Navsari : ભાજપ કાર્યકરની હત્યાનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડ

નવસારીના ઘેલખડી વિસ્તારના હત્યા કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જયારે બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Navsari : ભાજપ કાર્યકરની હત્યાનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડ
Navsari murder case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 8:49 PM

Navsari : નવસારીના ઘેલખડી વિસ્તારના હત્યા કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જયારે બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રિના સમય દરમિયાન ભાજપના કાર્યકર એવા શૈલેષ પરમારની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ કેસના ચાર આરોપીની ધરપકડ કરી હત્યા કેસના તાર ઉકેલવાનું શરૂ કર્યું છે.

શું છે હત્યાનો કેસ ?

નવસારીના ઘેલખડી વિસ્તારમાં રાત્રીના સમયે એક યુવક ઉપર જૂની અદાવતને લઈ તિક્ષણ હથિયારો વડે છ જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. જેમાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.કરપીણ હત્યા બાદ ફરાર આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આખરે પોલીસને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા હાથ લાગી છે. જોકે, આ હત્યા કેસના હજુ બે આરોપી ફરાર છે. જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શું છે સમગ્ર કેસ ?

નવસારીના ઘેલખડી વિસ્તારમાં રહેતા શૈલેષ પરમાર નામનો યુવક તેના માસાની ઘરેથી બહાર નીકળ્યો હતો. ત્યારે રાતના સમયે ઘેલખડી વિસ્તારમાં જૂની અદાવતને લઈ છ જેટલા ઈસમોએ પાછળથી આવી ધારીયા અને ચપ્પુ જેવા તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં શૈલેષ પરમાર ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

મૃતક શૈલેષ પરમાર ભાજપનો સક્રિય કાર્યકર્તા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનાને પગલે પોલીસે મૃતકની લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં હુમલો કરનારા છ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંતર્ગત ૪ જેટલા આરોપી સુનિલ પ્રકાશ જાધવ, ઉમેશ સત્યનારાયણ વનમ, પિયુષ ઠાકોર અને અજિત મિશ્રા અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હત્યાનું કારણ જુની અદાવત

શૈલેષ પરમારની હત્યા પાછળનું કારણ ગત ૨૦૧૭ ના વર્ષમાં ગરબા કાર્યક્રમને લઈ શૈલેષ પરમારનો ઝઘડો થયો હતો. જેમાં હુમલાખોરોમાંથી એક ઉમેશ વનમના ભાઈનું મોત થયું હતું. જે અદાવતને લઈ શૈલેષ પરમાર પર હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. આમ આ કેસમાં ખૂન કા બદલા ખૂનનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે પોલીસે આ કેસના બે ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">