AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાસમતી ચોખાની નિકાસ પર ઉભા થયેલા મોટા સંકટનો કૃષિ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો ઉકેલ

સમગ્ર વિશ્વમાં કેમિકલ મુક્ત કૃષિ ઉત્પાદનોની માગ છે. બીજી તરફ, યુરોપિયન યુનિયને આયાતી ખાદ્ય અનાજમાં જંતુનાશક(Pesticide)ની માત્રામાં પહેલાથી જ નિશ્ચિત ધોરણોથી વધુ ઘટાડો કર્યો હતો. જેના કારણે બાસમતી ચોખાની નિકાસને અસર થઈ રહી છે.

બાસમતી ચોખાની નિકાસ પર ઉભા થયેલા મોટા સંકટનો કૃષિ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો ઉકેલ
Basmati Rice (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 7:24 AM
Share

નિર્ધારિત ધોરણ કરતાં વધુ જંતુનાશકોની ઉપલબ્ધતાને કારણે બાસમતી ચોખા (Basmati Rice)ની નિકાસ પર ઉભા થયેલા સંકટનો ઉકેલ ભારતીય કૃષિ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે. ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IARI), પુસાએ એવી ત્રણ જાતો વિકસાવી છે જેને રોગ લાગશે નહીં. આ કિસ્સામાં, જંતુનાશકો છાંટવાની જરૂર રહેશે નહીં. જેના કારણે નિકાસમાં કોઈ અડચણ નહીં આવે. આરોગ્ય સંબંધિત પાસાઓને લીધે, સમગ્ર વિશ્વમાં કેમિકલ મુક્ત કૃષિ ઉત્પાદનોની માગ છે. બીજી તરફ, યુરોપિયન યુનિયને આયાતી ખાદ્ય અનાજમાં જંતુનાશક(Pesticide)ની માત્રામાં પહેલાથી જ નિશ્ચિત ધોરણોથી વધુ ઘટાડો કર્યો હતો. જેના કારણે બાસમતી ચોખાની નિકાસને અસર થઈ રહી છે.

બાસમતી ચોખાની જાતો પર સૌથી વધુ કામ કરનાર પુસાએ ત્રણ નવી જાતો બહાર પાડી છે, જે રોગ પ્રતિરોધક છે. બાસમતી એક્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (BEDF)ના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડૉ. રિતેશ શર્માએ જણાવ્યું કે IARI પુસાએ બાસમતી 1509માં સુધારો કરીને તેને 1847 બનાવ્યું છે. તેવી જ રીતે 1121 માં સુધારો કરી 1885 અને 1401માં સુધારો કરીને 1886 નામની નવી જાત તૈયાર કરવામાં આવી છે. આ ત્રણેય રોગરોધી છે. તેથી, તેમાં જંતુનાશકોની જરૂર રહેશે નહીં.

નવી જાતો કયા રોગોથી મુક્ત છે

ડો. શર્માએ જણાવ્યું કે પુસા બાસમતીની ત્રણેય નવી જાતો બેક્ટેરિયલ લીફ બ્લાઈટ એટલે કે બેક્ટેરિયલ સ્કોર્ચથી લાગશે નહીં. ગસ્ટ કે બ્લોસ્ટ રોગ પણ થશે નહીં. ટ્રાયસાયકલાઝોલનો ઉપયોગ બ્લોસ્ટ રોગને નિયંત્રણમાં કરવા માટે કરવામાં આવતો હતો, જેના કારણે નિકાસ(Export)માં સમસ્યા આવી હતી. પરંતુ હવે આવી સમસ્યા આવવાની શક્યતા ઘણી ઓછી છે. આ નવી જાતોના કારણે નિકાસ વધશે. આ રોગોને કારણે ખેડૂતો જંતુનાશક દવા નાખતા હતા. જેના કારણે મુશ્કેલી પડી હતી.

બાસમતી ચોખામાં મુખ્ય રોગો

બાસમતી, જેને ક્વિન ઓફ રાઈસ કહેવામાં આવે છે, તેમાં એવા અનેક રોગો આવે છે, જેના નિયંત્રણ માટે ખેડૂતો જંતુનાશકોનો ઉપયોગ કરે છે. તેને બ્લોસ્ટ રોગ લાગે છે. જેમાં પાંદડા પર આંખ જેવા ફોલ્લીઓ રચાય છે. તે વધે છે અને પાંદડા બળી જાય છે. જ્યારે બેક્ટેરિયલ લીફ બ્લાઈટ (BLB) માં, પાન ઉપરથી નીચે સુધી સુકાઈ જાય છે. આ ઉપરાંત, શીથ બ્લાઈટ નામનો રોગ પણ છે, જેમાં દાંડીમાં ચોકલેટી રંગના ફોલ્લીઓ બને છે. જે વધી જતા છોડને ઓગાળી દે છે.

નિશ્ચિત MRL

વાસ્તવમાં, પાકમાં જંતુનાશકનું મહત્તમ અવશેષ સ્તર (MRL-Maximum Residue limit) નિશ્ચિત છે. તેનાથી વધી જાય તો નિકાસમાં અવરોધ ઉભો થાય છે. આવી સ્થિતિમાં સરકાર જંતુનાશકોનો ઉપયોગ ઓછો કરાવા માંગે છે. જો જંતુનાશક નકલી હોય અથવા તેની માત્રા વધુ હોય તો તેના અવશેષો ચોખામાં જોવા મળે છે. જેના કારણે તે નિકાસમાં નિષ્ફળ જાય છે.

શર્મા કહે છે કે જો તમે ડાંગરના ખેતરમાં વધુ યુરિયા ન નાખતા હોવ અને પાણીનું વ્યવસ્થાપન યોગ્ય હોય તો દવા નાખવાની જરૂર નહીં પડે. આપને જણાવી દઈએ કે ભારતમાંથી વાર્ષિક આશરે 32 હજાર કરોડ રૂપિયાના બાસમતી ચોખાની નિકાસ થાય છે.

શું હતી સમસ્યા

કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, યુરોપિયન યુનિયનના ઓડિટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બાસમતી ચોખામાં 19.9 ટકા જંતુનાશક સામગ્રી છે. કુલ 1128માંથી 45 નમૂનાઓમાં જંતુનાશક અવશેષોનું પ્રમાણ નિયત ધોરણ કરતાં વધુ હોવાનું જણાયું હતું. આ પછી ભારત બાસમતીની નિકાસમાં સમસ્યાનો સામનો કરી રહ્યું હતું.

આવી સ્થિતિમાં, સરકારે જંતુનાશકોના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવી. પરંતુ, નવી જાતોએ સરકાર અને ખેડૂતો બંને માટે તેને સરળ બનાવ્યું છે. યુરોપિયન યુનિયન, યુએસ સહિત ઘણા દેશોએ ટ્રાયસાયક્લોઆઝોલ અને આઇસોપ્રોથિઓલોન જેવા જંતુનાશકોની મહત્તમ અવશેષ મર્યાદા 0.01 મિલિગ્રામ પ્રતિ કિગ્રા નક્કી કરી છે. તેનાથી વધુ હોવા પર મુશ્કેલી ઊભી થશે.

આ પણ વાંચો: Viral: રસ્તા પર એમ્બ્યુલન્સની પાછળ દોડતો નજર આવ્યો ઘોડો, કારણ જાણી થઈ જશો ભાવુક

આ પણ વાંચો: Russia Ukraine War : યુક્રેનમાં નિર્દોષ નાગરિકોની હત્યાથી બ્રિટન નારાજ, રશિયા સામે વધુ કડક પ્રતિબંધો માટે હાકલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">