AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : રાત્રીના સમયે ખેતરમાં રહેતા લોકો પર હુમલો કરીને લૂંટ ચલાવતી લૂંટારૂ ગેંગ ઝડપાઇ

પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા આરોપી પૈકી પારસિંગ પડધરીના બે કેસ અને અમરેલીના એક કેસમાં વોન્ટેડ છે. જ્યારે પારસિંગ,નરૂ પરમાર,કમલેશ વાખળા અને દિનેશ પરમાર અગાઉ દાહોદ,મહિસાગર અને જામનગર જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.

Rajkot : રાત્રીના સમયે ખેતરમાં રહેતા લોકો પર હુમલો કરીને લૂંટ ચલાવતી લૂંટારૂ ગેંગ ઝડપાઇ
Rajkot: A robber gang was caught attacking people living on a farm at night
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 03, 2022 | 7:47 PM
Share

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં લૂંટના બે ગુનાઓ સામે આવ્યા હતા. અને બંન્ને ગુનાની મોડસ ઓપરેન્ડી એક જ હતી. જેના કારણે પોલીસને આ બંન્ને લૂંટ એક જ ઇસમ દ્વારા કરવામાં આવી હોવાની શંકા પડી હતી. દરમિયાન પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે કાલાવડ-રાજકોટ હાઇ વે પરથી બે બાઇકમાં શંકાસ્પદ ઇસમો પસાર થઇ રહ્યા છે તેવી બાતમી મળતા પોલીસે કાલાવડ હાઇવે પર વોચ ગોઠવી હતી. અને બે બાઇકમાં પાંચ શખ્સો સોના ચાંદીના દાગીના સાથે મળી આવ્યા હતા. પોલીસે તેની પુછપરછ કરતા આ શખ્સોએ જિલ્લાના લોધિકા તાલુકાના મોટાવડા અને કોટડાસાંગાણીના રાજપરા ગામે થયેલી લૂંટનો ભેદ ઉકેલાય ગયો હતો.

આ છે લૂંટારૂઓના નામ

પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ ઉર્ફે જોરસીંગ વહુનીયા, નરૂ પરમાર, કમલેશ વાખળા, દિનેશ પરમાર અને રતના મનિમા

જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના કહેવા પ્રમાણે આ શખ્સો મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી છે.

કેવી છે લૂંટારૂં ગેંગની મોડસ ઓપરેન્ડી

જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના કહેવા પ્રમાણે આ શખ્સો મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી છે. સમયાંતરે આ શખ્સો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં તેમના સગાં સબંધીઓ મજુરી કરવા આવ્યા હોય છે. ત્યાં મહેમાન બને છે અને તે ગામની આસપાસ રેકી કરે છે.જો કોઇ વ્યક્તિ મોટી રકમ સાથે તેની વાડીમાં રહેતો હોય તેવી જાણ થતા રાત્રીના સમયે તેની વાડીમાં પહોંચીને પહેલા તેના પર હુમલો કરે છે. અને બાદમાં ત્યાં લૂંટ કરીને ફરાર થઇ જાય છે. જો કોઇ સારૂ મંદિર જોવા મળે તો ત્યાં પણ ચોરી અને બંધ મકાનને પણ શિકાર કરવાનું છોડતા નથી.રાજકોટ જિલ્લામાં થયેલી બે લૂંટને પણ આ જ મોડસઓપરેન્ડીથી અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે.

કેવો છે ગુનાહિત ઇતિહાસ

હાલ પોલીસે આ શખ્સોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા આરોપી પૈકી પારસિંગ પડધરીના બે કેસ અને અમરેલીના એક કેસમાં વોન્ટેડ છે. જ્યારે પારસિંગ,નરૂ પરમાર,કમલેશ વાખળા અને દિનેશ પરમાર અગાઉ દાહોદ,મહિસાગર અને જામનગર જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. હાલ પોલીસ આ શખ્સોની આગવી ઢબે પુછપરછ કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો : અનેક પડકારો વચ્ચે નર્મદા કેનાલની કામગીરી પૂર્ણતાના આરે : મંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો : Gandhinagar : ઉતર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડાયરેકટર એસ.કે.રંધાવા ગેરરીતિના કેસમાં સસ્પેન્ડ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">