Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ : મહેન્દ્ર ફળદુના આપઘાતનો કેસના સાતેય આરોપીએ હજુ પોલીસ પકડથી દૂર

મહેન્દ્ર ફળદુએ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ. એમ. પટેલ , અમિત ચૌહાણ, અતુલ મહેતા તેમજ અમદાવાદનાં ઓઝોન ગ્રુપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાન્તિલાલ પટેલના કારણે આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

રાજકોટ : મહેન્દ્ર ફળદુના આપઘાતનો કેસના સાતેય આરોપીએ હજુ પોલીસ પકડથી દૂર
Rajkot: Seven accused in Mahendra Faldu's suicide case are still out of police custody
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 5:39 PM

રાજકોટના (RAJKOT) ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના (Mahendra Faldu) આપઘાત કેસ (Suicide case) મામલે ચાર દિવસ બાદ પણ નામાંકિત સાત બિલ્ડર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. કેસ નોંધાયા બાદ સાતેય આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેને શોધવા માટે પોલીસે કરેલો ટેકનિકલ ઉપયોગ પણ નિષ્ફળ રહ્યો છે. આપઘાત કેસમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દીપક પટેલ અને અમદાવાદના ઓઝોન ગ્રુપના ડાયરેક્ટર સહિત 7 આરોપી સામે ગુનો નોંધાયો છે. જેને લઈને રાજકોટ પોલીસની ટીમે ઓઝોન ગ્રુપની ઓફિસે સર્ચ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2 માર્ચે બનેલી ઘટનામાં મહેન્દ્ર ફળદુએ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. હવે મહેન્દ્ર ફળદુનો પરિવાર ન્યાયની રાહ જુવે છે. ન્યાયની માગણી કરતાં પણ તેમની આંખોમાંથી આંસુ નથી રોકાઈ રહ્યા.

આ તરફ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પીડિત પરિવારને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. સાથે જ પરિવારને વહેલીતકે ન્યાય અપાવવાની ખાતરી પણ આપી હતી.

મહેન્દ્ર ફળદુએ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ. એમ. પટેલ , અમિત ચૌહાણ, અતુલ મહેતા તેમજ અમદાવાદનાં ઓઝોન ગ્રુપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાન્તિલાલ પટેલના કારણે આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે, 33 કરોડની મિલકતના દસ્તાવેજો ઝોન ગ્રુપે નથી આપ્યા.

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?

રાજકોટ અને અમદાવાદના બિલ્ડરોએ 33 કરોડની જમીનના દસ્તાવેજ નહીં કરી મહેન્દ્રભાઈને ત્રાસ આપતા હતા. જે મામલે પોલીસે સાત બિલ્ડર સામે ગુનો નોંધ્યો હતો. જોકે ઘટનાના બે દિવસ બાદ પણ પોલીસને એકપણ આરોપી હાથ આવ્યો નહોતો. પોલીસ આરોપીઓના ઘરે દોડી ગઇ પરંતુ આરોપીઓ તે પહેલા જ ફરાર થઇ ગયા હતા.

મહેન્દ્રભાઇના પુત્ર પ્રિયાંક ફળદુની ફરિયાદના આધારે પોલીસે આત્મહત્યા માટે મજબુર કરનાર અમદાવાદના ઓઝોન ગ્રુપના માલિક સાત શખ્સો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ સાતેય આરોપીઓની શોધખોળ માટે ચાર અલગ અલગ ટીમો બનાવી છે. જે પૈકી ત્રણ ટીમ અમદાવાદ ખાતે જ્યારે એક ટીમ રાજકોટમાં આરોપીઓની શોધખોળ કરી રહી છે. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે તમામ આરોપીઓના નિવાસસ્થાન અને આશ્રયસ્થાનો પર પોલીસે દરોડો કરીને તપાસ શરૂ કરી છે, જોકે આ કેસમાં હજુ એકપણ આરોપી પોલીસના હાથે લાગ્યો નથી.

આ પણ વાંચો : Bhavnagar: રાજ્ય સરકારના 3300 ટેન્ડરમાંથી સરકારી કોન્ટ્રાકટરોએ એક પણ ના ભર્યું! 5000 કરોડના કામોને લાગી બ્રેક

આ પણ વાંચો: ઓપરેશન ગંગા છેલ્લા તબક્કામાં, વિદ્યાર્થીઓને સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે બુડાપેસ્ટ પહોંચવાની ભારતીય દૂતાવાસની અપીલ

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">