Ahmedabad : હીરાવાડીના વેપારી ગૌતમ પટેલની હત્યાનો ખુલ્યો રાઝ, બિહારથી આરોપીને પોલીસે દબોચી લીધો

ફેક્ટરી માલિકની ક્રૂર હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી મજૂર અખિલેશ બિહાર ભાગી ગયો હતો ત્યાં છુપાતો ફરતો હતો. તેવામાં બીજી બાજુ મૃતક ગૌતમ પટેલ પાસે આરોપી મજૂરનો કોઈ પુરાવો ન હતો. જેથી ઓળખ થઈ ન હોવાથી શોધખોળ મુશ્કેલ બની હતી.

Ahmedabad : હીરાવાડીના વેપારી ગૌતમ પટેલની હત્યાનો ખુલ્યો રાઝ, બિહારથી આરોપીને પોલીસે દબોચી લીધો
Ahmedabad-હત્યાનો આરોપી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Dec 03, 2021 | 6:09 PM

Ahmedabad : ગાંધીનગર જિલ્લાના દહેગામ જીઆઇડીસીમાં ફેક્ટરી માલિકને 35 ફટકા મારી ક્રૂર હત્યા નિપજાવનાર પરપ્રાતિય મજૂરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. બાકી પગારના 2 હજાર રૂપિયા અને માલિકના અસભ્ય વર્તનથી કંટાળી હત્યા નિપજાવી હોવાની મજૂરે કબૂલાત કરી છે. જોકે પોલીસે હત્યા અંગે કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી.

દહેગામમાં પીવીસી પાઈપની ફેક્ટરી ધરાવતા અને બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં રહેતા વેપારી ગૌતમ પટેલની કરપીણ હત્યા કરનાર મજૂરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. 8 જુલાઈના રોજ ફેકટરીમાં કામકાજ કરતા ગૌતમ પટેલની તેમના જ મજૂર અખિલેશ બિહારીએ માથામાં ઉપરા છાપરી 35 ફટકા મારી હત્યા નિપજાવી હતી. સમગ્ર લાઈવ ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના આધરે ક્રાઇમ બ્રાંચે બિહારથી અખિલેશની ધરપકડ કરી હત્યા અંગે પુછપરછ કરતા પગારના બે હજાર રૂપિયા અને માલિક અસભ્યવર્તનથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અખિલેશ બિહારી માલિક હત્યા કર્યા બાદ ડ્રોવરમાંથી 60 હજાર રૂપિયા રોકડા અને મૃતકનો મોબાઇલ ચોરી કરી નાસી ગયો હતો.

ફેક્ટરી માલિકની ક્રૂર હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી મજૂર અખિલેશ બિહાર ભાગી ગયો હતો ત્યાં છુપાતો ફરતો હતો. તેવામાં બીજી બાજુ મૃતક ગૌતમ પટેલ પાસે આરોપી મજૂરનો કોઈ પુરાવો ન હતો. જેથી ઓળખ થઈ ન હોવાથી શોધખોળ મુશ્કેલ બની હતી. જોકે આરોપી અખિલેશના મોબાઇલ નંબરની કોલ ડિટેઇલ તપાસ કરતા ક્રાઇમ બ્રાંચને એક કડી મળી હતી. જેમાં આરોપી અખિલેશના કચ્છ ગાંધીધામમાં રહેતા પરિવારજનોની ભાળ મળી. જેના આધારે પોલીસે બિહારથી આરોપી અખિલેશ ઝડપી લીધો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ક્રાઇમ બ્રાંચે હત્યા આરોપી અખિલેશ રિમાન્ડ મેળવી વધુ પુછપરછ શરૂ કરી છે કે હત્યા કરવા પાછળ કારણ પગારના 2 હજાર રૂપિયા માંગવા બાબતે છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.જોકે આ કેસ પરથી ફલિત થયું છેકે પરપ્રાંતિય મજૂરો અંગે માહિતી ન રાખનાર કારખાનેદારોએ શીખ મેળવવાની જરૂર છે.

આ પણ વાંચો : Ahmedabad : સ્ટેમ્પ વિભાગની કચેરીમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે મહેસૂલ પ્રધાનનું નિવેદન, સરકારી કચેરીઓમાં જરાય ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાયઃ રાજેન્દ્ર ત્રિવેદી

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">