AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખેતર માંથી ‘ટિફિન બોમ્બ’ જપ્ત, પંજાબમાં આંતકી ષડયંત્રનો પર્દાફાશ

આરોપીના કબજામાંથી અગાઉ એક 'ટિફિન બોમ્બ', બે પેન ડ્રાઈવ અને 1.15 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી

Punjab: ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખેતર માંથી 'ટિફિન બોમ્બ' જપ્ત, પંજાબમાં આંતકી ષડયંત્રનો પર્દાફાશ
Punjab Police
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 9:00 AM
Share

Punjab: પંજાબ પોલીસે (Punjab Police) દિવાળી (Diwali) ની પૂર્વ સંધ્યાએ એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. ફિરોઝપુર જિલ્લા (Firozpur District) માં ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખેતરમાં એક ‘ટિફિન બોમ્બ’ છુપાવવામાં આવ્યો હતો, જેને રાજ્ય પોલીસે યોગ્ય સમયે શોધી કાઢ્યો હતો અને સંભવિત આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જપ્ત કરાયેલ ટિફિન વિસ્ફોટક સામગ્રીથી ભરેલું હતું.

આ સપ્તાહની શરૂઆતમાં જલાલાબાદ બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ લોકોની પૂછપરછ બાદ બુધવારે અલીના ગામમાંથી બોમ્બ મળી આવ્યો હતો. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઈકબાલ પ્રીત સિંહ સહોતાએ જણાવ્યું હતું કે, “લુધિયાણા ગ્રામીણ પોલીસે સોમવારે જલાલાબાદ બ્લાસ્ટ કેસના આરોપી રણજીત સિંહ ઉર્ફે ગોરાને આશ્રય આપવા અને મદદ કરવા બદલ બે લોકોની ધરપકડ કરી હતી.

સર્ચ ઓપરેશન દરમિયાન બોમ્બ મળી આવ્યો એક સત્તાવાર નિવેદન અનુસાર, આરોપીના કબજામાંથી અગાઉ એક ‘ટિફિન બોમ્બ’, બે પેન ડ્રાઈવ અને 1.15 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ એક ખેતરમાં ‘ટિફિન બોમ્બ’ છુપાવ્યો હતો. ડીજીપીએ કહ્યું કે આરોપીના ખુલાસા બાદ બુધવારે સર્ચ ઓપરેશન દરમિયાન બોમ્બ મળી આવ્યો હતો.

તે જ સમયે, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક ગતિવિધિઓ ચાલુ છે. ભારતીય સેના તેમને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસ હેઠળ, પૂંચના જંગલ વિસ્તારમાં શાંતિ પાછી આવી છે, જ્યાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ઓક્ટોબરમાં ભારતીય સેનાએ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. 11 ઓક્ટોબરથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં કેટલાક જવાનો શહીદ થયા હતા. આ સાથે અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. લગભગ ત્રણ અઠવાડિયા પછી, હવે અહીં ગોળીઓનો અવાજ બંધ થઈ ગયો છે.

SIA આતંકવાદ સંબંધિત કેસોની તપાસ કરશે જમ્મુ અને કાશ્મીર પ્રશાસને સોમવારે રાજ્ય તપાસ એજન્સી (SIA)ના નામથી નવી વિશેષ તપાસ એજન્સીની રચનાને મંજૂરી આપી છે. SIA મુખ્યત્વે આતંકવાદ અને સંબંધિત ગુનાઓ સાથે સંબંધિત કેસોની તપાસ કરશે. SIA “રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન કરવા અને આતંકવાદ-સંબંધિત કેસોની ઝડપી અને અસરકારક તપાસ કરવા માટે નોડલ એજન્સી હશે.

આ પણ વાંચો: આજથી વિક્રમ સંવત 2078 નો પ્રારંભ, નવા વર્ષને આવકારવા ગુજરાતીઓમાં ઉત્સાહ

આ પણ વાંચો: Technology: તમારો સ્માર્ટફોન છે કિટાણુઓ અને વાયરસનું ઘર ! બિમારીઓથી બચવા ફોનને કરતા રહો સાફ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">