AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેરળમાં આર્થિક તંગીમાં ત્રસ્ત ડૉક્ટર દંપતીએ 2 મહિલાઓની બલી ચઢાવી, ઘરમાં પૈસા અને સંપત્તિ આવે તે આશયથી બેનો ભોગ લેવાયો

ત્રિરુવલ્લામાં (Kerala) રહેતા ડોક્ટર ભાગવત ઘણા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા હતા. તેમની પત્ની લીલાએ પેરુમ્બવૂરમાં રહેતા એક તાંત્રિકનો સંપર્ક કર્યો.

કેરળમાં આર્થિક તંગીમાં ત્રસ્ત ડૉક્ટર દંપતીએ 2 મહિલાઓની બલી ચઢાવી, ઘરમાં પૈસા અને સંપત્તિ આવે તે આશયથી બેનો ભોગ લેવાયો
આરોપી તબીબ દંપતિImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 1:12 PM
Share

કેરળના (Kerala)ત્રિરુવલ્લામાં એક અંધશ્રદ્ધાળુ (Superstition)ડૉક્ટર અને તેની પત્નીએ(Doctor couple) બે મહિલાઓનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા (murder)કરી નાખી. આ પછી બંનેના મૃતદેહને દફનાવવામાં આવ્યા હતા. આરોપીઓને ખાતરી હતી કે આમ કરવાથી તેમના ઘરમાં સંપત્તિ અને કીર્તિ આવવા લાગશે. આ કામમાં એક સ્મગલરે પણ તેની મદદ કરી હતી. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની મંગળવારે ધરપકડ કરી હતી. ક્રાઇમ ન્યુઝ અહીં વાંચો. 

મહિલાના મોબાઈલ લોકેશન પરથી ખુલ્યું રહસ્ય

ત્રિરુવલ્લાના રહેવાસી ડો. ભાગવત લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. તેની પત્ની લીલાએ પેરુમ્બાવુરમાં રહેતા શિહાબનો સંપર્ક કર્યો. તેણે કહ્યું કે ભગવાન ફક્ત માનવ બલિદાનથી જ ખુશ થશે અને આ માટે તેણે બે મહિલાઓનું બલિદાન આપવાનું કહ્યું. સાથે જ કહ્યું કે, તે મહિલાઓ માટે બલિદાનની વ્યવસ્થા કરશે.

કેવી રીતે મહિલાઓ અંધશ્રધ્ધાની આગમાં ભોગ લેવાઇ

ત્રિરુવલ્લામાં રહેતા ડોક્ટર ભાગવત ઘણા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા હતા. તેમની પત્ની લીલાએ પેરુમ્બવૂરમાં રહેતા એક તાંત્રિકનો સંપર્ક કર્યો. તેણે કર્યું- માણસની બલિ આપવાથી ભગવાન ખુશ થશે. તેણે બે મહિલાઓની બલિ આપવા કહ્યું. સાથે એ પણ કહ્યું કે બલિ માટે મહિલાઓની વ્યવસ્થા પણ તે કરી દેશે. આ પછી લીલાએ ફેસબુક દ્વારા શિહાબનો સંપર્ક કર્યો. પૈસા અને કામની લાલચ આપીને શિહાબ કલાડી અને કડાવંતરાની બે મહિલાઓને ત્રિરુવલ્લામાં લાવ્યો હતો. અહીંથી ડોક્ટર્સ કપલ અને શિહાબ બંનેને પથનમથિટ્ટાના એલાંથુર લઈ ગયા. અહીં જ તેઓને તંત્ર દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને બંનેને ત્યાં જ દફનાવવામાં આવ્યા હતા.

પોલીસે હત્યાનો ઉકેલ્યો ભેદ, આરોપીઓ ગિરફતાર

પોલીસ કમિશનર સીએચ નાગરાજુએ જણાવ્યું હતું કે કદાવંતરાથી લાવવામાં આવેલી મહિલાના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તેના મોબાઈલનું લોકેશન શોધીને ત્રિરુવલ્લા પહોંચી ગઈ હતી. ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું કે મહિલાનો ડોક્ટર સાથે સંપર્ક હતો. જ્યારે પોલીસે ડોક્ટર દંપતીને કસ્ટડીમાં લઈ તેમની કડક પૂછપરછ કરી તો તેમણે સમગ્ર રહસ્ય ખોલ્યું. હાલ તો આ ઘટનાને લઇને પોલીસ ઉંડી તપાસ કરી રહી છે. અને, વધુ કોઇ રહસ્ય પરથી પડદો ઉંચકાય તો નવાઇ નહીં.

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
g clip-path="url(#clip0_868_265)">