Ahmedabad: નરોડા પાટિયા કેસના આરોપીની થઈ હત્યા, પોલીસે કરી 2 લોકોની ધરપકડ

અમદાવાદ શહેરમાં હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં નરોડા પાટિયા આરોપીની જ બે લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. જે ઘટનામાં નરોડા પોલીસે એક સગીર સહિત બે લોકોની ધરપકડ કરી છે.

Ahmedabad: નરોડા પાટિયા કેસના આરોપીની થઈ હત્યા, પોલીસે કરી 2 લોકોની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 02, 2021 | 10:19 PM

અમદાવાદ શહેરમાં હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં નરોડા પાટિયા આરોપીની જ બે લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. જે ઘટનામાં નરોડા પોલીસે એક સગીર સહિત બે લોકોની ધરપકડ કરી છે.

નરોડા પોલીસે કમલેશ ચુનારાની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે અને માત્ર કમલેશ નહીં પણ એક સગીરને પણ હત્યાના ગુનામાં પકડવામાં આવ્યો છે. ગત રાતે પોલીસને બાતમી મળી હતી કે નરોડા પાટિયા પાસે સંજય નગર છાપરા પાસે નવાબ કાળુ ઠાકોરની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ છે. જે બાતમીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા સામે આવ્યું કે મૃતકને પકડાયેલા આરોપીઓએ 12થી 15 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક થોડા વર્ષ પહેલા આરોપી કમલેશના પરિવારમાંથી એક મહિલાને ભગાડી ગયો હતો. જેની અદાવત હતી. સાથે જ નાણાંની લેવડ દેવડ અને તાજેતરમાં જ મહિલા સાથે બોલા ચાલી થઈ હતી. જે તમામ બાબતોની અદાવત રાખી કમલેશ અને સગીર નવાબ ઉર્ફે કાળુ ઠાકોર પાસે ગયા હતા. જ્યાં વાતચીત ચાલુ હતી અને તરત સગીર તીક્ષ્ણ હથિયાર સાથે તૂટી પડ્યો અને બાદમાં કમલેશે પણ હાથ સાફ કર્યો.

જે ઘટનામાં નવાબ ઉર્ફે કાળુ ઠાકોરનું મોત નિપજતા બંનેની પોલીસે ધરપકડ કરી. તેમજ તપાસમાં આરોપી નોકરી કરતો હોવાનું અને મૃતક નરોડા પાટિયા કાંડમાં આરોપી હોવાનું સામે આવ્યું. જે થોડા સમય પહેલા સાબરમતી જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો. હાલ તો પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ સગીર સહિત બેની ધરપકડ પણ કરી લીધી છે.

ત્યારે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે હત્યા પાછળ હાલ આજ કારણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણસર નવાબ ઉર્ફે કાળુ ઠાકોરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. જે પોલીસ તપાસમાં જ સામે આવશે. જે માટે પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે બાંગ્લાદેશના રેમડેસિવિરની કાળા બજારી કરતા વ્યક્તિની કરી ધરપકડ

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">