મહેસાણા : સ્વ.આશાબેન પટેલ (પૂર્વ ધારાસભ્ય) બહેનના અધૂરા કામો પૂરા કરશે ભાઈ

સ્વ. ડૉ.આશાબેન પટેલના બાકી રહેલા ઉંઝાના વિકાસના કામો અને લોક પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા સ્વ.આશાબેન પટેલના ભાઈ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ મારફતે લોક સંપર્ક કરવાની વાત જાહેર કરી છે.

મહેસાણા : સ્વ.આશાબેન પટેલ (પૂર્વ ધારાસભ્ય) બહેનના અધૂરા કામો પૂરા કરશે ભાઈ
Mehsana- Late Ashaben Patel (ફાઇલ)
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jan 21, 2022 | 5:06 PM

મહેસાણાના (Mehsana)ઉંઝાના પૂર્વ ધારાસભ્ય (Former MLA of Unjha)સ્વ.ડૉ.આશાબેન પટેલનું (Late Dr. Ashaben Patel)ગત ડિસેમ્બરમાં માસમાં અચાનક નિધન થતા સ્થાનિક નાગરિકોના શોકની લાગણી પ્રસરી હતી. ઉંઝાના સ્થાનિક પ્રશ્નો સરકાર સુધી પહોંચાડી ઉંઝાના વિકાસની નેમ સાથે સ્વ.ડૉ.આશાબેન પટેલ કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનીને રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાઈને ફરીથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. અને જાણે કે ઉંઝાનુ વર્ષોનું પેઢીગત રાજકારણમા બદલાવ લાવી દીધો હતો. ત્યારે તેમના ઓચિંતા અવસાન બાદ તેમણે વિચારેલા કામો અધૂરા ન રહી જાય. તેમણે મતદારોને આપેલા વચન અધૂરા ન રહી જાય તે માટે તેમના ભાઈ આગળ આવ્યા છે. અને સ્વ. ડૉ.આશાબેન પટેલના કાર્યાલયની જવાબદારી તેમના ભાઈ કૌશિકકુમાર ડી. પટેલે ઉપાડી લીધી છે.

સવારે 10:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધી કરશે લોક મુલાકાત

સ્વ. ડૉ.આશાબેન પટેલના બાકી રહેલા ઉંઝાના વિકાસના કામો અને લોક પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા સ્વ.આશાબેન પટેલના ભાઈ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ મારફતે લોક સંપર્ક કરવાની વાત જાહેર કરી છે. જેમાં તેઓએ સોશિયલ મીડિયામાં મેસેજ જાહેર કર્યો હતો કે,

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

– ડૉ. આશાબેન ડી. પટેલ તા. ૨૨/૦૧/૨૦૨૨ ના રોજથી ડૉ. આશાબેન પટેલની ઓફીસ તેમના નાના ભાઈ કૌશિકકુમાર ડી. પટેલ સંભાળશે.

મુલાકાતનો સમય:- સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ સુધી

સંપર્ક નંબર:- ૯૯૭૮૫૯૯૧૦૮, ૯૮૨૪૯૬૭૮૩૫

ઉંઝા APMC ચેરમેન દિનેશ પટેલે પણ સાંભળ્યું હતું સ્વ.આશાબેન પટેલનું કાર્યાલય

ગત ડિસેમ્બરમાં ઉંઝાના ધારાસભ્ય સ્વ.આશાબેન પટેલનું નિધન થયું હતું. અને આજે જેમ આશાબેનના ભાઈ દ્વારા તેમનું કાર્યાલય સાંભળવાનો મેસેજ સોશિયલ મીડિયામાં જાહેર કરાયો છે. તેવી જ રીતે ગત ડિસેમ્બર માસમાં જ ઉંઝા apmc ના ચેરમેન દ્વારા પણ આ રીતે મેસેજ કરીને લોકોને જાણ કરાઇ હતી કે, દર સોમવારે સ્વ.આશાબેન પટેલની ઓફિસ ઉપર દિનેશભાઇ પટેલ નાગરિકો સાથે લોક સંપર્ક કરશે. સ્વ.આશાબેન પટેલની અંતિમ ઈચ્છા મુજબ દિનેશભાઇ પટેલે જવાબદારી ઉપાડી હોવાની લાગણી સાથે દર સોમવારે ધારાસભ્ય કાર્યાલય ખાતે લોકોના પ્રશ્ન ને લઈને દિનેશભાઇ પટેલ મુલાકાત શરૂ પણ કરી હતી. જોકે હવે સ્વ.આશાબેન પટેલના કાર્યાલયની જવાબદારી તેમના ભાઈ કૌશિકકુમાર પટેલે ઉપાડી લીધી છે.

ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય અંગે સંગઠન નક્કી કરશે

સ્વ.આશાબેન પટેલના ભાઈ કૌશિકકુમાર પટેલના જણાવ્યા મુજબ તેમની બહેન સ્વ.આશાબેનનું કાર્યાલય તેઓ સંભાળશે. પરંતુ, ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કોણ સંભાળશે તે સંગઠન નક્કી કરશે.

આ પણ વાંચો : અમદાવાદ : 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાના 88 દર્દી દાખલ, અસારવા-સોલા સિવિલનાં 115 કર્મચારી કોરોના સંક્રમિત, 6 બાળકો સારવાર હેઠળ

આ પણ વાંચો : Surat માં કોરોના દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">