી આ નિયમોનું પાલન નહિ કરો તો અટકી શકે છે તમારા ચેકનું પેમેન્ટ

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">