AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી દાગીના ચોરી કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં મોતનો મલાજો ન જાળવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ 1,200 બેડની કોરોના હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી દાગીનાની ચોરી કરી હતી.

અમદાવાદ: કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી દાગીના ચોરી કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ
Mihir Soni
| Edited By: | Updated on: Apr 13, 2021 | 5:10 PM
Share

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં મોતનો મલાજો ન જાળવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ 1,200 બેડની કોરોના હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી દાગીનાની ચોરી કરી હતી. જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શાહિબાગ પોલીસ (Shahibaug Police)ની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ સાહિલ (Sahil) ઉર્ફે ભુરિયો મકવાણા છે. આરોપી1,200 બેડની કોરોના હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરે છે. પરંતુ આરોપીની ધરપકડ ચોરીના ગુનામાં કરવામાં આવી છે. કોરોનામાં મૃત્યુ પામેલ મહિલા દર્દીની સોનાની બંગડી ચોરી કરવાના ગુનામાં આરોપી સાહિલે 11 તારીખે દર્દી મોહિનીબેનના મૃત્યુ બાદ 4 તોલાની સોનાની બે બંગડી ચોરી કરી હતી. જેની ફરિયાદ મળતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ પહેલી વખત નથી કે 1,200 બેડની હોસ્પિટલમાં કોરોના દર્દીના મોત બાદ તેના મૃતદેહ પરથી કિંમતી દાગીનાની ચોરી થઈ હોય. આ અગાઉ પણ શાહિબાગ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, જેને 4 ચોરીની કબુલાત કરી હતી. ઝડપાયેલ આરોપી સાહિલ સિવિલ હોસ્પિટલમાં જ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. જે દિવસે તેને ચોરીને અંજામ આપ્યો તે દિવસે સાહિલની ડ્યુટી મૃતદેહ પરિવારને સોંપવાની હતી. માટે તે મૃતદેહ લિફ્ટમાં લઈને ઉતરી રહ્યો હતો. તે સમયે તેને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ચોરીનો તમામ 1.60 લાખની કિંમતની સોનાની બંગડી કબ્જે કરી છે.

પોલીસે ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે સાથે પોલીસે અન્ય કોઈ ચોરી હોસ્પિટલમાં થઈ છે કે કેમ? ઉપરાંત આરોપીના ગુનાઈત ઈતિહાસ અને ચોરી કરવા પાછળનો આશય જાણવા માટે તપાસ તેજ કરી છે. ત્યારે જોવુ એ રહ્યું કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે.

આ પણ વાંચો: AHMEDABAD : હોસ્પિટલમાં ભયાવહ દ્રશ્યો, સ્વજનોના અંતિમ દર્શન માટે જોવી પડે છે કલાકો સુધી રાહ

Follow Us
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
Breaking News: ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રી-મોન્સુન વરસાદ
Breaking News: ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રી-મોન્સુન વરસાદ
આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા
આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
g clip-path="url(#clip0_868_265)">