AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના સૌથી મોટા વ્યાજખોરીના કેસમાં SITની રચના બાદ ઈકોનોમીક ઓફેન્સ વિંગને તપાસ સોંપાઈ, જુઓ Video

ગુજરાતનો વ્યાજખોરીનો સૌથી મોટો કેસ નારોલ (Narol) પોલીસ મથકમાં નોંધાયો હતો. આ મામલે SITની રચના બાદ EOWને તપાસ સોંપાઈ છે.

ગુજરાતના સૌથી મોટા વ્યાજખોરીના કેસમાં SITની રચના બાદ ઈકોનોમીક ઓફેન્સ વિંગને તપાસ સોંપાઈ, જુઓ Video
Gujarat biggest usury case
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 2:12 PM
Share

Ahmedabad: ગુજરાતનો વ્યાજખોરીનો સૌથી મોટો કેસ નારોલ (Narol) પોલીસ મથકમાં નોંધાયો હતો. ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા વેપારી કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા જતા હતા. ત્યારે વેપારી કમલ ડોગરાના મિત્રએ પોલીસને જાણ કરી હતી અને આ સમગ્ર ઘટના બહાર આવી હતી. ત્યાર બાદ વ્યાજખોરો સામે નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

SITની રચના બાદ EOWને તપાસ સોંપાઈ

આ બાબતે નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 8 આરોપી સામે તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક મુખ્ય આરોપી તેમજ ફરિયાદીની મોંઘી ગાડીઓ પણ કબ્જે કરી લેવામાં આવી હતી. જોકે એકાએક સમગ્ર કેસની તપાસ EOWને સોંપી દેવામાં આવી છે.

વેપારી કમલ ડોગરાને ધંધાને બેઠો કરવા ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ પાસેથી 7.71 કરોડથી વધુની રકમ 9 ટકા વ્યાજે લીધા હતા. જે બાદ વેપારીએ બેંકના માધ્યમથી રૂ. 7.71 કરોડની સામે 11 કરોડ જેટલી રકમ બેન્કના માધ્યમથી પરત કરી દીધી હતી. તેમ છતાં વ્યાજખોરો વધુ રૂપિયા માંગતા હોવાથી વેપારીએ 2.5 કરોડ રોકડા આપ્યા હતા. તેમ છતાં વ્યાજખોરો સતત રૂપિયાની માંગણી કરતા હતા અને વેપારીને ધમકાવતા હતા.

પોલીસ ફરિયાદ બાદ SITએ આ કેસની તપાસ હાથ ધરી હતી

પોલીસ ફરિયાદ બાદ SITએ આ કેસની તપાસ હાથ ધરી હતી. જેમાં 11ના બદલે 24 આરોપીઓ આ ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યા છે. જોકે હવે અચાનક સ્થાનિક પોલીસ પાસેથી આ કેસની તપાસ EOW એટલે કે આર્થિક ગુના નિવારણ શાખાને સોંપી દેવામાં આવી છે.

અત્યાર સુધીની SITની તપાસમાં આરોપીની કારમાંથી 24 કોથળા ભરેલા દસ્તાવેજો કબજે કરાયા છે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, 113 ચેકબુક, 61 ATM,38 પાસબુક પણ કબ્જે કરી છે. પોલીસે અત્યાર સુધી 8 વ્યાજખોરોની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી ધર્મેશ અને તેનો પુત્ર પણ પકડાઈ ચૂક્યા છે. ત્યારે બાકીના ફરાર આરોપીઓને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ જે અન્ય ભોગ બનનારા સામે આવ્યા તેમની પણ તપાસ શરૂ કરી છે. જોકે હવે આ સમગ્ર ઘટનાની તપાસ EOW કરશે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">