AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ : મહેન્દ્ર ફળદુના આપઘાતનો કેસના સાતેય આરોપીએ હજુ પોલીસ પકડથી દૂર

મહેન્દ્ર ફળદુએ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ. એમ. પટેલ , અમિત ચૌહાણ, અતુલ મહેતા તેમજ અમદાવાદનાં ઓઝોન ગ્રુપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાન્તિલાલ પટેલના કારણે આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

રાજકોટ : મહેન્દ્ર ફળદુના આપઘાતનો કેસના સાતેય આરોપીએ હજુ પોલીસ પકડથી દૂર
Rajkot: Seven accused in Mahendra Faldu's suicide case are still out of police custody
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 5:39 PM
Share

રાજકોટના (RAJKOT) ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના (Mahendra Faldu) આપઘાત કેસ (Suicide case) મામલે ચાર દિવસ બાદ પણ નામાંકિત સાત બિલ્ડર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. કેસ નોંધાયા બાદ સાતેય આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેને શોધવા માટે પોલીસે કરેલો ટેકનિકલ ઉપયોગ પણ નિષ્ફળ રહ્યો છે. આપઘાત કેસમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દીપક પટેલ અને અમદાવાદના ઓઝોન ગ્રુપના ડાયરેક્ટર સહિત 7 આરોપી સામે ગુનો નોંધાયો છે. જેને લઈને રાજકોટ પોલીસની ટીમે ઓઝોન ગ્રુપની ઓફિસે સર્ચ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2 માર્ચે બનેલી ઘટનામાં મહેન્દ્ર ફળદુએ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. હવે મહેન્દ્ર ફળદુનો પરિવાર ન્યાયની રાહ જુવે છે. ન્યાયની માગણી કરતાં પણ તેમની આંખોમાંથી આંસુ નથી રોકાઈ રહ્યા.

આ તરફ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પીડિત પરિવારને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. સાથે જ પરિવારને વહેલીતકે ન્યાય અપાવવાની ખાતરી પણ આપી હતી.

મહેન્દ્ર ફળદુએ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ. એમ. પટેલ , અમિત ચૌહાણ, અતુલ મહેતા તેમજ અમદાવાદનાં ઓઝોન ગ્રુપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાન્તિલાલ પટેલના કારણે આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે, 33 કરોડની મિલકતના દસ્તાવેજો ઝોન ગ્રુપે નથી આપ્યા.

રાજકોટ અને અમદાવાદના બિલ્ડરોએ 33 કરોડની જમીનના દસ્તાવેજ નહીં કરી મહેન્દ્રભાઈને ત્રાસ આપતા હતા. જે મામલે પોલીસે સાત બિલ્ડર સામે ગુનો નોંધ્યો હતો. જોકે ઘટનાના બે દિવસ બાદ પણ પોલીસને એકપણ આરોપી હાથ આવ્યો નહોતો. પોલીસ આરોપીઓના ઘરે દોડી ગઇ પરંતુ આરોપીઓ તે પહેલા જ ફરાર થઇ ગયા હતા.

મહેન્દ્રભાઇના પુત્ર પ્રિયાંક ફળદુની ફરિયાદના આધારે પોલીસે આત્મહત્યા માટે મજબુર કરનાર અમદાવાદના ઓઝોન ગ્રુપના માલિક સાત શખ્સો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ સાતેય આરોપીઓની શોધખોળ માટે ચાર અલગ અલગ ટીમો બનાવી છે. જે પૈકી ત્રણ ટીમ અમદાવાદ ખાતે જ્યારે એક ટીમ રાજકોટમાં આરોપીઓની શોધખોળ કરી રહી છે. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે તમામ આરોપીઓના નિવાસસ્થાન અને આશ્રયસ્થાનો પર પોલીસે દરોડો કરીને તપાસ શરૂ કરી છે, જોકે આ કેસમાં હજુ એકપણ આરોપી પોલીસના હાથે લાગ્યો નથી.

આ પણ વાંચો : Bhavnagar: રાજ્ય સરકારના 3300 ટેન્ડરમાંથી સરકારી કોન્ટ્રાકટરોએ એક પણ ના ભર્યું! 5000 કરોડના કામોને લાગી બ્રેક

આ પણ વાંચો: ઓપરેશન ગંગા છેલ્લા તબક્કામાં, વિદ્યાર્થીઓને સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે બુડાપેસ્ટ પહોંચવાની ભારતીય દૂતાવાસની અપીલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">