ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પુત્રના લગ્ન પહેલા વેવાઇ (વરરાજાના પિતા)ને તેની વેવાણ (કન્યાની માતા) સાથે પ્રેમ થઈ ગયો હતો. વાતચીત બાદ બંને જણા સંતાનોના લગ્ન પહેલા ઘરેથી ભાગી ગયા હતા. લગ્ન વાળા ઘર બનેલી આ ઘટનાથી બંને પરિવારમાં ચકચાર મચી ગઈ હતી. હાલમાં દુલ્હનના પિતાએ આ અંગે વરરાજાના પિતા વિરુદ્ધ FIR નોંધાવી છે. આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સમગ્ર મામલો જિલ્લાના ગંજ દુંદવારા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના એક ગામમાં રહેતા પપ્પુ નામના વ્યક્તિની દીકરીના લગ્ન શકીલ નામના વ્યક્તિના પુત્ર સાથે નક્કી થયા હતા. શકીલને પપ્પુના ઘરે આવવા-જવાનું રહેતું. લગ્નની તારીખ નજીક આવી રહી હતી. પરંતુ આ દરમિયાન એક એવી ઘટના બની કે બંને પરિવારો ચોંકી ગયા. કારણ કે, શકીલ તેની પત્ની એટલે કે પપ્પુની પત્ની સાથે ભાગી ગયો.
પપ્પુનો આરોપ છે કે શકીલે તેની પત્નીને ફસાવી છે. પપ્પુએ શકીલ વિરુદ્ધ તેની પત્નીના અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વેવાઇ શકીલને 10 બાળકો છે, જ્યારે તેની વેવાણને 6 બાળકો છે. બંને ઘરેથી ફરાર છે. પીડિત પપ્પુએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના અંગે વિસ્તારમાં લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. વેવાઇ અને વેવાણ વચ્ચે પ્રેમ પ્રકરણનો મામલો સામે આવી રહ્યો છે.
પત્નીના ગુમ થવાના કેસમાં પીડિત પપ્પુએ કહ્યું કે શકીલે મારી પત્નિનું અપહરણ કર્યું છે. મારી પુત્રીના તેના પુત્ર સાથે લગ્ન થવાના હતા. તેને ઘરે આવવા-જવાનું રહેતું હતું. દરમિયાન, તે મારી પત્નીને ફસાવીને કોઈ બહાને લઈ ગયો હતો. પત્ની વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.
દરમિયાન સીઓ વિજય કુમાર રાણાએ જણાવ્યું કે પોલીસ સ્ટેશન ગંજ દુંદવારામાંથી એક કેસ પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદી પપ્પુએ 8મી જૂને તેની પત્ની ગુમ હોવાની માહિતી આપી હતી. માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક ગુમ થયાની ફરિયાદ નોંધી હતી. આ પછી, પપ્પુએ 11 જુલાઈએ ફરીથી એક અરજી આપી, જેમાં ગણેશપુરના રહેવાસી શકીલ પર તેની પત્નીનું અપહરણ કરવાનો આરોપ છે. હાલ આ કેસમાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.