AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દ્વારકાઃ અંધશ્રદ્ધામાં 25 વર્ષની મહિલાની હત્યા, વચલી ઓખામઢી દરગાહ પાસેના મંદિરની ઘટના

25 વર્ષીય મહિલાની મેલા-વળગાડ હોવાની માન્યતા સાથે ઢોર માર મારી ડામ આપી, ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવાઇ હતી. મૃતક મહિલાની એવી હાલત કરી દેવાઇ છે કે અમે તેના દ્રશ્યો પણ બતાવી શકીએ તેમ નથી.

દ્વારકાઃ અંધશ્રદ્ધામાં 25 વર્ષની મહિલાની હત્યા, વચલી ઓખામઢી દરગાહ પાસેના મંદિરની ઘટના
Dwarka: 25-year-old woman killed in superstition, temple incident near Okhamadhi Dargah
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 2:29 PM
Share

આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધા એટલી ઘર કરી ગયેલી છે કે તેની આડમાં લોકો હત્યા કરતા પણ નથી ખચકાતા. દ્વારકામાં અંધશ્રદ્ધાની આડમાં 25 વર્ષની પરિણીતાની હત્યા થઈ ગઈ. ઘટના દ્વારકા તાલુકાના વચલી ઓખામઢી દરગાહ પાસેના મંદિરની છે. જ્યાં વહેલી સવારે રમીલા સોલંકી નામની પરિણીતાને મેલુ કાઢવાનું કહીને તેના પરિવારજન અને ભૂવા સહિતના લોકોએ સાંકળ તેમજ ધોકા વડે માર માર્યો.

અંધશ્રદ્ધાની ઘટના સમાજમાં ક્યારે અટકશે?

એટલું જ નહીં ડામ દેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા રમીલા સોલંકીએ મંદિરમાં જ દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તો બીજીતરફ પ્રાથમિક તપાસમાં મૃતકના પરિવારજનોની સંડોવણી સામે આવી છે. મહિલાની હત્યા મામલે પોલીસે કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં બે આરોપી ભુવા છે.

ભૂવા અને તાંત્રિકોને અંધશ્રદ્ધા ફેલાવતા અટકાવવા શું પગલાં લેવાશે?

આ તરફ ત્રણ માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. અંધશ્રધ્ધાના ખપ્પરમાં 25 વર્ષીય પરિણીતાએ જીવ ગુમાવતા તેના ત્રણ માસુમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

ક્યાં સુધી અંધશ્રદ્ધાની આડમાં લોકોનો જીવ લેવાતો રહેશે?

25 વર્ષીય મહિલાની મેલા-વળગાડ હોવાની માન્યતા સાથે ઢોર માર મારી ડામ આપી, ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવાઇ હતી. મૃતક મહિલાની એવી હાલત કરી દેવાઇ છે કે અમે તેના દ્રશ્યો પણ બતાવી શકીએ તેમ નથી. મહિલાના મૃતદેહને  દેવભૂમિ દ્વારકા પી.એમ અર્થે ખસેડાયા બાદ મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે જામનગર હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">