સુરત : તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનન ઝડપાયું, એક આરોપી સહિત કુલ 14 લાખનો મુદ્દામાલ ઝડપાયો

પાલ ઉમરા બ્રીજ નીચે તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનન થઇ રહ્યું હતું. જેથી ત્યાં સુરત પીસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીથી એક આરોપીની ધરપકડ કરી છે.

સુરત : તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનન ઝડપાયું, એક આરોપી સહિત કુલ 14 લાખનો મુદ્દામાલ ઝડપાયો
Surat: Illegal sand mining caught from Tapi river
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 21, 2022 | 6:07 PM

અડાજણ પાલ આરટીઓ નજીક પાલ ઉમરા બ્રીજ નીચે (Tapi River) તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનન (Sand Mining) થઇ રહ્યું હતું. જેથી ત્યાં સુરત (Surat) પીસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીથી એક આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત અહીંથી એક ટ્રક, ૪૫ ટન રેતી, બે બાઈક મળી કુલ ૧૪.૫૩ લાખની મત્તા કબજે કરાઈ હતી. ખરેખર ખાણ ખનીજ ખાતું ઉધતુ રહ્યું. અને પોલીસ રેડ કરી ગઈ જાણે સુરત ખાણ ખનીજને આ બાબતે કોઈ ખ્યાલ જ ન હોય તેમ ?

સુરત પીસીબી પોલીસને માહિતી મળી હતી કે અડાજણ પાલ આરટીઓ નજીક પાલ ઉમરા બ્રીજ નીચે તાપી નદીમાંથી નાવડીઓ મારફતે ગેરકાયદે રેતીખનન થઇ રહ્યું છે. તે બાતમીના આધારે પીસીબી પીઆઇ સંજય ભાટિયા દ્વારા તપાસ કરી હતી. બાદમાં PCB પોલીસની ટીમ દ્વારા રાત્રીના સમયે અહી દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે અમરોલી ઈડબ્લ્યુ આવાસ ખાતે રહેતા ડ્રાઈવર કમલેશ તેજાજી વણઝારાને ઝડપી પાડ્યો હતો. પોલીસે અહીથી ૯ લાખની કિમતનો ટ્રક, ટ્રકમાં લોડેડ ૭૫ હજારની કિમતનો ૧૫ ટન રેતીનો જથ્થો, ૨.૫૦ લાખની કિમતની કોમ્પ્રેશન મશીન સાથે ફીટ કરેલી નાવડી, ૫ નંગ લોખંડના ચારણા, નદીમાંથી ખનન કરેલા ૩૦ ટન રેતીના ઢગલા, પાવડા અને બે બાઈક મળી કુલ ૧૪.૫૩ લાખની મત્તા કબજે કરી હતી.

વધુમાં ઝડપાયેલા ઇસમનો મોટો ભાઈ હરીશ તેજાજી વણઝારા સાથે ભેગા મળીને ગેરકાયદેસર રીતે તાપી નદીના પટમાંથી નાવડી મારફતે રેતી ખનન થઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પણ નવાઈ વાત એ છે કે સુરત ના ખાણ ખનીજ વિભાગ ને આટલી મોટી બાબત જો ખ્યાલ ન હોય તે શક્ય જ નથી. કારણ કે જે પ્રમાણે માહિતી મળી રહી છે કે આ રેતી ચોરીનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું. એવી પણ ચર્ચા છે કે ખાન ખનીજના અધિકારિઓને આ બાબતે ખ્યાલ હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ઉલ્લેખનીય છે કે ભૂસ્તરવિભાગે 12મી તારીખે બપોરે 12 કલાકે અમરોલી બ્રીજના નીચે તાપી નદી પટમાં દરોડાની કાર્યવાહી કરી હતી. અહીંથી ગેરકાયદે માટીચોરી થઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. ભૂસ્તર વિભાગને ત્યાંથી માત્ર સંગ્રહ કરેલી 125.49 મે.ટન સાદી રેતી મળી હતી. આ મામલે અમરોલી પોલીસ મથકમાં ગુનો પણ નોધવામાં આવ્યો હતો. પોલીસે તેમાં ત્રણ આરોપીની ધરપકડ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં ભૂ માફિયા બેફામ બન્યા છે. અને બેફામ રેતી ચોરી કરી રહ્યા છે. ત્યારે પોલીસ અને ભૂસ્તર વિભાગ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરે તો મસમોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતા રહેલી છે.

આ પણ વાંચો : અમદાવાદ : AMCના 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા

આ પણ વાંચો : મહેસાણા : સ્વ.આશાબેન પટેલ (પૂર્વ ધારાસભ્ય) બહેનના અધૂરા કામો પૂરા કરશે ભાઈ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">