AHMEDABAD : પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યા, અમરાઈવાડીમાં 32 વર્ષીય યુવાનની અંગત અદાવતમાં હત્યા

અમરાઈવાડીમાં રાબીયા બીબીની ચાલી પાસે એક 32 વર્ષીય યુવાની હત્યા કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 10:01 AM

AHMEDABAD : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. અમરાઈવાડીમાં રાબીયા બીબીની ચાલી પાસે એક 32 વર્ષીય યુવાની હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં આ યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મૃતક યુવાન ને નવ જેટલા ઘા ઝીંકીને હત્યારા ઓ ફરાર થઈ ગયા. આશરે 8 વાગે બનેલી ઘટનાને લઈને વિસ્તારની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી, તો સાથે સમગ્ર વિસ્તારમાં હત્યાને કારણે ચકચાર મચી ગઈ. પોલીસને ઘટની જાણ થતાં અમરાઈવાડી પોલીસનો કાફલો ઘટના સ્થળે આવીને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : AHMEDABAD : મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ થઇ, મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ અને લગેજને સેનિટાઈઝ કરવામાં આવશે

આ પણ વાંચો : AHMEDABAD : પીરાણાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુદ્દે HCની સુઓમોટો, જાણો કોને કોને ફટકારાઇ નોટીસ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">