Mustard Farming: ખેડૂતો રાયડાની ખેતી માટે અપનાવો આ 5 સરળ ટિપ્સ, મળશે જોરદાર ઉત્પાદન

રાયડાની ખેતી:- ગુજરાતમાં શિયાળામાં રાયડાની ખેતી કરવામાં આવે છે. આ પાકને 18થી 25 સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. આવો જાણીએ ખેતી સાથે જોડાયેલી મહત્વની બાબતો...

Mustard Farming: ખેડૂતો રાયડાની ખેતી માટે અપનાવો આ 5 સરળ ટિપ્સ, મળશે જોરદાર ઉત્પાદન
Mustard Crop (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 4:55 PM

રવિ પાકના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે જેમાં મુખ્યત્વે ઘઉં, ચણા, ધાણા તેમજ રાયડો કે રાઈનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ રાયડાની ખેતી સારા એવા પ્રમાણમાં થવા લાગી છે. રાયડાની ખેતી (Mustard Farming) મુખ્યત્વે પંજાબ, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત રાજ્યમાં થાય છે.

જો જમીનની વાત કરવામાં આવે તો રાયડાને આમ તો તમામ પ્રકારની જમીન માફક આવે છે, પરંતુ રેતાળ જમીન વધુ અનૂકુળ આવે છે. સરસવ તરીકે ઓળખતો આ તેલીબિયા પાક ખેડૂતોને સારા ઉત્પાદનથી સારો એવો નફો અપાવે છે, ત્યારે અહીં એવી પાંચ ટિપ્સ છે જેનાથી આ પાકના ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોને વધુ ફાયદો થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સરસવની ખેતી સંબંધિત 5 શ્રેષ્ઠ ટીપ્સ

(1) રાયડા અંગે કૃષિ વૈજ્ઞાનિકોનો મત છે કે ખેડૂતોએ તાપમાનને ધ્યાનમાં રાખીને રાયડાની વાવણી કરવી જોઈએ. રાયડાની વાવણીમાં વધુ સમય વિલંબ કરવો નહીં.

(2) જમીનનું પણ પરીક્ષણ કરો તેમજ સલ્ફરની ઉણપ હોય તો છેલ્લા ખેડાણ પર 20 કિગ્રા/હે. આપવું તથા ખાતરી કરો કે વાવણી પહેલાં જમીનમાં યોગ્ય ભેજ છે.

(3) ખેડૂતોએ પુસા વિજય, પુસા-29, પુસા-30, પુસા-31 જાતોની વાવણી કરવી જોઈએ, જેથી ઉત્પાદનમાં વધારો થાય. સાથે સાથે વાવણી પહેલા ખેતરમાં ભેજનું સ્તર જાળવી રાખવું જોઈએ, જેથી અંકુરણને અસર ન થાય.

(4) રોપતા પહેલા કેપ્ટાનને 2.5 ગ્રામ પ્રતિ કિલો બીજ સાથે માવજત કરવી જોઈએ. તેમજ હરોળમાં વાવણી કરવાથી વધુ ફાયદો થશે.

(5) ઓછી ફેલાતી જાતોમાં વાવેતર અંતર 30 સે.મી. રાખવું જો વધુ ફેલાવતી જાતો હોય તો 45-50 સે.મી.ના અંતરે હરોળમાં વાવણી કરવી. છોડથી છોડનું અંતર 12-15 સેમી હોવું જોઈએ. સારા ઉત્પાદન માટે વાવણી અંતર ખુબ અગત્યનું છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂતો ઘઉં અને સરસવની ખેતી કરી શકે છે. આનાથી સારી ઉપજ અને સારી પાકની ગુણવત્તા મળે છે.

ઘઉંની વાવણી કરતી વખતે સાવચેતી રાખવી

ઘઉંએ રવિ સિઝનનો મુખ્ય પાક છે. વાવણી વખતે ખેતરની જમીનમાં ભેજ હોવો જરૂરી છે. વાવણી પહેલા ખેતરમાં ભેજ હોય ​​ત્યારે જ હળવી ખેતી કરવી જોઈએ. હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ ઘઉંની વાવણી માટે ખાલી ખેતરો તૈયાર કરવા જોઈએ. સાથે જ અદ્યતન બિયારણ અને ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો: એલન મસ્ક ઈન્ટરવ્યુમાં આ એક સવાલથી પકડી લે છે જૂઠાણું ! ડીગ્રી નહીં આ એક લાયકાતને તેઓ આપે છે પ્રાથમિકતા

આ પણ વાંચો: Success Story: લંડનમાં અભ્યાસ કરી પરત આવી આ યુવક ચલાવે છે ઓટોમેટિક ડેરી ફાર્મ, ચીપથી ટ્રેક થાય છે ગાયોનો રેકોર્ડ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">