Navsari બે યુવાનોના કસ્ટોડિયલ ડેથ મામલે બે પોલીસકર્મીની ધરપકડ કરાઇ

નવસારી કસ્ટોડિયલ ડેથ કેસ મામલે પોલીસે બે અમલદારોની ધરપકડ કરી છે. આ આરોપીઓ પી.આઈ. અજીતસિંહ વાળા અને કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા બે મહિનાથી ફરાર હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 9:01 AM

નવસારીના(Navsari) ચીખલી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં થયેલા બે યુવાનોના મોત(Custodial Death) મામલે પોલીસે બે અમલદારોની ધરપકડ કરી છે. આ આરોપીઓ પી.આઈ. અજીતસિંહ વાળા અને કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા બે મહિનાથી ફરાર હતા. જેમને આખરે નવસારી પોલીસે ઝડપી પાડ્યા છે.

બે મહિના પહેલાં પોલીસની કસ્ટડીમાં વઘઈના બે યુવાનોના મોત થયા હતા. આ અંગે એક પી.આઈ., એક પી.એસ.આઈ. અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ ચારેય આરોપી પોલીસકર્મી ફરાર થઈ ગયા હતા, જેમાંથી બે આરોપીની ધરપકડ બાદ હજી પણ બે આરોપી ફરાર છે.

ઉલ્લેખનીય છે કે, નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં થયેલા બે યુવાનોના મોત મામલે અનેક વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. તેમજ આ યુવાનોને ન્યાય અપાવવા માટે આરોપી પોલીસકર્મીઓને પકડવા માટે પણ અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી.

જેમાં બે મહિના પહેલા વઘઇના બે યુવાનો ચોરીના ગુનામાં ઝડપાયા હતા અને તેનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજતા પીઆઈ, પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ બે મહિના વીતી ગયા છતાં આરોપીઓ પોલીસ કર્મીઓની ધરપકડ ન થતા આદિવાસી સમાજે ધરણાની ચીમકી ઉચ્ચારી હતી

નવસારી કસ્ટોડિયલ ડેથ કેસ મામલે રસ્તા પર ઉતરી લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમજ કસ્ટોડિયલ ડેથના મૃતક બે યુવાનોને ન્યાય અપાવવા બેનરો લઈ લોકો રસ્તા પર ઉતર્યા હતા. તેમજ ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથના આરોપીઓને ના પકડતા ન્યાય રેલી પણ નીકાળવામાં આવી હતી.

આ કેસમાં આરોપીઓ PI,PSI અને 3 કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય, આ વિસ્તારના લોકો ત્રાહિમામ

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ મુદ્દાઓ ગાજ્યા, તંત્રની બેદરકારીનો આક્ષેપ

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">