AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mustard Farming: ખેડૂતો રાયડાની ખેતી માટે અપનાવો આ 5 સરળ ટિપ્સ, મળશે જોરદાર ઉત્પાદન

રાયડાની ખેતી:- ગુજરાતમાં શિયાળામાં રાયડાની ખેતી કરવામાં આવે છે. આ પાકને 18થી 25 સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. આવો જાણીએ ખેતી સાથે જોડાયેલી મહત્વની બાબતો...

Mustard Farming: ખેડૂતો રાયડાની ખેતી માટે અપનાવો આ 5 સરળ ટિપ્સ, મળશે જોરદાર ઉત્પાદન
Mustard Crop (File Pic)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 4:55 PM
Share

રવિ પાકના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે જેમાં મુખ્યત્વે ઘઉં, ચણા, ધાણા તેમજ રાયડો કે રાઈનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ રાયડાની ખેતી સારા એવા પ્રમાણમાં થવા લાગી છે. રાયડાની ખેતી (Mustard Farming) મુખ્યત્વે પંજાબ, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત રાજ્યમાં થાય છે.

જો જમીનની વાત કરવામાં આવે તો રાયડાને આમ તો તમામ પ્રકારની જમીન માફક આવે છે, પરંતુ રેતાળ જમીન વધુ અનૂકુળ આવે છે. સરસવ તરીકે ઓળખતો આ તેલીબિયા પાક ખેડૂતોને સારા ઉત્પાદનથી સારો એવો નફો અપાવે છે, ત્યારે અહીં એવી પાંચ ટિપ્સ છે જેનાથી આ પાકના ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોને વધુ ફાયદો થશે.

સરસવની ખેતી સંબંધિત 5 શ્રેષ્ઠ ટીપ્સ

(1) રાયડા અંગે કૃષિ વૈજ્ઞાનિકોનો મત છે કે ખેડૂતોએ તાપમાનને ધ્યાનમાં રાખીને રાયડાની વાવણી કરવી જોઈએ. રાયડાની વાવણીમાં વધુ સમય વિલંબ કરવો નહીં.

(2) જમીનનું પણ પરીક્ષણ કરો તેમજ સલ્ફરની ઉણપ હોય તો છેલ્લા ખેડાણ પર 20 કિગ્રા/હે. આપવું તથા ખાતરી કરો કે વાવણી પહેલાં જમીનમાં યોગ્ય ભેજ છે.

(3) ખેડૂતોએ પુસા વિજય, પુસા-29, પુસા-30, પુસા-31 જાતોની વાવણી કરવી જોઈએ, જેથી ઉત્પાદનમાં વધારો થાય. સાથે સાથે વાવણી પહેલા ખેતરમાં ભેજનું સ્તર જાળવી રાખવું જોઈએ, જેથી અંકુરણને અસર ન થાય.

(4) રોપતા પહેલા કેપ્ટાનને 2.5 ગ્રામ પ્રતિ કિલો બીજ સાથે માવજત કરવી જોઈએ. તેમજ હરોળમાં વાવણી કરવાથી વધુ ફાયદો થશે.

(5) ઓછી ફેલાતી જાતોમાં વાવેતર અંતર 30 સે.મી. રાખવું જો વધુ ફેલાવતી જાતો હોય તો 45-50 સે.મી.ના અંતરે હરોળમાં વાવણી કરવી. છોડથી છોડનું અંતર 12-15 સેમી હોવું જોઈએ. સારા ઉત્પાદન માટે વાવણી અંતર ખુબ અગત્યનું છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂતો ઘઉં અને સરસવની ખેતી કરી શકે છે. આનાથી સારી ઉપજ અને સારી પાકની ગુણવત્તા મળે છે.

ઘઉંની વાવણી કરતી વખતે સાવચેતી રાખવી

ઘઉંએ રવિ સિઝનનો મુખ્ય પાક છે. વાવણી વખતે ખેતરની જમીનમાં ભેજ હોવો જરૂરી છે. વાવણી પહેલા ખેતરમાં ભેજ હોય ​​ત્યારે જ હળવી ખેતી કરવી જોઈએ. હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ ઘઉંની વાવણી માટે ખાલી ખેતરો તૈયાર કરવા જોઈએ. સાથે જ અદ્યતન બિયારણ અને ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો: એલન મસ્ક ઈન્ટરવ્યુમાં આ એક સવાલથી પકડી લે છે જૂઠાણું ! ડીગ્રી નહીં આ એક લાયકાતને તેઓ આપે છે પ્રાથમિકતા

આ પણ વાંચો: Success Story: લંડનમાં અભ્યાસ કરી પરત આવી આ યુવક ચલાવે છે ઓટોમેટિક ડેરી ફાર્મ, ચીપથી ટ્રેક થાય છે ગાયોનો રેકોર્ડ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">