AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેરળમાં આર્થિક તંગીમાં ત્રસ્ત ડૉક્ટર દંપતીએ 2 મહિલાઓની બલી ચઢાવી, ઘરમાં પૈસા અને સંપત્તિ આવે તે આશયથી બેનો ભોગ લેવાયો

ત્રિરુવલ્લામાં (Kerala) રહેતા ડોક્ટર ભાગવત ઘણા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા હતા. તેમની પત્ની લીલાએ પેરુમ્બવૂરમાં રહેતા એક તાંત્રિકનો સંપર્ક કર્યો.

કેરળમાં આર્થિક તંગીમાં ત્રસ્ત ડૉક્ટર દંપતીએ 2 મહિલાઓની બલી ચઢાવી, ઘરમાં પૈસા અને સંપત્તિ આવે તે આશયથી બેનો ભોગ લેવાયો
આરોપી તબીબ દંપતિImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 1:12 PM
Share

કેરળના (Kerala)ત્રિરુવલ્લામાં એક અંધશ્રદ્ધાળુ (Superstition)ડૉક્ટર અને તેની પત્નીએ(Doctor couple) બે મહિલાઓનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા (murder)કરી નાખી. આ પછી બંનેના મૃતદેહને દફનાવવામાં આવ્યા હતા. આરોપીઓને ખાતરી હતી કે આમ કરવાથી તેમના ઘરમાં સંપત્તિ અને કીર્તિ આવવા લાગશે. આ કામમાં એક સ્મગલરે પણ તેની મદદ કરી હતી. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની મંગળવારે ધરપકડ કરી હતી. ક્રાઇમ ન્યુઝ અહીં વાંચો. 

મહિલાના મોબાઈલ લોકેશન પરથી ખુલ્યું રહસ્ય

ત્રિરુવલ્લાના રહેવાસી ડો. ભાગવત લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. તેની પત્ની લીલાએ પેરુમ્બાવુરમાં રહેતા શિહાબનો સંપર્ક કર્યો. તેણે કહ્યું કે ભગવાન ફક્ત માનવ બલિદાનથી જ ખુશ થશે અને આ માટે તેણે બે મહિલાઓનું બલિદાન આપવાનું કહ્યું. સાથે જ કહ્યું કે, તે મહિલાઓ માટે બલિદાનની વ્યવસ્થા કરશે.

કેવી રીતે મહિલાઓ અંધશ્રધ્ધાની આગમાં ભોગ લેવાઇ

ત્રિરુવલ્લામાં રહેતા ડોક્ટર ભાગવત ઘણા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા હતા. તેમની પત્ની લીલાએ પેરુમ્બવૂરમાં રહેતા એક તાંત્રિકનો સંપર્ક કર્યો. તેણે કર્યું- માણસની બલિ આપવાથી ભગવાન ખુશ થશે. તેણે બે મહિલાઓની બલિ આપવા કહ્યું. સાથે એ પણ કહ્યું કે બલિ માટે મહિલાઓની વ્યવસ્થા પણ તે કરી દેશે. આ પછી લીલાએ ફેસબુક દ્વારા શિહાબનો સંપર્ક કર્યો. પૈસા અને કામની લાલચ આપીને શિહાબ કલાડી અને કડાવંતરાની બે મહિલાઓને ત્રિરુવલ્લામાં લાવ્યો હતો. અહીંથી ડોક્ટર્સ કપલ અને શિહાબ બંનેને પથનમથિટ્ટાના એલાંથુર લઈ ગયા. અહીં જ તેઓને તંત્ર દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને બંનેને ત્યાં જ દફનાવવામાં આવ્યા હતા.

પોલીસે હત્યાનો ઉકેલ્યો ભેદ, આરોપીઓ ગિરફતાર

પોલીસ કમિશનર સીએચ નાગરાજુએ જણાવ્યું હતું કે કદાવંતરાથી લાવવામાં આવેલી મહિલાના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તેના મોબાઈલનું લોકેશન શોધીને ત્રિરુવલ્લા પહોંચી ગઈ હતી. ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું કે મહિલાનો ડોક્ટર સાથે સંપર્ક હતો. જ્યારે પોલીસે ડોક્ટર દંપતીને કસ્ટડીમાં લઈ તેમની કડક પૂછપરછ કરી તો તેમણે સમગ્ર રહસ્ય ખોલ્યું. હાલ તો આ ઘટનાને લઇને પોલીસ ઉંડી તપાસ કરી રહી છે. અને, વધુ કોઇ રહસ્ય પરથી પડદો ઉંચકાય તો નવાઇ નહીં.

Follow Us
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
g clip-path="url(#clip0_868_265)">