એગ્રી ઇન્ફ્રા ફંડનો વ્યાપક ઉપયોગ કરવાની તૈયારી, જળચર ઉછેરને પણ આપવામાં આવશે લાભ

વર્ષ 2020માં સ્થપાયેલ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) ફાર્મ-ગેટ્સ અને કલેક્શન સેન્ટર્સ પર લણણી પછીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સ્થાપના માટે ધિરાણની સુવિધા પૂરી પાડે છે. 2 કરોડની મર્યાદા સુધી વાર્ષિક ત્રણ ટકા વ્યાજ સબવેન્શન સાથે લોન આપવામાં આવે છે.

એગ્રી ઇન્ફ્રા ફંડનો વ્યાપક ઉપયોગ કરવાની તૈયારી, જળચર ઉછેરને પણ આપવામાં આવશે લાભ
Agriculture Minister Narendra Singh TomarImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 1:29 PM

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) શનિવારે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય જળચરઉછેર જેવા ઉભરતા ટેકનોલોજી આધારિત કૃષિ (Agriculture) પ્રોજેક્ટ માટે રૂ. 1 લાખ કરોડના કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને ઍક્સેસ કરવાની મંજૂરી આપવાના પ્રસ્તાવ પર ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી માંગશે. વર્ષ 2020માં સ્થપાયેલ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) ફાર્મ-ગેટ્સ અને કલેક્શન સેન્ટર્સ પર લણણી પછીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સ્થાપના માટે ધિરાણની સુવિધા પૂરી પાડે છે. 2 કરોડની મર્યાદા સુધી વાર્ષિક ત્રણ ટકા વ્યાજ સબવેન્શન સાથે લોન આપવામાં આવે છે. આ વ્યાજ સબવેન્શન મહત્તમ સાત વર્ષના સમયગાળા માટે છે.

AIF હેઠળ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતી બેંકોને પુરસ્કારો આપ્યા પછી, તોમરે કહ્યું, “અમે AIF હેઠળ વધુ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવાનું વિચારી રહ્યા છીએ, જેના માટે અમે ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી લેવાના છીએ.” AIF માં ફેરફારોનો પ્રસ્તાવ AIF પાસેથી ઉધાર લેવા માટે એક્વાકલ્ચર કૃષિ (હાઈડ્રોપોનિક્સ) જેવી ઉભરતી ટેકનોલોજી આધારિત કૃષિ પ્રોજેક્ટને મંજૂરી આપવા કરવામાં આવ્યો છે.

ફાર્મ નજીક થશે નિર્માણ

છેલ્લી વખત જુલાઈ 2021માં સરકારે AIFમાં ફેરફાર કર્યો હતો. તે સમયે સરકારે એપીએમસી, રાજ્ય એજન્સીઓ, યુનિયનો, ખેડૂતોની સહકારી સંસ્થાઓ અને સ્વ-સહાય જૂથોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે ભંડોળની માગ કરવાની મંજૂરી આપી હતી. તોમરે કહ્યું કે AIF હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ફાર્મની નજીક સ્થાપિત કરવા જોઈએ જેથી ખેડૂતો તેનો મહત્તમ લાભ મેળવી શકે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેમણે કહ્યું કે જ્યારે દેશે કૃષિ ઉત્પાદકતામાં પ્રગતિ કરી છે, ત્યારે હવે ખેડૂતોની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આથી ખેડુત સમુદાયને ટેક્નોલોજી અને લણણી પછી જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાની જરૂર છે જેથી તેમની આવક વધે. તોમરે એમ પણ કહ્યું કે રાજ્યો અને બેંકો બંનેએ પાત્ર લાભાર્થીઓને AIF દ્વારા ભંડોળ મંજૂર કરવામાં છટકબારીઓ દૂર કરવાની જરૂર છે.

લગભગ 14 હજાર અરજીઓ સ્વીકારવામાં આવી

સરકારી ડેટા મુજબ, અત્યાર સુધીમાં, AIF ના એકીકૃત પોર્ટલ પર પ્રાપ્ત થયેલી 23,000 થી વધુ અરજીઓમાંથી, 13,700 અરજદારોને લગભગ રૂ. 17,500 કરોડના સંયુક્ત રોકાણ સાથે વિવિધ ધિરાણ સંસ્થાઓ દ્વારા રૂ. 10,131 કરોડની AIF લોન મંજૂર કરવામાં આવી છે.

આ પ્રસંગે બોલતા કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું કે બેંકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે કારણ કે ભવિષ્યમાં AIF સ્ટાર્ટઅપ્સ અને ખેડૂત ઉત્પાદક સંસ્થાઓને મોટું પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું કે બેંકોએ AIF હેઠળ અરજદારોને લોન મંજૂર કરવા અંગે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકાર લોનના સંદર્ભમાં ગેરંટી આપે છે.

એગ્રીકલ્ચર સેક્રેટરી મનોજ આહુજાએ બેંકોને AIF હેઠળ લાગુ કરાયેલા પ્રોજેક્ટ્સ માટે લોન પ્રક્રિયાને સરળ બનાવવા અને રાજ્ય સરકારો માટે યોજના હેઠળની અરજીઓનો ઝડપી નિકાલ કરવા માટે પ્રોજેક્ટ મોનિટરિંગ એકમો સ્થાપવા પણ જણાવ્યું હતું. દેશમાં એક લાખ બેંક શાખાઓ છે. જો શાખા દ્વારા અરજી મંજૂર કરવામાં આવે છે, તો અમે સરળતાથી AIF હેઠળ નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરી શકીશું. આનાથી કૃષિ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુધારો થશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">