AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: એકટીવા સાથે ગાડી અથડાતા પહેલા કર્યો ઝઘડો, બાદમાં કારમાંથી 26 લાખ રોકડ રકમની બેગ લઈને થયા રફુચક્કર

અમદાવાદમાં ફરી એક વખત લૂંટની (Looting) ઘટના સામે આવી છે. હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા વેપારીએ રોડ પર અકસ્માત કર્યો છે, તેવું કહીને બાઇક અને એક્ટિવા ચાલકો રોકી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.

Ahmedabad: એકટીવા સાથે ગાડી અથડાતા પહેલા કર્યો ઝઘડો, બાદમાં કારમાંથી 26 લાખ રોકડ રકમની બેગ લઈને થયા રફુચક્કર
શંકાસ્પદ આરોપીઓ
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 25, 2022 | 6:01 PM
Share

Ahmedabad: શહેરમાં ફરી એક વખત લૂંટની (Looting) ઘટના સામે આવી છે. હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા વેપારીએ રોડ પર અકસ્માત કર્યો છે, તેવું કહીને બાઇક અને એક્ટિવા ચાલકો રોકી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જોકે વેપારીએ તેઓનો પીછો કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લૂંટારાઓ વેપારીના હાથે ન લાગતા અંતે આ સમગ્ર મામલે પોલીસ (Gujarat Police) ફરિયાદ નોંધાઈ છે.

સીસીટીવી ફૂટેજમાં દેખાતા આ શખ્સોએ ભેગા મળીને 26 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતાં તેમજ દરિયાપુર પાસે કબીર એન્ટરપ્રાઇઝ નામે હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા પ્રવિણ પટેલ નામના વેપારી સાથે સમગ્ર લૂંટની ઘટના બની છે. જેમાં 22મી માર્ચના રોજ તેઓ સીજીરોડ ખાતે આવેલી આર.કે.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી માણસા ખાતેથી આવેલું 32 લાખ 57 હજારનું પેમેન્ટ લઇને નીકળ્યા હતા. જેમાં નવરંગપુરા ખાતે આવેલી મહેન્દ્ર સોમાભાઈ આંગણીયા પેઢી મારફતે 6 લાખ 17 હજાર ચારસો રૂપિયા રોકડા ગાંધીનગર રહેતા પોતાના મિત્ર અંકુરને મોકલીને 26 લાખ 70 હજાર જેટલી રકમ બેંકમાં રાખીને સીજી રોડથી નવરંગપુરા તરફ જઈ રહ્યા હતા.

તે સમયે હરિઓમ રેસ્ટોરન્ટ પાસે પહોંચતા એક્ટિવા ચાલક દ્વારા તેઓને અટકાવીને તમે અમારી એકટીવા સાથે ગાડી કેમ અથડાવી તેવું કહીને ઝઘડો કર્યો હતો અને ઝઘડા દરમિયાન કારમાં મૂકેલી રોકડ રકમની બેગ લઈને ભાગી ગયા હતા. જે બાદ વેપારીએ લૂંટારાઓનો પીછો કર્યો હતો. જોકે લૂંટારાઓ ન મળતા અંતે આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નવરંગપુરા પોલીસે આ સમગ્ર મામલે લૂંટનો ગુનો દાખલ કરીને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં શંકાસ્પદ આરોપીઓ જોવા મળ્યા હતા. જેથી કરીને આરોપીઓને પકડવા માટે નવરંગપુરા પોલીસે તપાસ તેજ કરી છે. મહત્વનું છે કે સીસીટીવી ફુટેજમાં દેખાતા આરોપીઓ છારા ગેંગના હોવાની આશંકાના આધારે પોલીસે આરોપીઓને પકડવા અલગ – અલગ ટીમો કામે લગાડે છે.

મહત્વનું છે કે, અકસ્માતના નામે નાની-મોટી ચોરીની અનેક ઘટનાઓ અત્યાર સુધી પોલીસ ચોપડે નોંધાઈ છે, જોકે આ ઘટનામાં 26 લાખ રૂપિયા જેટલી મોટી રકમની લૂંટ થઈ હોવાથી સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓને પકડવા કામે લાગે છે, ત્યારે આરોપીઓ ક્યારે પકડાય છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો: વિઝા સસ્પેન્ડ : ચીને ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમાય તેવા પગલાં લેતા, ભારતે ડ્રેગનને તેની જ ભાષામાં આપ્યો જવાબ

આ પણ વાંચો: JNV Admission 2022: જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા 30મી એપ્રિલે યોજાશે, ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

Follow Us
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">