AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : કુખ્યાતની ધરપકડ દરમિયાન પોલીસ ટીમ પર ટોળાનો પથ્થરમારો

લાજપોર જેલ પાસેથી સજ્જુ કોઠારીને ભગાડવાના ગુનામાં વોન્ટેડ આરીફ કોઠારીને પોલીસે (Police) દબોચી લીધો હતો. પરંતુ શાહીને અને તેના પુત્રએ બુમાબુમ કરતા 40થી વધુ લોકોનું ટોળું એક્ઠું થઇ ગયું હતું.

સુરત : કુખ્યાતની ધરપકડ દરમિયાન પોલીસ ટીમ પર ટોળાનો પથ્થરમારો
Surat: Crowds throw stones at police team during infamous arrest
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 20, 2022 | 4:35 PM
Share

Surat: રાંદેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઇ આરીફ કોઠારીને પકડવા જનાર રાંદેર પોલીસની(police) ટીમ પર હુમલો કરી પથ્થરમારો (Stoned) કરી ટોળું આરીફને છોડાવી જતા મોડીરાતે પોલીસ દોડતી થઇ ગઇ હતી. હવે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે કે કોઈપણ રીતે આરીફને ઝડપી પાડવા માટે સૂચનો કર્યા છે.

રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.ડી. હડીયા સહિતનો સ્ટાફ ગત રાતે સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે સુભાષ નગર ઝુંપડપટ્ટી તાપી નદીના પાળા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીનો ભાઇ આરીફ ગુલામ મોહમદ કોઠારી 2053, નેહરૂ નગર ઝુપડપટ્ટી, શીતલ ટોકીઝ પાસે, રાંદેર સાહીન મુનાફ શેખ અને તેના પુત્ર મોહમદ શાહીન મુનાફ શેખ સહિત ત્રણેક જણા સાથે નજરે પડયો હતો. લાજપોર જેલ પાસેથી સજ્જુ કોઠારીને ભગાડવાના ગુનામાં વોન્ટેડ આરીફ કોઠારીને પોલીસે દબોચી લીધો હતો. પરંતુ શાહીને અને તેના પુત્રએ બુમાબુમ કરતા 40થી વધુ લોકોનું ટોળું એક્ઠું થઇ ગયું હતું.

જયારે આરીફ કો છોડના નહીં તેમ કહી ટોળાને ઉશ્કેરણી કરતા ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કરી પીએસઆઇ હડીયાનો શર્ટ ફાડી નાંખ્યો હતો. અને અન્ય હે.કો મોબતસિંહ હેમુભાઇ, હે. કો રમેશ મેરામણ, પો.કો. ભરત કનુભાઇ વગેરેને માર મારી પથ્થર મારો કરી આરીફ કોઠારીને છોડાવી લીધો હતો. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ઘસી ગયો હતો. આમ તો સુરત પોલીસ દ્વારા માથાભારે છાપ ધરાવતા સજ્જુ કોઠારી સામે સકંજો કસ્યો જ છે.

જેથી સજ્જુ કોઠારી દ્વારા અને તેના માણસો દ્વારા સતત પોલીસ પર હુમલો કરતા હોય છે. જ્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સજ્જુ કોઠારીને ઘરે પકડવા માટે ગઈ હતી. ત્યારે પણ અનેક દ્રશ્યો સર્જાયા હતા. ઘરના લોકો કોઈને કોઈ રીતે રોકવા અને પોલીસને અડચણ રૂપ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. અને તેનો આ ખાસ એમ.ઓ. રહ્યો છે. કારણ કે જેથી અત્યાર સુધી પોલીસથી બચવા માટે આ એમ.ઓ.નો ઉપયોગ કરતો હતો.

આ પણ વાંચો :Mehsana : ઊંઝા અને વડનગરમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો એક હજારથી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો

આ પણ વાંચો :ભર ઉનાળામાં ગુજરાતમાં પડશે વરસાદ, રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">