BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદેથી ચાંદીના જથ્થા અને દાગીના સાથે દાણચોરની કરી ધરપકડ
ફરજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સાબિત કરતા ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ફરી એકવાર દાણચોરોની યોજનાને નિષ્ફળ બનાવી ચાંદીના દાગીના સાથે એક દાણચોરને પકડી પાડ્યો છે.
ફરજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સાબિત કરતા, ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઉત્તર 24 પરગણા જિલ્લામાં દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર હેઠળ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ ફરી એકવાર દાણચોરોની યોજનાને નિષ્ફળ બનાવી 7.480 કિલો ચાંદીના દાગીના (Silver Jewelry) સાથે એક દાણચોરને પકડી પાડ્યો છે. નિવેદન અનુસાર જપ્ત કરાયેલી ચાંદીની અંદાજિત કિંમત 3,35,260 છે. દાણચોરો આ ચાંદીના દાગીનાને ભારતથી બાંગ્લાદેશ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પકડાયેલા દાણચોરની ઓળખ સુબલ મંડલ, ઉંમર – 57 વર્ષ તરીકે કરવામાં આવી છે. પકડાયેલા દાણચોરો અને જપ્ત કરાયેલા ચાંદીના દાગીનાને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટમ ઓફિસ તેંતુલિયાને સોંપવામાં આવ્યા છે.
BSF દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડર આઉટપોસ્ટ ગોબરધા, 153મી કોર્પ્સ, સેક્ટર કોલકાતાના જવાનો આંતરરાષ્ટ્રીય સરહદ પર તત્પરતા સાથે તેમની નિયમિત ફરજ પર હતા. દરમિયાન સૈનિકોએ એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોઈ. આ વ્યક્તિ ગોબરધા બજારથી માંડલપરા ગામ (સરહદ ગામ) તરફ જઈ રહ્યો હતો.
જ્યારે સૈનિકોએ આ વ્યક્તિને તપાસવા માટે રોકવાનો પ્રયાસ કર્યો તો તે વ્યક્તિએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ શરૂ કર્યો, પરંતુ સૈનિકોએ તેને પકડી લીધો. જ્યારે BSFના જવાનોએ તેની તલાશી લીધી ત્યારે આ વ્યક્તિના જમણા પગના ઉપરના ભાગમાંથી ત્રણ પેકેટ મળી આવ્યા હતા. જેને બ્રાઉન પ્લાસ્ટિકની ટેપથી સજ્જડ રીતે બાંધવામાં આવ્યો હતો, જેમાંથી 7.480 કિલો ચાંદીના દાગીના મળી આવ્યા હતા. સૈનિકોએ ત્રણેય પેકેટ જપ્ત કર્યા અને પૂછપરછ માટે દાણચોરને પણ કસ્ટડીમાં લીધો.
પૂછપરછ દરમિયાન પકડાયેલા તસ્કર સુબલ મંડલે જણાવ્યું કે, તે છેલ્લા છ મહિનાથી દાણચોરીનું કામ કરે છે. 5મી માર્ચના રોજ તેણે કૈજુરી માર્કેટમાં સમરેશ મંડલ નામના દાણચોર પાસેથી ચાંદીના દાગીનાના આ તમામ 03 પેકેટ લીધા હતા, જે બીએસએફની ડ્યુટી લાઇન ઓળંગીને બાંગ્લાદેશી દાણચોર રહેમાન મોલ્લા જિલ્લો – સતખીરા, બાંગ્લાદેશ. તેણે જણાવ્યું કે, આ કામમાં ઉદય મંડલ નામનો અન્ય એક તસ્કર પણ સામેલ હતો, જે તેના માટે લાઇન મેન સહાયક તરીકે કામ કરતો હતો.
દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના જનસંપર્ક અધિકારી અને ડીઆઈજી સુરજીત સિંહ ગુલેરિયાએ કહ્યું કે, ભારત-બાંગ્લાદેશ સરહદે દાણચોરીને રોકવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ કડક પગલાં લઈ રહ્યું છે, જેના કારણે આવા ગુનાઓમાં સામેલ લોકોને ઘણો સામનો કરવો પડે છે. ખોટા ઈરાદા ધરાવતા દાણચોરોને બક્ષવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, BSFના જવાનોને દાણચોરોની દરેક મોડસ ઓપરેન્ડી વિશે યોગ્ય તાલીમ આપવામાં આવી રહી છે, જેથી કરીને દાણચોરોની જાળ તોડી શકાય. BSFએ સિન્ડિકેટનો પર્દાફાશ કરનાર પકડાયેલા દાણચોરોની ગેંગને પકડવા માટે કાર્યવાહી તેજ કરી છે.
આ પણ વાંચો: આ લિંક ઉપર ક્લિક કરી સરળતાથી સરકારી નોકરી મેળવવાનો મેસેજ તમને મળ્યો કે નહિ? જાણો હકીકત
આ પણ વાંચો: ગુજરાતમાં સ્થપાશે ડ્રોન સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ, રોજગાર સર્જનના સરકારના પ્રયાસ