મુંબઈના બોરીવલીમાં ગુંડારાજ, ધોળા દિવસે વકિલ પર કરાયો હુમલો
હથિયાંર લઈને આવેલા ગુંડાઓના એક ટોળાંએ એડવોકેટ સત્યદેવ જોશીની કારને રસ્તાં વચ્ચે રોકી અને સત્યદેવને બહાર નિકળવાં મજબુર કર્યાં અને બહાર નિકળતાં જ તલવાર અને લાકડીઓ વડે નિર્દયતાથી માર માર્યો.
મુંબઈ (mumbai) ના બોરીવલી વિસ્તારમાં રવીવારે એક આઘાતજનક ઘટના સામે આવી છે. ધોળા દિવસે તલવાર અને લાકડીઓ વડે એક વકિલ ઉપર હુમલો કરવામાં આવ્યો. હથિયાંર લઈને આવેલા ગુંડાઓના એક ટોળાંએ એડવોકેટ (advocate) સત્યદેવ જોશીની કારને રસ્તાં વચ્ચે રોકી અને સત્યદેવને બહાર નિકળવાં મજબુર કર્યાં અને બહાર નિકળતાં જ તલવાર અને લાકડીઓ વડે નિર્દયતાથી માર માર્યો.
હાલ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા(social media) પર વાયરલ(viral) થઈ રહ્યો છે. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં 15 થી વધુ લોકો શામેલ હતા.વકીલ સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. જો કે તેઓ તલવાર અને સળિયાના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
એડવોકેટ મદન ગુપ્તાએ આ ભયાનક હુમલાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે 5 થી 6 લોકોએ સત્યદેવ જોશી ઉપર હથિયારો વડે હુમલો કર્યો હતો, ત્યારે રાહદારીઓ આ ઘટનાને અનદેખી કરીને આગળ વધતાં રહ્યા હતાં. જ્યાંરે હુમલો થયો ત્યારે તેમના ક્લાઈન્ટ પણ તેમની સાથે મુસાફરી કરી રહ્યાં હતાં.
Adv. Satyadev Joshi came to be assaulted today with swords & such deadly weapons by local goons at Kandivali while rendering professional services to a client. He is hospitalised.
This shows the law and order condition of Mum. @AUThackeray @OfficeofUT @Dwalsepatil @Dev_Fadnavis pic.twitter.com/3ZTuT1JyVz
— Adv Madan J. Gupta (@AdvmadanG) July 18, 2021
સમાચાર સંસ્થાના અહેલાલ મુજબ આ મામલે મુંબઇ પોલીસે કેસની નોંધ લીધી અને એફઆઈઆર નોંધી છે. રમખાણો અને હત્યાના પ્રયાસ માટે સંબંધિત કલમો હેઠળ હાલ કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઇઆર બોરીવલીના એમએચબી પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 307, 326,324, 504 અને 506 હેઠળ દાખલ કરવામાં આવી છે. . વીડિયોમાંથી ઓળખાયેલા ત્રણ વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ હુમલા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. મુંબઈ પોલીસે પણ આ હુમલાનું કોઈ સ્પષ્ટ કારણ જાહેર કર્યું નથી. જો કે કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈનાં એક ડેવલોપર સાથે ચાલી રહેલાં સંપતિ વિવાદને લઈને આ હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઘટનાંમાં વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમની કાંદિવલીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વધારે વિગતોની રાહ જોવાઇ રહી છે. આ ઘટનાએ આર્થિક રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો : શું ચીનને નથી પોતાની વેક્સિન પર ભરોસો ? પોતાના નાગરીકોને આપશે જર્મન વેક્સિન